Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા

અમદાવાદની ઐતિહાસિક 144મી જગન્નાથની રથયાત્રા(144 Rathayatra)ને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી રથમાં ઘણા ફેરફાર આવ્યા છે.

Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા
Rathyatra 2021
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:33 AM

Ahmedabad Rathyatra 2021: અમદાવાદની ઐતિહાસિક 144મી જગન્નાથની(144 Rathayatra) રથયાત્રા કોરોના ગાઈડ લાઇનને ધ્યાને રાખી નીકળશે. પણ તમને જણાવીએ કે જ્યારે રથયાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી રથમાં કેવા ફેરફાર આવ્યા અને ક્યારે રથનું નિર્માણ થયું.

રથયાત્રાની દરેક બાબતોથી લોકો અવગત થવા માંગતા હોય છે. ત્યારે અમે તમને રથની બાબતથી અવગત કરાવીશું. રથ ક્યારે બન્યા અને ત્યાર બાદ અત્યાર સુધી કેટલા ફેરફાર થયા. આવો જાણીએ ભગવાન જગન્નાથ. બલભદ્ર અને સુભદ્રા માટે તૈયાર કરાયેલા રથની શુ છે કથા.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

રથયાત્રા એ એક આસ્થાનું કેન્દ્ર છે. જેમાં દર વર્ષે કઈંક નવું જોવા મળતું હોય છે. તે પછી ભગવાનનું રૂપ હોય, વાઘા હોય, રથ હોય કે રથયાત્રામાં જોડાનાર ભક્ત, ભક્ત મંડળી કે ટેબળો કે અખાડા હોય. ત્યારે અમે તમને જણાવીએ કે રથયાત્રામાં રથનો ઇતિહાસ શું છે.

રથયાત્રામાં રથનો ઇતિહાસ 

1878માં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે ભગવાને નારીયેળીના થડમાંથી બનાવેલ નાના રથમાં લઈ જવાતા હતા. જે રથ ખલાસીઓએ તૈયાર કર્યા હતા. જોકે રથયાત્રામાં સામાન્ય હાલાકી પડતી હોવાથી અને રથ નવા મળે તે આશયથી 1950માં નવા રથ બનાવવામાં આવ્યા. તે રથ પણ ખલાસીઓએ બનાવ્યા હતા. જોકે તે સમયે ખલાસીઓ પાસે તેટલું બજેટ ન હતું પણ ભગવાન જગન્નાથના આશીર્વાદથી તે કાર્ય સફળ રહ્યું અને 1950 માં ભગવાનને નવા રથમાં લઇ જઇ રથયાત્રા કાઢવામાં આવી.

1950માં તૈયાર કરવામાં આવેલા રથ ભરૂચના કારીગરો દ્વારા સાગના લાકડા માંથી તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન બળદેવના રથમાં 16 પૈડા હતા જ્યારે જગન્નાથ અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા. જે રથ પહેલા ધક્કા મારીને ખલાસીઓ ખેંચતા હતા. જોકે રથયાત્રા દરમિયાન ખલાસીઓને રથ ખેંચવામાં હાલાકી પડતી હતી. જેને ધ્યાને રાખી 1975 આસપાસમાં રથમાં સ્ટેરિંગ નાખવામાં આવ્યા. જેથી રથ યોગ્ય રીતે મુવ કરી શકાય.

આટલા ફેરકાર કર્યા બાદ પણ કંઈક  અજોગતું લાગતું. કેમ કે લાકડાના પૈડા હોવાથી પૈડા તૂટતા રહેતા કે નુકશાન થતું. જેને ધ્યાને રાખી 1992માં રથના સ્ટેરિંગ સાથે જોડાયેલા આગળના બે પૈડામાં લોખંડની પ્લેટ નાખી ફરતે લાકડાના બ્લોક મૂકી પૈડા તૈયાર કરાયા. જેથી રથના પૈડાને જલ્દી નુકશાન ન થાય અને રથયાત્રા વગર અડચને પૂર્ણ કરી શકાય.

આ તમામ પ્રક્રિયા બાદ 1992 આસપાસ સૌથી મોટો ફેરફાર રથમાં કરવાના આવ્યો. જેમાં બળદેવના રથમાં 16 જ્યારે જગન્નાથના અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા તેમજ લોખંડની પ્લેટ સાથે પૈડા તૈયાર કરાયા જોકે હાલાકી યથાવત રહી. જેના પર ખલાસીઓએ ફેર વિચારણા કરી 1992 પહેલા ખલાસીઓએ રથમાં મોટો ફેરફાર કર્યો હતો.

તમામ રથમાં પાછળ 4 જ્યારે આગળ 2 પૈડા કરવામાં આવ્યા. જેથી રથનો વજન હલકો થતા રથ ખેંચવામાં સરળતા રહે. અત્યાર સુધી તેજ 6 પૈડા સાથે રથ ખેંચવામાં આવે છે. જોકે પૈડાને મેઈન્ટેઈન કરવા દર વર્ષે પૈડાના લાકડા બદલાય છે. જેથી રથયાત્રા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થાય. તો સાથે જ સ્ટેરિંગની પણ હાઈટ ઊંચી કરવામાં આવી જેથી ખલાસીઓને રથ ખેંચવામાં વધુ સરળતા રહે.

આ બાદ સમય આવ્યો 2013 કે 14 કે જ્યારે રથની ડિઝાઇન બદલવામાં આવી. જેમાં જે ત્રણે રથની 15 ફૂટ હાઈટ હતી જે 16 ફૂટ હાઈટ કરી રથને નવો લુક આપવામાં આવ્યો.

આમ 1878 થી શરૂ થયેલ રથયાત્રામાં ત્યારથી લઈને અત્યાર સુધી રથમાં અનેક ફેરફાર કરાયા. જે તમામ ફેરફાર ખલાસીઓ દવારા કરવામાં આવ્યા. અને આજે પણ તે 1950 માં બનાવેલા રથ અડીખમ જોવા મળી રહ્યા છે. જે ખલાસીઓની મહેનત અને શ્રદ્ધાનું કેન્દ્ર પણ  બન્યું છે.

Latest News Updates

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
g clip-path="url(#clip0_868_265)">