12 એપ્રિલના મહત્વના સમાચાર : સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં AAPમાંથી ફોર્મ ભર્યા બાદ ,ઉમેદવારે ફોર્મ ફાડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, ચૂંટણી અધિકારીએ નોંધાવી FIR
Gujarat Live Updates આજ 12 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
નડિયાદના પીપલગમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપ્યો
ખેડાના નડિયાદના પીપલગમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ શહેરના પીપલગ વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટીમાં દીપડાએ દેખા દેતા ફફડાટ વ્યાપ્યો છે. વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરતા દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા વન વિભાગે ઝાડીઓમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો આખરે આબાદ ઝડપાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં હજુ પણ અન્ય એક દીપડો હોવાની પ્રબળ આશંકા છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગે નાગરિકોને રાત્રીના સમયે ઘરની બહાર એકલા ન નીકળવા અપીલ કરી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાંથી દીપડો પકડાયો છે, ત્યાંથી માત્ર અડધો કિલોમીટર દૂર જ IPL ફેનપાર્ક આવેલો છે. આજે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા ઉમટી પડ્યા હોવાથી તંત્રના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, દીપડો પકડાઈ જતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. નડિયાદ જેવા ભરચક શહેરી વિસ્તારમાં દીપડો ક્યાંથી અને કેવી રીતે ઘૂસ્યો, તે હાલ તપાસનો વિષય
-
જામનગરમાં કેશુભાઈએ, રિવાબા સહીત ભાજપના નેતાઓને કરી મન કી બાત
જામનગરમહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ તરફથી ટિકિટ નહીં મળતા કેશુભાઈ નામના ઉમેદવારી, ભાજપને બદલે બસપામાંથી ઉમેદવારી નોંધાવી છે. કેશુભાઈએ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપના નેતાઓને કરી મનની વાત. વોર્ડ નંબર 4 માં ચૂંટણીનો જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા, જનતાના નેતા કેશુભાઈ માડમ હવે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉમેરવાનીપત્ર ભર્યા આવ્યા ત્યારે તેઓનો રાજ્યમંત્રી રિવાબા જાડેજાને પોતાના અનોખા અંદાજમા કીધુ કે, ‘જીતીએ તો રંગમા, હારીએ તો નિરાંત છે…નિરાંત’
-
-
ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલ શનિવારે યોજાયેલ શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ તેને હકારાત્મક પરિણામ સુધી પહોચાડવામાં બન્ને દેશના પ્રતિનિધિમંડળ નિષ્ફળ રહ્યાં હતા.
-
સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં AAPમાંથી ફોર્મ ભર્યા બાદ ,ઉમેદવારે ફોર્મ ફાડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, ચૂંટણી અધિકારીઓ નોંધાવી FIR
સાવરકુંડલા પાલિકા AAPમાંથી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે ફોર્મ ફાડી નાખતા FIR દાખલ થઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં AAPમાંથી અમીનાબેન અલીભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ, અમીનાબેન ચૌહાણે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્રમાં કેટલીક વિગતો બાકી છે, તેમ કહી ઉમેદવારીપત્ર પરત મેળવી ઈરાદાપુર્વક ઉમેદવારીપત્ર ફાડી નાખી નુકસાન કર્યું હતું. જો કે, વોર્ડ નંબર 9 માંથી અમીનાબેન અલીભાઈ ચૌહાણે તાત્કાલિક ફરીવાર કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ફાડવા બાબતે એવી વિગતો સામે આવી હતી કે, અમીના ચૌહાણને સાવકુંડલા વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવાર તીરેક ટિકિટ મળી હતી. આ અંગે સાવરકુંડલા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી શૈલેષ બલદાણીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, કોંગ્રેસ પક્ષમાં ફોર્મ ભરવા માટે AAPનું ફોર્મ ફાડી નાખ્યું હતું. ચૂંટણી અધિકારીની હાજરીમાં ઘટના સામે બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
-
અરવલ્લીના બાયડ નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિન હરીફ
બાયડ નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિન હરીફ જાહેર થઈ છે. નગરપાલિકાની કુલ 24 માંથી 9 બેઠકો બિન હરીફ જાહેર થઈ છે. 9 બેઠકો પર કોંગ્રેસને ના મળ્યા કોઈ ઉમેદવાર. કુલ 6 વોર્ડની24 બેઠકો પર હતી ચૂંટણી. આખુ ચિત્ર ફોર્મ પાછા ખેચાવાના દિવસે સ્પષ્ટ થશે
-
આજે 12 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Apr 12,2026 7:17 AM
