UPI Charges: 1 Aprilથી આ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે PPI ચાર્જ, જાણો કેટલી હશે ઈન્ટરચેન્જ ફી

આજકાલ, મોટાભાગના લોકો દરેક નાની અને મોટી ખરીદી માટે UPI દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), જે હવે UPIનું સંચાલન કરે છે તેણે એક પરિપત્ર જાહેર કર્યો છે.

UPI Charges: 1 Aprilથી આ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે PPI ચાર્જ, જાણો કેટલી હશે ઈન્ટરચેન્જ ફી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 1:36 PM

આજના સમયમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI સામાન્ય લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આજકાલ, મોટાભાગના લોકો દરેક નાની અને મોટી ખરીદી માટે UPI દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), જે હવે UPIનું સંચાલન કરે છે.

આ પણ વાંચો: ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી

NPCIએ 24 માર્ચ, 2023ના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે UPIથી વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) ફી લાગુ કરવામાં આવશે. આ નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ વેપારીઓને ટ્રાન્સફર કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. નોંધનીય બાબત એ છે કે કાર્ડ અને વોલેટ PPI હેઠળ આવે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઇન્ટરચેન્જ ફી કેટલી હશે

એક અહેવાલ મુજબ, NPCIના પરિપત્રમાં રૂ. 2,000થી વધુના વ્યવહારો પર જ આ ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ફી સામાન્ય રીતે રૂ. 2,000 થી વધુ રકમના કુલ 1.1 ટકા હશે. નોંધપાત્ર રીતે, NPCI એ વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. કૃષિ અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ચાર્જ ફક્ત એવા વપરાશકર્તાઓને ચૂકવવો પડશે જેઓ વેપારી વ્યવહારો માટે ચૂકવણી કરે છે.

કોની પાસેથી ઇન્ટરચેન્જ ફી લેવામાં આવશે નહીં ?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) ના પરિપત્ર અનુસાર, પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM) બેંક એકાઉન્ટ્સ અને PPI વૉલેટ વચ્ચેના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ કર્યા પછી, NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે.

એક દિવસમાં UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા

NPCIની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સામાન્ય ગ્રાહક સામાન્ય UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જો કે, મૂડી બજાર, કેલેક્શન, વીમો, વિદેશી ઇનવર્ડ રેમિટન્સ જેવી કેટલીક વિશેષ શ્રેણીઓના કિસ્સામાં આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની છે.

બેંકો આ મર્યાદા નક્કી કરી શકે છે

NPCI નિયમો અનુસાર બેંકો તેમના ગ્રાહકો માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની મર્યાદાઓ નક્કી કરી શકે છે. આ માટે અલગ-અલગ બેંકો પોતાના નિયમો બનાવી શકે છે. આ નિયમોમાં, ગ્રાહકો એક દિવસમાં મહત્તમ ટ્રાન્ઝેક્શન મૂલ્ય, સિંગલ ટાઇમમાં મહત્તમ ટ્રાન્ઝેક્શન અને દિવસમાં મહત્તમ વ્યવહારોની સંખ્યાને મર્યાદિત કરી શકે છે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">