ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ચડાવાઈ વિશ્વની સૌથી મોટી ધજા, 1,352 ધજા ચડાવી ભક્તોએ અનુભવી ધન્યતા- Video

ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવાઈ છે. અમદાવાદના દેવીપૂજક સંઘ તરફથી મા અંબેને આ ધજા અર્પણ કરવામાં આવી છે. સંઘના 3500 ભાવિભક્તોએ મંદિરમાં આ ધજા ચડાવી છે. આ સંઘે વિશ્વની સૌથી મોટી 1352 ગજની ધજા મા ને અર્પણ કરી ધન્યતા અનુભવી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2024 | 3:33 PM

અંબાજીમાં આજના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયુ હોવાનુ વાયકા છે આથી જ ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટે છે. આજના દિવસે મા ના દર્શન કરવા સહુ કોઈ તલપાપડ બને છે. આ દિવસે માના દર્શન કરવા અને પૂણ્યનું ભાથુ બાંધવા દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ભાદરવી પૂનમે અને મા ના પ્રાગટ્યના દિવસે અંબાજીમાં મોટો મેળો જામે છે. પાંચ દિવસથી ચાલી રહેલા આ મેળામાં અત્યાર સુધીમાં 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ભાવિકો આ દિવસે મા અંબેની ભક્તિમાં લીન બને છે અને મા ને રિઝવવા અવનવી ભેટો લાવે છે. આવા જ એક માઈ ભક્ત અમદાવાદના દેવીપૂજક સંઘે આજના દિવસે અંબાજી શક્તિપીઠને વિશ્વની સૌથી ઉંચી 1352 ગજની ધજા ચડાવી છે.

આજે માનો પ્રાગટ્ય દિવસ

આ સંઘના 3500થી વધુ ભાવિભક્તો દ્વારા મંદિરમાં આ વિશાળ ધજા ચડાવવામાં આવી છે. મા અંબાની દર્શન કરીને સહુ કોઈની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના આ પાંચ દિવસના મેળા દરમિયાન કૂલ 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. છઠ્ઠા દિવસે પણ વિવિધ સંઘોનો મંદિરમાં અવિરત પ્રવાહ શરૂ જ છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ સંઘ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા છે. ભાદરવી પૂનમના મેળાની બુધવારે પૂર્ણાહુતિ થશે. મેળાની સમાપ્તિ પહેલા મા ને નોરતાનું આમંત્રણ આપવા ભાવિકો પહોંચ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાજકોટનો ખોડિયાર સંઘ પણ દર્શનાર્થે પહોંચ્યો છે. 10થી વધુ દિવસ પદયાત્રા કરી અંબાજી પહોંચનારા ભક્તોએ મા ના દર્શન કર્યા છે. ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

Input Credit- Chirag Shah

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">