AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત આંદોલન

ખેડૂત આંદોલન

યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેન્દ્ર સરકાર સામે આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે પંજાબ-હરિયાણા સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો રાજધાની દિલ્હી તરફ આગળ વધશે અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરશે.

અંબાલા-શંભુ, ખનૌરી-જીંદ અને ડબવાલી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાની યોજના છે. ખેડૂતોએ તેમના ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કૂચ શરૂ કરી અને તેઓ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક ખેડૂત જૂથો ખનૌરી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન અને તેના નેતા રાકેશ ટિકૈત આ ખેડૂત આંદોલનમાં સામેલ નથી.

આ ‘દિલ્હી ચલો’ કૂચ પાછળ ખેડૂતોની સૌથી મોટી માંગ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટી છે. દિલ્હી તરફ જતા પહેલા કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાનું કહેવું છે કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. જો કે શંભૂ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે.

Read More

સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામના ખેડૂતોએ ફરી સરકાર સામે માંડ્યો મોરચો, વીજલાઈન નાખવાના સરકારના પરિપત્રનો વિરોધ સાથે યોજી વિશાળ રેલી- Video

ખેતરોમાં ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મામલે સરકાર દ્વારા વળતર અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે પરતું ખેડૂતોને આ પરિપત્ર પણ માન્ય નથી ત્યારે ખેડૂતો દ્વારા પરિપત્ર ના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસના ગામોના ખેડૂતો દ્વારા મેળાના મેદાન થી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત મહિલાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી.

ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન

ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા થાંભલા ઊભા કરવાના મુદ્દા અને યોગ્ય વળતરની માગણી સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે..ટેકાના ભાવમાં વધારો, યોગ્ય વળતર, ખાતરનો ભાવ વધારો સહિતના મુદ્દાઓ સાથે બનાસકાંઠાથી પણ ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા..ટ્રેક્ટર કૂચ હવે ગાંધીનગર સુધી પહોંચશે ત્યારે સરકાર ખેડૂતોની માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી હતી પરંતુ આ આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ ખેડૂતોના બે ફાંટા પડી જતા રોકવુ પડ્યુ અને હવે 30 જૂને ફરી આંદોલન કરવાનો કોલ અપાયો છે.

અમીરો સામે ચૂપ રહેતું ‘તંત્ર’ ગરીબ ખેડૂતોને જ ‘હેરાન’ કરશે? કંપનીના ફાયદા માટે અન્નદાતાઓ પર અત્યાચાર ક્યાં સુધી?

ભરૂચના હાંસોટમાંથી પસાર થતી પાવરગ્રીડ હાઈટેન્શન લાઈનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, પાવરગ્રીડ કંપની અને તંત્ર દ્વારા તેમની જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા: ખેડૂતોનો હલ્લાબોલ! જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ, નાયબ કલેકટરને આપ્યું આવેદન – જુઓ Video

વડોદરાના ડભોઇમાં જુવારના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. પાક સડી જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ APMC ખાતે ઉપવાસ કરી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ કરી છે.

Maharashtra Breaking News : “અમે શું ભીખ માંગીએ છીએ ? શેરડીના પૈસા આપો…” મહારાષ્ટ્રના સોલાપુરમાં ખેડૂતોનું જળસમાધિ આંદોલન !

મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુરમાં બાકી ચૂકવણીઓ ન મળતા શેરડી ઉત્પાદક ખેડૂતો આક્રમક બન્યા. ચેતવણી છતાં દબાણ કરી રહેલા વહીવટ સામે વિરોધમાં ખેડૂતો તળાવમાં કૂદી પડ્યા. આ ઘટનાથી વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ.

Breaking News : આજે ભારત બંધ, કર્મચારીઓ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં હડતાળ પર, જુઓ Video

વર્ષ 2026માં ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને નવા શ્રમ કાયદાના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. 30 કરોડથી વધુ કર્મચારીઓ અને 10 કેન્દ્રીય યુનિયનો આ બંધમાં જોડાયા છે, જેનાથી બેંકિંગ પરિવહન સહિતની સેવાઓ પર અસર થશે.

g clip-path="url(#clip0_868_265)">