Women’s health : પ્રેગ્નન્સીમાં કોરોના થાય તો શું કરવું ? ડૉક્ટર પાસેથી મહત્વપૂર્ણ ટિપ્સ જાણો
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. જો તમને પ્રેગ્નેન્સીમાં કોરોના થયો છે, તો ગભરાશો નહીં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો, હાઇડ્રેટેડ રહો અને આરામ કરો. નિયમિત દેખરેખ પણ જરૂરી છે.

ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરે જણાવ્યું હતું કે હાલમાં કોરના ના વેરિઅન્ટ વિશે ગભરાવાની જરૂર નથી, પરંતુ વૃદ્ધો, ગંભીર રોગોથી પીડિત લોકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને સગર્ભા સ્ત્રીઓએ સાવધાની રાખવાની જરૂર છે.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોરોના ગર્ભવતી સ્ત્રીઓ અને ગર્ભમાં ઉછરતા બાળક માટે કેટલો ખતરનાક બની શકે છે અને જો પ્રેગ્નન્સી દરમિયાન કોવિડ થાય તો સ્ત્રીઓએ શું કરવું જોઈએ.

સૌથી પહેલું પ્રેગ્નેન્ટ મહિલાઓએ કોરોનાથી સાવચેત રહેવું જોઈએ. આ દરમિયાન જો કોઈ વાયરલ તાવ, શરદી ,ઉધરસ જેવી સમસ્યા થાય તો હળવામાં ન લેવું જલ્દી ડોક્ટરનો સંપર્ક કરવો.

પ્રેગ્નન્સીમાં મહિલાઓની ઈમ્યુનિટી થોડી નબળી પડી જાય છે. જેનાથી વાયરસ શરીરને જલ્દી અસર કરે છે. થાક લાગવો, ડિહાઈડ્રેશન, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.જો ઓક્સીજન લેવલ ઓછું હોય તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોચી શકે છે.

જો સમયસર કોરોનાની પુષ્ટિ થાય તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ, આરામ અને હેલ્ધી ખોરાક લેવાથી આ ભય ઘણી હદ સુધી ટાળી શકાય છે.જો તમારા પરિવારમાં કોઈને કોરોના થયો છે. તો તેનાથી સોશિયલ ડિસ્ટન્સ જરુર રાખો.

દિવસભર કોવિડ સંબંધિત સમાચાર જોવાનું ટાળો અને સગર્ભા સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ડિજિટલ ડિટોક્સ પણ મહત્વપૂર્ણ છે.દરરોજ ધ્યાન કરો. દિવસમાં 10-15 મિનિટ ધ્યાન કરવાથી મન શાંત રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
