Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત આંદોલન

ખેડૂત આંદોલન

યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેન્દ્ર સરકાર સામે આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે પંજાબ-હરિયાણા સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો રાજધાની દિલ્હી તરફ આગળ વધશે અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરશે.

અંબાલા-શંભુ, ખનૌરી-જીંદ અને ડબવાલી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાની યોજના છે. ખેડૂતોએ તેમના ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કૂચ શરૂ કરી અને તેઓ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક ખેડૂત જૂથો ખનૌરી બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન અને તેના નેતા રાકેશ ટિકૈત આ ખેડૂત આંદોલનમાં સામેલ નથી.

આ ‘દિલ્હી ચલો’ કૂચ પાછળ ખેડૂતોની સૌથી મોટી માંગ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટી છે. દિલ્હી તરફ જતા પહેલા કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાનું કહેવું છે કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. જો કે શંભૂ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે.

Read More

MSP ગેરંટી, વળતર, પેન્શન, સ્વામીનાથન રિપોર્ટ સહિતની ખેડૂતોની 12 માગો કઈ છે? જાણો દિલ્હી માર્ચ પાછળનો ખેડૂતોનો સમગ્ર પ્લાન

શંભુ બોર્ડરથી ફરી એકવાર ખેડૂતો દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની માગ કઈ છે. આપને જણાવી દઈએ કે તેઓ 12 માગણીઓ સાથે આ વખતે દિલ્હી કૂચ કરી રહ્યા છે. જેમા MSP ગેરંટી, વળતર, અને પેન્શનને લઈને સ્વામીનાથન આયોગની રિપોર્ટના સૂચનોને લાગુ કરવાની માગો સામેલ છે.

ખેડૂતો પર નિવેદન આપીને ફસાઈ ગઈ કંગના રનૌત, કહ્યું- હું મારા શબ્દો પાછા લઉં છું

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે, ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી. કંગનાના આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષ કોંગ્રેસે, કંગનાના આ નિવેદનને મોદી-શાહનો છુપો એજન્ડા ગણાવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ તેને કંગના રણૌતનુ અંગત નિવેદન ગણાવ્યું. આખરે કંગના રણૌતને, આજે બુધવારે પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.

સુરત : પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો, જુઓ વિડીયો

સુરતમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વિવાદનો હાલ અંત દેખાઇ રહ્યો નથી. સુરત જિલ્લામાં હાલ ખાવડાથી નવસારીની 765 કિલોવોટની વિજ પરિવહન લાઈનના ટાવરો બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

સુરત વીડિયો : 765 KV વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન, જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માંગ

સુરત :  દક્ષિણ ગુજરાતમાં ફરીએકવાર ધરતીપુત્રો આંદોલનના માર્ગે વળ્યાં છે. સુરતના કામરેજના વલથાન ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ખેડૂતો ફરી રોષે ભરાયા, શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત

ખેડૂતોએ માગ કરી હતી કે તેમના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ દરમિયાન ખેડૂતોએ ચેતવણી આપી શંભુ બોર્ડર પાસે રેલવે લાઇનને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી હતી. એમએસપી સહિતની અનેક માંગણીઓને લઈને ખેડૂતો લાંબા સમયથી શંભુ બોર્ડર પર ઉભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">