એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલ એ જણાવે છે કે, રાજ્ય કે દેશમાં કોની સરકાર બનશે. જો સરળ ભાષામાં સમજીએ તો Exit નો અર્થ મતદાર સાથે સંબંધિત છે. જેણે મતદાન મથક પરથી પોતાનો મત આપ્યો છે. તેમના અભિપ્રાયના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે.
જેને તૈયાર કરવા માટે, સર્વે એજન્સી પાસે એક આખી ટીમ હોય છે. જે મતદાન કરનારા મતદારો પાસેથી પ્રશ્નો અને જવાબો પૂછીને તેને તૈયાર કરે છે. આ સવાલો અને જવાબોના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલની વિગતો જાહેર કરવામાં આવતી નથી. મતદાન પૂર્ણ થયાની 30 મિનિટ પછી ‘સર્વે એજન્સીઓ’ તેને જાહેર કરે છે.
દેશમાં એવી ઘણી સંસ્થાઓ છે જે એક્ઝિટ પોલ તૈયાર કરે છે. એક્ઝિટ પોલ દ્વારા જણાવવામાં આવે છે કે, રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનાવવાની સૌથી વધુ તકો છે. ક્યારેક તેઓ સચોટ સાબિત થાય છે અને ક્યારેક તેઓ પરિણામોની વિરુદ્ધ સાબિત થાય છે.
Exit Poll 2025: એક્ઝિટ પોલ કેટલા સાચા ? ચૂંટણી સર્વે ક્યારે ખોટા પડ્યા છે ? જાણો સંપૂર્ણ ઇતિહાસ
ભૂતકાળની ઘણી ચૂંટણીઓ સમયનો અનુભવ સાબિત કરે છે કે એક્ઝિટ પોલ હંમેશા સાચા નથી હોતા. ઘણીબધી વાર એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો એકબીજાની વિરુદ્ધ રહ્યા છે. આ જ કારણ છે કે, આ વખતે પણ, બિહાર ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલ દ્વારા પરિણામ જાણવા માટે લોકો ઉત્સુક છે, પરંતુ તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવતા નથી.
- TV9 Gujarati
- Updated on: Nov 11, 2025
- 6:04 pm
Exit Poll Delhi Election : દિલ્હીમાં AAP ને ઝટકો, ભાજપ મેળવશે સત્તા ! કોંગ્રેસને એક કે બે બેઠક !
દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ, સામે આવી રહેલા એક્ઝિટ પોલના તારણો અનુસાર, ભાજપ દિલ્હીની ગાદી કબજે કરી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું તારણમાં જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસને દિલ્હીમાં એક કે બે બેઠક એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2025
- 7:23 pm