મોબાઈલને એક અઠવાડિયામાં કેટલી વાર રિસ્ટાર્ટ કરવો જોઈએ, તેનાથી શું થાય છે ફાયદો
આપણે બધા જ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે.ઘણા લોકો લાંબા સમયથી એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. તો તમારે હેંગિગ સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે.આવી સ્થિતિમાં લાંબા સમય પછી મોબાઇલ ઉપકરણોને ઠીક રાખવા માટે થોડી જાળવણી જરૂરી છે.ફોનને સરળતાથી કામ કરતું રાખવા માટે તેને સમયાંતરે રીબૂટ કરવું જરૂરી છે.

એન્ડ્રોઇડ અને આઇફોનને અઠવાડિયામાં 3 વખત રીબૂટ કરવા જોઈએ. અને ઓછામાં ઓછા એક વખત રીબૂટ કરવા જોઈએ

મોબાઈલમાં અનેક એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશને કિલ કરે છે.છતા અનેક એપ્લિકેશન એવી હોય છે જે બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે. જેથી ફોનને રિસ્ટાર્ટ કરવાથી રેમ ખાલી થાય છે.

ફોનમાં એક સાથે અનેક એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાથી ઘણી વાર ફોન હૈંગ થતો હોય છે. જેના પગલે ફોનનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તમે ફોનને રિસ્ટાર્ટ કે રિબોર્ટ કરો છો તો ફોન સ્મૂથ પરફોર્મસ કરે છે.

જ્યારે નેટવર્ક ન મળે ત્યારે મોબાઇલ ઉપકરણો આપમેળે કનેક્શન શોધવાનું શરૂ કરે છે.જ્યાં નેટવર્ક કવરેજ સારું નથી ત્યાં ફોનને એરપ્લેન મોડ પર રાખવો વધુ સારું છે.તો ફોન રિબૂટ કરવાથી વીક સિગ્નલની સમસ્યાનો પણ અંત લાવી શકે છે.

કોઈ પણ ફોનમાં બેટરી એક અગત્યનો ભાગ ભજવે છે. જેથી યોગ્ય સમયે ફોનને રિબૂટ કરવામાં આવે છે. તો તેની બેટરીની લાઈફ વધી શકે છે. Wi-Fi અને બ્લૂટૂથ કનેક્શન ઓન રાખવાથી બેટરીનો વ્યય થાય છે.જેથી જ્યારે જરુર ના હોય ત્યારે તેને બંધ કરવાથી બેટરીનો વ્યય થતો અટકે છે. ( All pic - Fixtel )
