કાનુની સવાલ : બેંક ખાતાધારકના મૃત્યુ પછી જમા થયેલા પૈસા કોને મળશે? જાણો વિસ્તારથી
ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં બેંક તેના ખાતામાં જમા થયેલા બધા પૈસા તે વ્યક્તિને આપે છે જેને ખાતાધારકે નોમિની બનાવ્યો હોય.જો તમે ઇચ્છો તો, તમે તમારી પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, ભાઈ, બહેન કોઈપણને તમારા બેંક ખાતા માટે નોમિની બનાવી શકો છો.

આપણે બધા પરિવારના ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. ત્યારે બેંકોના નિયમ અનુસાર જો કોઈ અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થાય છે. તો તેના ખાતામાં રહેલા પૈસા કોને આપવામાં આવે છે.

આજની વધતી મોંઘવારીમાં દરેક વ્યક્તિને સેવિંગ કરવું જરુરી બન્યું છે. આ માટે તમારું એક સેવિંગ અકાઉન્ટ હોવું જરુરી છે. બેન્ક અકાઉન્ટ વગર કોઈ પણ નાંણાકીય લેવડ-દેવડ સરળ નથી.કેટલીક સરકારી યોજનાઓ પણ છે. જેનો લાભ બેન્ક અકાઉન્ટ હોલ્ડર્સને પણ મળે છે.

બેન્ક આપણા મહેનતની કમાણીના પૈસા પોતાની પાસે સુરક્ષિત રાખે છે અને આપણે સરકારી વ્યાજ દરોના હિસાબથી ઈટરેસ્ટ પણ આપે છે.

બેન્કમાં અકાઉન્ટ ખોલાવતી વખતે આપણે આપણા પરિવારમાંથી કોઈને નોમિની બનાવવા પડે છે. જે લોકોના લગ્ન થયા હોય છે. તે પોતાની પત્ની કે પતિ અને સિંગલ હોય તો તેમના માતા પિતાને નોમિની બનાવે છે. પરંતુ કેટલાક લોકો નોમિની વગર બેન્ક અકાઉન્ટ બનાવે છે. જેનાથી ક્યારેક અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આવા ખાતાધારકોના કોઈપણ કારણોસર અચાનક મૃત્યુ પછી, તેમના પરિવાર માટે બેંક ખાતામાં જમા રકમનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે.અમે વાત કરવા જઈ રહ્યા છીએ નોમિની વગરના બેન્ક અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થઈ જાય છે. તો તેના પરિવારમાંથી કોને બધી રકમ મળી શકે અને આવા અકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે કાઢી શકાય છે.

બેન્ક જ્યારે તમારું સેવિંગ અકાઉન્ટ કે અન્ય બેન્ક અકાઉન્ટ ઓપન કરે છે. તો તમારી પાસે નોમિનીની ડિટેલ માંગે છે અને તમારે તમારા બેન્ક અકાઉન્ટમાં તમારા નોમિનીની તમામ ડિટેલ આપવી પડે છે. જેનાથી અકાઉન્ટ હોલ્ડરના મૃત્યું બાદ નોમિની આ અકાઉન્ટ પર કાનુની રુપથી હક મેળવી શકે છે.

પરંતુ નોમિની વિનાના ખાતા પરના અધિકારો મેળવવા માટે, વ્યક્તિએ લાંબું પેપર વર્ક અને કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેમાં એક કે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
