રાજકોટમાં નવા બનેલા 150 ફુટ રોડ પર પડ્યા દોઢ-દોઢ ફુટના ખાડા, ખખડધજ રસ્તાથી વાહનચાલકો ત્રસ્ત- જુઓ Video

રાજકોટમાં તાજેતરમાં જ નવા બનાવાયેલા રોડ પર ખાડારાજ જોવા મળ્યુ છે. નવા 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા પડી ગયા છે. સ્માર્ટસિટીની બાજુમાં આવેલા અડધો કિમીના આ રોડ ખખડધજ બનતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 25, 2024 | 4:11 PM

રાજકોટ મહાનગર પાલિકાની કામગીરી કેવી છે તે તાજેતારમાં જ બનાવાયેલા આ રોડની સ્થિતિ જોઈને સમજી શકાય છે. નવા બનેલા 150 ફુટ રિંગ રોડ પર હાલ ખાડારાજ જોવા મળી રહ્યુ છે. અડધો કિલોમીટર વિસ્તારમાં આ રોડ એટલી હદે ખખડધજ બન્યો છે કે વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકોને કમર અને મણકાના દુખાવા સહિતની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. અહીંથી વાહન લઈને નીકળવુ એ જીવ પડીકે બાંધીને નીકળવા જેવુ છે. સ્હેજ પણ જો આમતેમ થયા તો વાહનસાથે તમે ધબાય નમ:થઈ શકો છે.

હજારો ભારે વાહનો જ્યાંથી પસાર થાય છે એ રોડ ખખડધજ હાલતમાં

પાલિકાના ભ્રષ્ટ વહીવટને પાપે શહેરીજનો ખાડામાં હિલોળા લેવા લાચાર બની રહ્યા છે. આ રોડ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે છતા તંત્રને રોડની મરમ્મત કરાવવાનુ હજુ સૂજતુ નથી. ખાડાગ્રસ્ત રોડમાં વાહનો ચલાવવાથી લોકોના વાહનોને પણ પારાવાર નુકસાન થઈ રહ્યુ છે. શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતુ તંત્ર નામ માત્રની પણ સુવિધા પણ નથી આપી શકતુ. તાજેતરમાં જ બનાવાયેલા રોડની જો આ સ્થિતિ હોય તો જુના રોડનુ તો પૂછવુ જ શું. દર વર્ષે ચોમાસે આ પ્રકારે જ રોડ બેસી જવા, રસ્તા ધોવાઈ જવા, રસ્તા પર મસમોટા ખાડા પડવા સહિતની સમસ્યાઓનો શહેરીજનોને સામનો કરવો પડે છે. પરંતુ તંત્ર તેના ભ્રષ્ટ વહીવટમાંથી બહાર નથી આવતુ.

150 ફુટ રિંગ રોડ પર પડ્યા દોઢ દોઢ ફુટના ખાડા

આ રોડથી અડધા કિલોમીટરના અંતરેથી જ સ્માર્ટ સિટી શરૂ થઈ જાય છે ત્યારે સ્માર્ટ સિટીના રોડને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે છે તો આ રોડ પ્રત્યે મનપાનું ધ્યાન કેમ નથી જઈ રહ્યુ તે પણ મોટો સવાલ છે. ડાયવર્ઝન હોવાના કારણે હજારો ભારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રોડ પરના ખાડાના કારણે મોટો અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે. સત્વરે જો મનપા દ્વારા આ ખાડાઓ પૂરવામાં નહીં આવે અને રોડની મરમ્મત કરવામાં નહીં આવે તો અહીં અનેક અકસ્માત થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાનુ સ્માર્ટ સિટી જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પુરુ થાય છે એ બંને તરફના રસ્તાઓ અત્યંત બિસમાર હાલતમાં છે અને તેને લઈને યોગ્ય આયોજન કરવુ ખૂબ જરૂરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">