Women’s health : જો તમે મિસકરેજ પછી ફરીથી પ્રેગ્નેન્સીનું આયોજન કરી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી
તમે પણ મિસકરેજ બાદ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહ્યા છો. તો કેટલીક વાતનું પહેલાથી ધ્યાન રાખવું ખુબ જરુરી છે. તો ચાલો ડોક્ટર પાસેથી જાણીએ કે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

મિસકરેજ બાદ પ્રેગ્નેન્સી પ્લાન કરવો તમારા માટે થોડું મુશ્કેલ હોય શકે છે.શારીરિક પડકારોની સાથે-સાથે તમારે કેટલાક માનસિક પડકારોનો પણ સામનો કરવો પડે છે. આ ડરને કારણે મહિલાઓ બીજી વખત પ્રેગ્નેન્સી પ્લાન કરી શકતી નથી. પણ તમને જણાવી દઈએ કે, મિસકરેજ બાદ પણ માતા બનવું સરળ છે. પરંતુ કેટલીક વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

ડોક્ટર જણાવે છે કે, અબોર્શનના 6 મહિના પછી ફરીથી કંસીવ (બાળકનું પ્લાનિંગ ) કરવાની સલાહ આપે છે પરંતુ સામાન્ય કેસોમાં આ અંતર રાખવામાં આવે છે. જો માતાને કોઈ શારીરિક સમસ્યા હોય અથવા કોઈ રોગની સારવાર ચાલી રહી હોય, તો સારવારના અંતર અનુસાર બાળકનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.

કારણ કે, બાળકનું પ્લાનિંગ કરતી વખતે મહિલાનું શરીર હેલ્ધી હોવું પણ જરુરી છે. કારણ કે, જો પ્રેગ્નેન્સીના શરુઆતના 3 મહિના આરામથી પસાર ન થાય તો બીજી વખત મિસકરેજનો ખતરો વધી શકે છે. કારણ કે, આ સમયે હજુ ભ્રૂણ વિકસિત થયું હોતું નથી.

મિસકરેજ બાદ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહ્યા છો તો પતિ-પત્નીને કેટલાક જરુરી ટેસ્ટ કરાવવા જોઈએ, પતિ-પત્ની બંન્નેના એગની ક્વોલિટીની તપાસ કરવી જોઈએ. આ સિવાય પતિ -પત્ની થાઈરોડ, બ્લડ શુગર, આરએચ ફેક્ટર, એચઆઈવી,સીબીસી વગેરે ટેસ્ટ કરાવવા જોઈએ.

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને ચાઇનીઝ ફુડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આનું મુખ્ય કારણ અજીનોમોટો છે. અજીનોમોટોમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અને પ્રેગ્નેન્સી દરમિયાન સોડિયમનું સેવન ઓછું કરવું પડે છે. વધુ પડતું ખાવાથી પેટનું ફૂલવું અને અસ્વસ્થતા થાય છે. તે બાળકના મગજ પર પણ અસર કરે છે.

જો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તમારે જંક ફુડથી દુર રહેવું જોઈએ, લોકો સ્ટ્રીટ ફુડને અવોઈડ કરતા નથી. પરતુ વધારે ચાઈનીઝ સ્ટ્રીટ ફુડમાં અજીનોમોટો મેળવવામાં આવે છે. જેનાથી મિસકરેજનો ખતરો વધી જાય છે.જંકફુડથી તમારું વજન વધી જાય છે. મિસકેરેજ બાદ ફરી બેબી પ્લાન કરવામાં થોડી પરેશાની આવી શકે છે.

જો તમે પણ મિસકરેજ બાદ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહ્યા છો.તો તમારે આ બધી વાતનું ધ્યાન રાખવું જરુરી છે.મિસકરેજ બાદ ડોક્ટર અંદાજે 3 મહિના સુધી શારીરિક સંબંધ ન બાંધવાની સલાહ આપે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































