
ફારુક અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં(2024) શ્રીનગરના સાંસદ છે. તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પણ છે. ફારુક અબ્દુલ્લાનો જન્મ 21 ઓક્ટોબર 1937ના રોજ શ્રીનગરમાં થયો હતો. આ પછી તે ઈંગ્લેન્ડ ગયા અને ત્યાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાની બિમારીના કારણે તેમને પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું. ફારુક અબ્દુલ્લા 1975માં ભારત પરત ફર્યા. ત્યારબાદ તેમને તેમના પિતાનો રાજકીય વારસો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી.
ફારુક અબ્દુલ્લા વર્ષ 1980માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોઈપણ ચૂંટણીમાં આ તેમની પ્રથમ જીત હતી અને આ પછી અબ્દુલ્લાએ પાછળ વળીને જોયું નથી. ફારુક વર્ષ 1982માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યાર બાદ તેઓ પાંચ વખત ધારાસભ્ય રહ્યા. 1982થી 1983 સુધી તેઓ જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય મંત્રી તરીકે પણ હતા.
1983માં તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. આ પછી તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ફારુક અબ્દુલ્લા ફેબ્રુઆરી 2009માં બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. એ જ વર્ષે તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા. 31 મે 2009થી મે 2014 સુધી, ફારુકે કેન્દ્ર સરકારમાં રિન્યુએબલ એનર્જી મંત્રીનું પદ સંભાળ્યું હતું.
સત્તા મળતા બદલાયા સૂર ! ફારુક અબ્દુલ્લાની પંડિતોને અપીલ-હવે ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે
નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. ફારુક અબ્દુલ્લાએ વર્ષો પછી દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પહેલા મને બોલાવવામાં આવતો નહતો, હવે મને બોલાવવામાં આવ્યો છે, તેથી હું દશેરાની ઉજવણીમાં આવ્યો છું.
- TV9 Gujarati
- Updated on: Oct 13, 2024
- 7:34 am
લોકસભામાં હિરો વિધાનસભામાં ઝીરો ! પોતાના મતક્ષેત્રમાં પણ પાછળ છે રશીદ એન્જિનીયરનો પક્ષ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ રીતે પાછળ જોવા મળી રહી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રશીદ એન્જિનિયરની અવામી ઇત્તેહાદ પાર્ટીને જમ્મુ કાશ્મીરના લોકોએ કોરાણે મૂકી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 8, 2024
- 1:10 pm
પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A પર નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનના સ્ટેન્ડ સાથે સહમત છીએ. પાકિસ્તાન સરકાર પણ જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370 પુનઃસ્થાપિત કરવા માંગે છે.
- TV9 Gujarati
- Updated on: Sep 19, 2024
- 4:34 pm
કોંગ્રેસે કલમ 370થી કર્યુ લાંંબુ અંતર, ચૂંટણી ઢંઢેરામાં કોઈ જ ઉલ્લેખ નહીં, સાથી પક્ષ નેશનલ કોન્ફરન્સ હટાવવા મક્કમ
જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરાયેલ બંધારણની કલમ 370 પર કોંગ્રેસે હવે મૌન સેવ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટોમાં, કલમ 370નો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી. જ્યારે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના સહયોગી પક્ષ એવા નેશનલ કોન્ફરન્સ 370 પાછી લાદવા માટે અવાજ ઉઠાવી રહી છે. નેશનલ કોન્ફરન્સ મોદી સરકાર પર આ મુદ્દે સતત પ્રહારો કરી રહી છે. સવાલ એ થાય છે કે કોંગ્રેસના વલણમાં ક્યારે અને શા માટે બદલાવ આવ્યો. છેવટે, તે આ મુદ્દા પર સલામત અંતર રાખીને ગેમ રમી રહી છે ?
- TV9 Gujarati
- Updated on: Sep 17, 2024
- 2:25 pm
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે, ઓમર અબ્દુલ્લાની આ વાતનો સમજો અર્થ
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપ કેવી રીતે સરકાર બનાવી શકે છે. ઓમરે લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સમજદારીથી મતદાન કરે અને તેને વિભાજિત ન થવા દે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:49 pm
નેશનલ કોન્ફરન્સનો છલકાયો પાકિસ્તાન પ્રેમ, કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃતિને વેગ મળે તેવા વચનનો ચૂંટણી ઢંઢેરા કર્યો સમાવેશ
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ટાણે, ફારુક અબ્દુલા અને ઓમર અબ્દુલા સંચાલિત નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ છતો થયો છે. નેશનલ કોન્ફરન્સે પ્રજાના સુચનોને ઢંઢેરામાં સમાવેશ કર્યો હોવાના બહાને, કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃતિને વેગ મળે તેવા મુદ્દાઓે સમાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2024
- 1:54 pm
ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલાએ સુપ્રીમના ખખડાવ્યા દ્વાર, કહ્યું 2009થી અલગ છીએ
ઓમર અબ્દુલ્લાની અરજી પર સુપ્રીમ કોર્ટે પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. ઓમર અબ્દુલ્લા તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટના શરણે છે, પરંતુ તેને ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, ત્યારબાદ તેણે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:50 pm
હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને કહ્યું- સંબંધ સુધારવાની જવાબદારી એકલા ભારતની નહીં
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ બે દિવસ પહેલા પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે પહેલાથી જ બરબાદ થઈ ગયું છે, તેથી પાકિસ્તાને આ વિશે વિચારવું જોઈએ. યુદ્ધ માત્ર બંને દેશોમાં વિનાશનું કારણ બનશે, તેનાથી વધુ કંઈ નહીં. હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને સલાહ આપી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:50 pm