ફારુક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં(2024) શ્રીનગરના સાંસદ છે. તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પણ છે. ફારુક અબ્દુલ્લાનો જન્મ 21 ઓક્ટોબર 1937ના રોજ શ્રીનગરમાં થયો હતો. આ પછી તે ઈંગ્લેન્ડ ગયા અને ત્યાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાની બિમારીના કારણે તેમને પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું. ફારુક અબ્દુલ્લા 1975માં ભારત પરત ફર્યા. ત્યારબાદ તેમને તેમના પિતાનો રાજકીય વારસો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી.

ફારુક અબ્દુલ્લા વર્ષ 1980માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોઈપણ ચૂંટણીમાં આ તેમની પ્રથમ જીત હતી અને આ પછી અબ્દુલ્લાએ પાછળ વળીને જોયું નથી. ફારુક વર્ષ 1982માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યાર બાદ તેઓ પાંચ વખત ધારાસભ્ય રહ્યા. 1982થી 1983 સુધી તેઓ જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય મંત્રી તરીકે પણ હતા.

1983માં તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. આ પછી તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ફારુક અબ્દુલ્લા ફેબ્રુઆરી 2009માં બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. એ જ વર્ષે તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા. 31 મે 2009થી મે 2014 સુધી, ફારુકે કેન્દ્ર સરકારમાં રિન્યુએબલ એનર્જી મંત્રીનું પદ સંભાળ્યું હતું.

 

Read More

નેશનલ કોન્ફરન્સનો છલકાયો પાકિસ્તાન પ્રેમ, કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃતિને વેગ મળે તેવા વચનનો ચૂંટણી ઢંઢેરા કર્યો સમાવેશ

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ટાણે, ફારુક અબ્દુલા અને ઓમર અબ્દુલા સંચાલિત નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ છતો થયો છે. નેશનલ કોન્ફરન્સે પ્રજાના સુચનોને ઢંઢેરામાં સમાવેશ કર્યો હોવાના બહાને, કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃતિને વેગ મળે તેવા મુદ્દાઓે સમાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલાએ સુપ્રીમના ખખડાવ્યા દ્વાર, કહ્યું 2009થી અલગ છીએ

ઓમર અબ્દુલ્લાની અરજી પર સુપ્રીમ કોર્ટે પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. ઓમર અબ્દુલ્લા તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટના શરણે છે, પરંતુ તેને ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, ત્યારબાદ તેણે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને કહ્યું- સંબંધ સુધારવાની જવાબદારી એકલા ભારતની નહીં

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ બે દિવસ પહેલા પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે પહેલાથી જ બરબાદ થઈ ગયું છે, તેથી પાકિસ્તાને આ વિશે વિચારવું જોઈએ. યુદ્ધ માત્ર બંને દેશોમાં વિનાશનું કારણ બનશે, તેનાથી વધુ કંઈ નહીં. હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને સલાહ આપી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">