AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Farming: ઈઝરાયેલના ખેડૂતો કેવી રીતે કરે છે ખેતી? જાણો કેમ અહીંની એગ્રીકલ્ચર ટેકનોલોજીને અપનાવી રહ્યા છે વિશ્વના દેશ

ઈઝરાયેલના 60 ટકા જમીન વિસ્તારમાં રણ છે અને પાણીની ખૂબ જ અછત છે. ઈઝરાયેલમાં જમીનની અછત હોવાથી ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો છે. આધુનિક ખેતી માટે આ એક નવી પદ્ધતિ છે. વિશ્વની કુલ વસ્તીના અડધાથી વધારે લોકો શહેરમાં રહે છે.

Israel Farming: ઈઝરાયેલના ખેડૂતો કેવી રીતે કરે છે ખેતી? જાણો કેમ અહીંની એગ્રીકલ્ચર ટેકનોલોજીને અપનાવી રહ્યા છે વિશ્વના દેશ
Agriculture Technology
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 3:53 PM
Share

ઈઝરાયેલ (Israel) હાલમાં યુદ્ધને લઈને ચર્ચામાં છે. પરંતુ આ સાથે ઈઝરાયેલ ખેતીને (Agriculture) લઈને પણ સમાચારોમાં રહે છે. ઇઝરાયેલ તેની એગ્રીકલ્ચર ટેકનોલોજીના કારણે સમગ્ર દુનિયામાં ફેમસ છે. હાલમાં ખેતી પડકારરૂપ બની રહી છે, ભારે ગરમીના કારણે કે ભારે વરસાદના કારણે કે પછી દુષ્કાળના કારણે તો ક્યાંક જમીનના અભાવે મુશ્કેલી આવી રહી છે. ઈઝરાયેલ એક એવો દેશ છે, જેણે વિશ્વમાં નવી એગ્રી ટેકનોલોજી રજૂ કરી છે.

ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો

ઈઝરાયેલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે. ઈઝરાયેલનો 60 ટકા જમીન વિસ્તારમાં રણ છે અને પાણીની ખૂબ જ અછત છે. ઈઝરાયેલમાં જમીનની અછત હોવાથી ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો છે. આધુનિક ખેતી માટે આ એક નવી પદ્ધતિ છે. વિશ્વની કુલ વસ્તીના અડધાથી વધારે લોકો શહેરમાં રહે છે. ગાઢ શહેરોમાં લોકોએ આ તકનીક પર વધુ ધ્યાન આપ્યું છે.

શાકભાજી ઉગાડવા માટે કરે છે ઉપયોગ

વર્ટિકલ ફાર્મિંગની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દિવાલને નાના ખેતરમાં ફેરવી શકાય છે. ઘણા લોકો તેનો ઉપયોગ દિવાલોની સજાવટ માટે કરે છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કરે છે. ઘઉં, ચોખા જેવા અનાજની સાથે દિવાલ પર શાકભાજી પણ ઉગાડી શકાય છે.

રણમાં કરે છે મત્સ્યપાલન

રણમાં મત્સ્યપાલન કેવી રીતે થઈ શકે, પરંતુ GFA ની એડવાન્સ ટેક્નોલોજી એટલે કે Grow Fish Anywhere દ્વારા તે શક્ય બન્યું છે. ઇઝરાયેલની ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમે મત્સ્યપાલન માટે વીજળી અને હવામાનના અવરોધો દૂર કર્યા છે. આ પદ્ધતિમાં માછલીને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે, જેને રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ કહેવામાં આવે છે.

પાણીની થાય છે બચત

વર્ટિકલ ફાર્મિંગથી છોડને આપવામાં આવતા પાણીની માત્રા નિયંત્રિત થાય છે અને પાણીની બચત પણ થાય છે. આ પ્રકારની સિંચાઈ વ્યવસ્થાને કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઈઝરાયેલની એગ્રી ટેકનોલોજીમાં વર્ટિકલ ફાર્મિંગમાં સૌથી વધાર ફેમસ છે. આ ઉપરાંત હાઇડ્રોપોનિક્સ, એક્વાપોનિક્સ અને એરોપોનિક્સ પણ પ્રચલિત છે.

આ પણ વાંચો : Israel-Palestine War : ઈઝરાયેલની 300 થી વધુ કંપનીઓનું ભારતમાં રોકાણ, હીરાથી લઈને હથિયારો સુધીનો છે બિઝનેસ

હાઇડ્રોપોનિક્સ ટેકનિકમાં માટીનો ઉપયોગ થતો નથી અને તેના વિના પાણીમાં છોડ ઉગાડવામાં આવે છે. એરોપોનિક્સમાં, છોડ માત્ર હવામાં ઉગાડવામાં આવે છે. એરોપોનિક્સનો હાલમાં બહુ ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હાઈડ્રોપોનિક્સ અથવા એક્વાપોનિક્સમાં લોકોનો રસ વધ્યો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">