Gujarati News » Gujarat » Kheda » 191 વર્ષ અગાઉ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મહા સુદ પૂનમના આ દિવસે જીવત સમાધિ ધારણ કરી હતી. જેની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં પૂ. રામદાસજી મહારાજ તથા અન્ય મહંતોના હસ્તે મંદિર પરિસરમાં સાકર વર્ષા કરાયા બાદ સાકરની ઉછામણી કરવામાં આવી હતી.
191 વર્ષ અગાઉ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મહા સુદ પૂનમના આ દિવસે જીવત સમાધિ ધારણ કરી હતી.પૂ. રામદાસજી મહારાજ તથા અન્ય મહંતોના હસ્તે મંદિર પરિસરમાં સાકર વર્ષા કરાયા બાદ સાકરની ઉછામણી કરવામાં આવી હતી. દર વર્ષે સાકરવર્ષા ઉત્સવ ઉજવવામાં આવે છે.
સંતરામ મહારાજનો (Santram Maharaj) 191માં સમાધિ મહોત્સવની (Samadhi Mahotsav)ઉજવણી કરવામાં આવી. જેમાં હજારો કિલો સાકર (Sugar)મંદિર પરિસરમાં ઉછાડવામાં આવી હતી. માધની પૂનમે નડિયાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો અનેરો મહિમા છે. દર વર્ષની આ વર્ષે મહા સુદ પૂનમ અને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 191માં સમાધિ મહોત્સવ પ્રસંગે અખંડ જયોતના આશીર્વાદ અને મંદિરના ગાદિપતિ પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં સાકર વર્ષા કરવામાં આવી હતી.
1 / 5
પૂ. રામદાસજી મહારાજ તથા અન્ય મહંતોના હસ્તે મંદિર પરિસરમાં સાકર વર્ષા કરાયા બાદ સાકરની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે નડિયાદ તેમજ બહારગામથી મહેરામણ ઉમટી પડયુ હતું
2 / 5
આશરે 2000 કિલો કરતા પણ વધારે સાકરની ઉછામણી કરવામાં આવી હતી.પ્રસાદ તરીકે ગ્રહણ કરવા માટે શ્રધ્ધાળુઓમાં પડાપડી થતી જોવા મળી હતી. આ સમગ્ર પ્રસંગનો ખૂબ મહિમા છે.
3 / 5
દિવ્ય સાકર વર્ષા ઉત્સવમાં ત્રણ વર્ષ બાદ આટલી વિશાળ જનમેદની જોવા મળી હતી. કોરોના કાળમાં મંદિરમાં ઉત્સવો બંધ બારણે ઉજવવામાં આવતા હતા.
4 / 5
સાકર અને કોપરાનો પ્રસાદ તરીકે ગ્રહણ શ્રધ્ધાળુઓ ભાવવિભોર થયા હતા