AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી

સહારાના એક કરોડ રોકાણકારોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રોકાણકારો દ્વારા જમા કરાયેલા 24,000 હજાર કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા તાત્કાલિક પરત કરવામાં આવે. આ 5000 કરોડ રૂપિયા લગભગ 1.1 કરોડ રોકાણકારોને આપવામાં આવશે

ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી
Good news Crores of Sahara investors will get their money back
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:45 PM
Share

સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ તેઓ તેમના ફસાયેલા પૈસા પાછા મેળવી શકે છે. સુપ્રીમ કોર્ટે સહારા-સેબી વિવાદના 24000 કરોડના ફંડ પર સરકારની અરજી સ્વીકારી લીધી છે. વાસ્તવમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સરકારે કહ્યું હતું કે સહારા-સેબીના કુલ 24000 કરોડના ફંડમાંથી 5000 કરોડની ફાળવણી તાત્કાલિક કરવામાં આવે જેથી સરકાર રોકાણકારોને તેમના પૈસા પરત કરી શકે.

હવે સરકારની અરજી મંજૂર થયા બાદ લગભગ 1.1 કરોડ રોકાણકારો માટે તેમના નાણાં મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તે જ સમયે, સહારા માટે મુસીબતો ઉભી થઈ છે.

સેબીએ પણ રૂ. 6.57 કરોડની વસૂલાત કરી

સહારાના એક કરોડ રોકાણકારોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રોકાણકારો દ્વારા જમા કરાયેલા 24,000 હજાર કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા તાત્કાલિક પરત કરવામાં આવે. આ 5000 કરોડ રૂપિયા લગભગ 1.1 કરોડ રોકાણકારોને આપવામાં આવશે. અગાઉ ગઈ કાલે, બજાર નિયામક સેબીએ સહારા જૂથની રિયલ એસ્ટેટ કંપની પાસેથી રૂ. 6.57 કરોડની વસૂલાત કરી હતી. વાસ્તવમાં આ બાકી રકમ જૂથના વડા સુબ્રત રોય અને અન્ય ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શેર માર્કેટમાં રોકાણ શરૂ કરવા માંગો છો? તો રૂપિયા રોકતા પહેલા જાણી લો આ ટીપ્સ

શું છે સમગ્ર વિવાદ ?

અગાઉ ગયા વર્ષે જૂનમાં સહારા રૂ. 6 કરોડ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે સેબીએ જોડાણ અને વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોકાણકારોને તેમના નાણાં ટૂંક સમયમાં મળી જશે. વાસ્તવમાં સહારાનો આ વિવાદ ઘણો જૂનો છે. સહારાનું કૌભાંડ સહારા ગ્રુપની બે કંપનીઓ સહારા હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ અને સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન સાથે સંબંધિત છે.

આ કેસ 30 સપ્ટેમ્બર 2009નો છે જ્યારે સહારાએ SEBIમાં IPO માટે અરજી કરી હતી અને રોકાણકારો પાસેથી ખોટી રીતે 24000 કરોડ એકત્ર કર્યા હતા. સેબીને તેમાં ઘણી ભૂલો જોવા મળી હતી, જે પછી તે તપાસનો વિષય બની હતી. મામલો પ્રકાશમાં આવ્યા બાદ સેબીએ સહારાની બંને કંપનીઓને નાણાં એકત્ર ન કરવાનો આદેશ આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેમના નાણાં રોકાણકારોને 15 ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવે. કેટલાય લોકોની મહેનતની કમાણી સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં લાંબા સમયથી પડી છે. તેમના પૈસા મેળવવા માટે  દર-દરની ઠોકર ખાવી પડે છે. ત્યારે હવે ટૂંક સમયમાં તે તમામ લોકોને પૈસા પરત મળી જશેની માહિતી મળી રહી છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">