Monkeypox: મંકીપોક્સ અંગે કેન્દ્ર સરકારનું એલર્ટ, રાજ્યો માટે જાહેર માર્ગદર્શિકા, 21 દિવસ સુધી દર્દીઓ પર રહેશે નજર

Monkeypox: કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણ વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સ પણ ફેલાઈ રહ્યો છે. શંકાસ્પદ દર્દીના સેમ્પલને તપાસ માટે નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ, પૂણેમાં મોકલવામાં આવશે.

Monkeypox: મંકીપોક્સ અંગે કેન્દ્ર સરકારનું એલર્ટ, રાજ્યો માટે જાહેર માર્ગદર્શિકા, 21 દિવસ સુધી દર્દીઓ પર રહેશે નજર
Monkeypox Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 7:43 PM

કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણ વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સ (Monkeypox) પણ ફેલાઈ રહ્યો છે. શીતળાની પ્રજાતિના આ રોગથી મોટી સંખ્યામાં લોકો પીડિત છે. આ દરમિયાન, ભારતમાં મંકીપોક્સના જોખમને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારે માર્ગદર્શિકા જાહેર કરી છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા હેઠળ મંકીપોક્સના દર્દીઓ પર 21 દિવસ સુધી નજર રાખવામાં આવશે.

માર્ગદર્શિકા મુજબ, આ 21 દિવસની શરૂઆત એ દિવસથી ગણવામાં આવશે કે જે દિવસે વ્યક્તિ દર્દી અથવા તેની કોઈપણ વસ્તુના સંપર્કમાં આવ્યો હશે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિનું ઓછામાં ઓછું દરરોજ નિરીક્ષણ કરવું જોઈએ. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ નથી. પરંતુ જ્યારે શંકાસ્પદ દર્દીની જાણ થશે, ત્યારે તેના નમૂનાને તપાસ માટે પૂણેની નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવશે. આ સેમ્પલ ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક હેઠળ મોકલવામાં આવશે.

મંકીપોક્સ 24 દેશોમાં ફેલાયો

આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું હતું કે ભારત મંકીપોક્સના ખતરાને ધ્યાનમાં રાખીને તૈયાર છે. તેમણે માહિતી આપી હતી કે બાળકો આ રોગ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. મળતી માહિતી મુજબ આ દિવસોમાં મંકીપોક્સની બીમારી આખી દુનિયામાં ફેલાઈ રહી છે. અત્યાર સુધીમાં 24 દેશોમાં તેના કેસ નોંધાયા છે. આ દેશોમાં નોંધાયેલા કેસોની સંખ્યા 400ને વટાવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તેના કેસ વધી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બ્રિટનમાં 21 દિવસ માટે ક્વોરેન્ટાઇન

બ્રિટનમાં પણ મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અઠવાડિયે ઈંગ્લેન્ડમાં મંકીપોક્સના 71 કેસ નોંધાયા છે. આ સાથે બ્રિટનમાં મંકીપોક્સના કુલ કેસોની સંખ્યા વધીને 179 થઈ ગઈ છે. બ્રિટનમાં સરકાર દ્વારા એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે જે પણ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળશે તેને 21 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.

મંકીપોક્સથી મૃત્યુ પામેલા લોકો

આ વર્ષે કોંગોમાં મંકીપોક્સના કારણે 9 લોકોના મોત થયા છે. સોમવાર સુધીમાં, કોંગોમાં મંકીપોક્સના 465 કેસની પુષ્ટિ થઈ છે. નાઇજીરીયામાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુ નોંધવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાન સરકારે તે અહેવાલોને ખોટા ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">