Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત (Gujarat )વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે કોંગ્રેસે અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

Surat : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે
Ashok Gehlot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:40 AM

તારીખ 16 ઓગસ્ટે એટલે કે આજે રાજસ્થાનના(Rajasthan ) મુખ્યમંત્રી અશોક ગેહલોત સુરતના (Surat )મહેમાન બનશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress )સમિતિની આગામી વિધાનસભાની ચૂંટણીમાં “મારુ બૂથ-મારુ ગૌરવ” કાર્યક્રમ અંતર્ગત એક બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક સીએમ અશોક ગેહલોત ભાગ લેવાના છે અને તેઓ દક્ષિણ ગુજરાતના મહત્વના નેતાઓ સાથે મહત્વની બેઠક પણ કરવા જઈ રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે 11:30 કલાકે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રાઠવા ખાસ ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે :

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. અશોક ગેહલોત આજે રાજસ્થાનથી સીધા સુરત આવી પહોંચશે. તેઓ સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને મળવાના છે. તેઓ 16મીએ બપોરે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને તે બાદ 16 ઓગસ્ટની રાત્રે વડોદરા પહોંચશે. 17મીએ અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરવાના છે. તેઓ 17મીએ બપોરે અમદાવાદ પહોંચશે. જ્યાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. તેઓ 18મીએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ કરશે અને ચૂંટણી ઢંઢેરા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ડિજિટલ પ્રચારની શરૂઆત પણ કરશે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

કોંગ્રેસે અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપી

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે કોંગ્રેસે અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને પણ હિમાચલ પ્રદેશના સિનિયર નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય  રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તે ભૂપેશ બઘેલ સાથે પડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર દેખરેખ રાખશે. આ સિવાયઅન્ય નેતાઓમાં  છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને પણ  નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">