કોંગ્રેસે કલમ 370થી કર્યુ લાંંબુ અંતર, ચૂંટણી ઢંઢેરામાં કોઈ જ ઉલ્લેખ નહીં, સાથી પક્ષ નેશનલ કોન્ફરન્સ હટાવવા મક્કમ

|

Sep 17, 2024 | 2:25 PM

જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરાયેલ બંધારણની કલમ 370 પર કોંગ્રેસે હવે મૌન સેવ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટોમાં, કલમ 370નો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી. જ્યારે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના સહયોગી પક્ષ એવા નેશનલ કોન્ફરન્સ 370 પાછી લાદવા માટે અવાજ ઉઠાવી રહી છે. નેશનલ કોન્ફરન્સ મોદી સરકાર પર આ મુદ્દે સતત પ્રહારો કરી રહી છે. સવાલ એ થાય છે કે કોંગ્રેસના વલણમાં ક્યારે અને શા માટે બદલાવ આવ્યો. છેવટે, તે આ મુદ્દા પર સલામત અંતર રાખીને ગેમ રમી રહી છે ?

કોંગ્રેસે કલમ 370થી કર્યુ લાંંબુ અંતર, ચૂંટણી ઢંઢેરામાં કોઈ જ ઉલ્લેખ નહીં, સાથી પક્ષ નેશનલ કોન્ફરન્સ હટાવવા મક્કમ

Follow us on

જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના ગઈકાલે છેલ્લા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370નો કોઈ ઉલ્લેખ નથી. આ તે મુદ્દો છે કે જેના પર કાશ્મીરના પ્રાદેશિક પક્ષો અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના સહયોગી નેશનલ કોન્ફરન્સે પણ તેને તેના ઢંઢેરામાં કલમ 370ને સ્થાન આપ્યું છે.

શ્રીનગરમાં મેનિફેસ્ટો બહાર પાડતા, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ, જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની વાત કરી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો કોંગ્રેસ અને તેના સહયોગીઓને મત આપીને તેમનો અધિકાર મેળવશે. કોઈ બીજાને મત આપવાનો અર્થ એ થશે કે તે ભાજપને મદદ કરી રહ્યા છે. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે પવન ખેડાની સાથે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ પણ હતા.

કોંગ્રેસ 370 પર મૌન

ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરાયેલી કલમ 370ની પાછી લાદવા અંગે કોંગ્રેસ નેતૃત્વએ મૌન જાળવી રાખ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ગયા મહિને કાશ્મીરની મુલાકાત દરમિયાન આ વિષય પર બોલવાનું ટાળ્યું હતું. આટલું જ નહીં, જ્યારે ભારત જોડો યાત્રા પૂરી થઈ ત્યારે પણ રાહુલ ગાંધીને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કંઈ બોલ્યા ના હતા. આ સિવાય ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કોંગ્રેસે કલમ 370 પર કંઈ કહ્યું ના હતું. અભિષેક મનુ સિંઘવી, પી ચિદમ્બરમ જેવા નેતાઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રાખશે.

રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ

હવે વાત કરીએ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી વચનોની. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને નોકરીઓ, સરકારી કરારો, જમીનની ફાળવણી માટે પ્રથમ પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું છે. એક લાખ ખાલી પડેલી સરકારી નોકરીઓ ભરવાના વચન ઉપરાંત, કોંગ્રેસે યુવાનોને એક વર્ષ માટે દર મહિને 3,500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું વચન પણ આપ્યું છે. ઉચ્ચ શિક્ષણ માટે કોંગ્રેસે કહ્યું કે તે પ્રવેશ પ્રક્રિયા પર પુનર્વિચાર કરશે.

આ રીતે કોંગ્રેસ 370થી દૂર જવા લાગી

મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં મોદી સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો. 6 ઓગસ્ટ, 2019 ના રોજ, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ કલમ 370 હટાવવાની રીતને લઈને મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો.

CWCએ દલીલ કરી હતી કે, કલમ 370 એ 1947માં જમ્મુ અને કાશ્મીર અને ભારત વચ્ચેના જોડાણના સાધનની શરતોની બંધારણીય માન્યતા હતી. CWCએ કહ્યું કે તે આદરને પાત્ર છે સિવાય કે તેમાં તમામ વર્ગના લોકો સાથે પરામર્શ કર્યા પછી અને નિયમો અનુસાર કડક રીતે સુધારો કરવામાં ન આવે.

4 ઓગસ્ટ 2019 ના રોજ, PDP અને કોંગ્રેસ સહિત જમ્મુ અને કાશ્મીરના અન્ય પક્ષો શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને મળ્યા હતા. તેઓએ અનુચ્છેદ 370 ના બચાવ પર ગુપકર ગઠબંધનના નામે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.

કલમ 370 નાબૂદ કર્યાના એક વર્ષ પછી, કોંગ્રેસ સહિત આ પક્ષોના નેતાઓ ફરી મળ્યા, જેમાં તેઓએ કહ્યું કે તેઓ કલમ 370ની પુનઃસ્થાપના માટે પ્રયત્નો કરશે. જો કે, નવેમ્બર 2020 માં, કોંગ્રેસે કહ્યું કે તે ગુપકર ગઠબંધનનો ભાગ નથી.

કોંગ્રેસનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સાથે મળીને આ ગઠબંધન જમ્મુ-કાશ્મીરને ફરી આતંક અને અશાંતિના યુગમાં લઈ જવા માંગે છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સના જોડાણને અપવિત્ર ગઠબંધન ગણાવતા શાહે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે (ગુપકર ગઠબંધન) વિદેશી શક્તિઓ જમ્મુ અને કાશ્મીરમાં હસ્તક્ષેપ કરે. ત્યારથી, કોંગ્રેસ કલમ 370 પર તેના સ્ટેન્ડને લઈને સતર્ક છે. કદાચ જનતાના મૂડને સમજીને અને ઘણા નેતાઓના મંતવ્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાનું વલણ બદલ્યું છે.

Next Article