1947માં પેટ્રોલ, સોનું, ખાંડ અને ચોખાનો ભાવ શું હતો ? આઝાદી બાદ મોંઘવારી કેટલી વધી ?
તમે તમારા દાદા-દાદી પાસેથી પણ સાંભળ્યું હશે કે, અમારા જમાનામાં અમને આ વસ્તુ કે પેલી વસ્તુ બે આનામાં મળતી હતી. દરેક પાછલી પેઢીને લાગે છે કે વર્તમાન સમયમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. ત્યારે આ લેખમાં કેટલીક વસ્તુઓની વર્તમાન કિંમતની તુલના આઝાદીના સમયની કિંમત સાથે કરીએ તો ખ્યાલ આવશે કે, 77 વર્ષમાં દેશમાં આ વસ્તુઓની કિંમતો કેટલી વધી છે.

આજે ભારતને ઉભરતા સુપરપાવર તરીકે જોવામાં આવે છે. જો કે, 77 વર્ષની આ સફર એટલી સરળ નથી રહી. અનેક સમસ્યાઓ આજે પણ દેશ માટે મુસીબતનું કારણ બનેલી છે. આમાંની એક મોંઘવારી છે. વધતી કિંમતો એ આજના ભારતની સૌથી મોટી ચિંતાઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે મોંઘવારી કેટલી હતી ? આજે અમે તમને 1947માં કેટલીક ખાસ વસ્તુઓની કિંમતો વિશે જણાવીશું જેના ભાવ આજે સતત વધી રહ્યા છે. તમે તમારા દાદા-દાદી પાસેથી પણ સાંભળ્યું હશે કે, અમારા જમાનામાં અમને આ વસ્તુ કે પેલી વસ્તુ બે આનામાં મળતી હતી. દરેક પાછલી પેઢીને લાગે છે કે વર્તમાન સમયમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. આપણી જ વાત કરીએ તો આપણી નજર સમક્ષ છેલ્લા એક દાયકામાં ખાંડ, ચોખા, લોટ, સોનું, ચાંદી જેવી...
