સફેદ મૂસળી: ડાંગમાં 350 ખેડુતોએ કંડારી સફેદ મૂસળીની ખેતીની સફળતા, ઓષધિય ઉપયોગને આવકમાં ફેરવી મોટા પાયે કમાણી

ચોમાસા(Monsoon)ની ઋતુમાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળી(Safed Musli) ની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક(Healthy) ઔષધિ માનવામાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માગ છે

સફેદ મૂસળી: ડાંગમાં 350 ખેડુતોએ કંડારી સફેદ મૂસળીની ખેતીની સફળતા, ઓષધિય ઉપયોગને આવકમાં ફેરવી મોટા પાયે કમાણી
Success of White Musli Cultivation by 350 Farmers in Dangs, Turning Medicinal Uses into Income
Follow Us:
| Updated on: Jul 14, 2021 | 7:41 PM

સફેદ મૂસળી: ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી જિલ્લો છે અહીંયા ઔષધિ(Herbs)ઓ નો ખજાનો છે, લોકો રોજિંદા વપરાશમાં વનઔષધી નો ઉપયોગ કરતાં હોય છે જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. હાલ ચોમાસા(Monsoon)ની ઋતુમાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળી(Safed Musli) ની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક(Healthy) ઔષધિ માનવામાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માગ છે.

ડાંગ જિલ્લાનું ભવાડી ગામ આ ગામ હવે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. કેમકે આ ગામમાં શક્તિ વર્ધક સફેદ મૂસળી ની ખેતી થાય છે. ગામના જયેશભાઇ મોકાસી એ શરૂ કરેલ આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે. અને લાખો રૂપિયાની આવક મેળવી પોતાનું જીવન સધ્ધર કરી રહ્યા છે. ગુજરાતના ડાંગ(Dang) સહિત મધ્યપ્રદેશ,પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળી ઊગે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મૂસળી બે પ્રકારની હોય છે, સફેદ મૂસળી અને કડવી જેને ડાંગમાં જંગલની ભાજી પણ કહેવામાં આવે છે. ચોમાસાની શરૂઆત સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે, એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 350 જેટલા નાના મોટા ખેડૂતો સરકારી યોજના ના લાભ સાથે કે પોતાની રીતે કુલ 40 થી વધુ એકરમાં સફેદ મુસળીની ખેતી કરે છે. એક કિલો સફેદ મૂસળી 1200 થી 1400 રૂપિયામાં વેચાય છે એટલે અંદાજે ડાંગ જિલ્લાના ખેડૂતો દર વર્ષે સફેદ મુસળીની ખેતી કરીને કરોડો રૂપિયાની આવક મેળવે છે.

જેના કારણે તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ખેડૂતો સફેદ મૂસળીના પાકને નજીકના જિલ્લાઓમાં છૂટક તેમજ દવા બનાવતી કંપનીઓમાં વેચી ને સારી એવી આવક મેળવે છે. ડાંગ જિલ્લામાં સરકારી આયુર્વેદિક ઔષધિ બનવવામાં આવેછે જે રાજ્યની સરકારી દરેક આયુર્વેદિક હોસ્પિટલોમાં દવા પહોંચાડે છે. જ્યાં સફેદ મૂસળી માંથી બનતી દવા શક્તિમાન ની બજારમાં ખૂબ માગ છે.

સમય ની સાથે રહીને ડાંગના લોકો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે સાથે સાથે પરંપરાગત ખેતી પણ કરી રહ્યા છે. ડાંગના વનવિભાગ દ્વારા પણ આર્થિક રીતે નબળા ખેડૂતોને બિયારણ પૂરું પાડીને આ પ્રકારની ખેતી કરવામાં માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત પણ સરકારની જુદી જુદી યોજનાઓ થકી ડાંગના તમામ ખેડૂતો આ પ્રકારે ખેતી કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તેવા પ્રયત્નો કરે છે અને લોકોને એ માટે અપીલ પણ કરી રહ્યા છે.

સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે કરે છે. આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">