AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jan 09, 2025 | 5:40 PM
Share

ભાવનગર મહાનગર પાલિકા  અવનવા વિકાસકામો હાથ ધરે છે. ત્યારે, 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરવા અને ધોબી ઘાટથી મોતી તળાવ સુધી બંને બાજુ રોડ અને કાંકરિયાની જેમ વિકાસ કરવા માટે કામગીરી હાથ ધરી છે. તેની માટે ગઢેચી નદીની બંને બાજુ 4 કિલોમીટરના વિસ્તારમાં 800 મકાન હટાવવાનું નક્કી કર્યું છે. જેને લઇ મનપાએ બોરતળાવ, RTO અને કુંભારવાડા નદી કાંઠા વિસ્તારના મકાનોને GPMC એક્ટ હેઠળ નોટિસ આપી છે. ત્યારે, વર્ષોથી રહેતા સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને માગ કરી છે કે, નદીના વહેણમાં આવતા મકાનો જ તોડવામાં આવે. તમામ 800 મકાનો તોડવામાં ના આવે અને ડિમોલેશન પ્રોજેક્ટની પહોળાઇ ઘટાડવામાં આવે. સાથે જ જેમના મકાન તૂટે છે. તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. મહત્વનું છે, હાલ તંત્રએ 7 દિવસમાં મકાનોના આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે.

સ્થાનિકોના આ વિરોધને સમર્થન આપતા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને, તમામ દબાણ હટાવવાને અયોગ્ય ગણાવી. લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માગ કરી છે. ઉપરાંત, ડિમોલેશનના પ્રોજેક્ટની પહોળાઇ નાની કરવા માગ કરી છે. મહત્વનું છે, તંત્રએ નોટિસ આપી છે અને દસ્તાવેજ રજૂ કરવા 7 દિવસનો સમય પણ આપ્યો છે. હવે જોવાનું રહ્યું કે, એક તરફ વિકાસકામ અને બીજી તરફ સ્થાનિકો પરેશાન. આ બંને મુદ્દે શું ઉકેલ આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">