AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી

સહારાના એક કરોડ રોકાણકારોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રોકાણકારો દ્વારા જમા કરાયેલા 24,000 હજાર કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા તાત્કાલિક પરત કરવામાં આવે. આ 5000 કરોડ રૂપિયા લગભગ 1.1 કરોડ રોકાણકારોને આપવામાં આવશે

ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી
Good news Crores of Sahara investors will get their money back
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:45 PM
Share

સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ તેઓ તેમના ફસાયેલા પૈસા પાછા મેળવી શકે છે. સુપ્રીમ કોર્ટે સહારા-સેબી વિવાદના 24000 કરોડના ફંડ પર સરકારની અરજી સ્વીકારી લીધી છે. વાસ્તવમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સરકારે કહ્યું હતું કે સહારા-સેબીના કુલ 24000 કરોડના ફંડમાંથી 5000 કરોડની ફાળવણી તાત્કાલિક કરવામાં આવે જેથી સરકાર રોકાણકારોને તેમના પૈસા પરત કરી શકે.

હવે સરકારની અરજી મંજૂર થયા બાદ લગભગ 1.1 કરોડ રોકાણકારો માટે તેમના નાણાં મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તે જ સમયે, સહારા માટે મુસીબતો ઉભી થઈ છે.

સેબીએ પણ રૂ. 6.57 કરોડની વસૂલાત કરી

સહારાના એક કરોડ રોકાણકારોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રોકાણકારો દ્વારા જમા કરાયેલા 24,000 હજાર કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા તાત્કાલિક પરત કરવામાં આવે. આ 5000 કરોડ રૂપિયા લગભગ 1.1 કરોડ રોકાણકારોને આપવામાં આવશે. અગાઉ ગઈ કાલે, બજાર નિયામક સેબીએ સહારા જૂથની રિયલ એસ્ટેટ કંપની પાસેથી રૂ. 6.57 કરોડની વસૂલાત કરી હતી. વાસ્તવમાં આ બાકી રકમ જૂથના વડા સુબ્રત રોય અને અન્ય ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શેર માર્કેટમાં રોકાણ શરૂ કરવા માંગો છો? તો રૂપિયા રોકતા પહેલા જાણી લો આ ટીપ્સ

શું છે સમગ્ર વિવાદ ?

અગાઉ ગયા વર્ષે જૂનમાં સહારા રૂ. 6 કરોડ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે સેબીએ જોડાણ અને વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોકાણકારોને તેમના નાણાં ટૂંક સમયમાં મળી જશે. વાસ્તવમાં સહારાનો આ વિવાદ ઘણો જૂનો છે. સહારાનું કૌભાંડ સહારા ગ્રુપની બે કંપનીઓ સહારા હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ અને સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન સાથે સંબંધિત છે.

આ કેસ 30 સપ્ટેમ્બર 2009નો છે જ્યારે સહારાએ SEBIમાં IPO માટે અરજી કરી હતી અને રોકાણકારો પાસેથી ખોટી રીતે 24000 કરોડ એકત્ર કર્યા હતા. સેબીને તેમાં ઘણી ભૂલો જોવા મળી હતી, જે પછી તે તપાસનો વિષય બની હતી. મામલો પ્રકાશમાં આવ્યા બાદ સેબીએ સહારાની બંને કંપનીઓને નાણાં એકત્ર ન કરવાનો આદેશ આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેમના નાણાં રોકાણકારોને 15 ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવે. કેટલાય લોકોની મહેનતની કમાણી સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં લાંબા સમયથી પડી છે. તેમના પૈસા મેળવવા માટે  દર-દરની ઠોકર ખાવી પડે છે. ત્યારે હવે ટૂંક સમયમાં તે તમામ લોકોને પૈસા પરત મળી જશેની માહિતી મળી રહી છે.

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">