AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jan 09, 2025 | 5:40 PM
Share

ભાવનગર મહાનગર પાલિકા  અવનવા વિકાસકામો હાથ ધરે છે. ત્યારે, 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરવા અને ધોબી ઘાટથી મોતી તળાવ સુધી બંને બાજુ રોડ અને કાંકરિયાની જેમ વિકાસ કરવા માટે કામગીરી હાથ ધરી છે. તેની માટે ગઢેચી નદીની બંને બાજુ 4 કિલોમીટરના વિસ્તારમાં 800 મકાન હટાવવાનું નક્કી કર્યું છે. જેને લઇ મનપાએ બોરતળાવ, RTO અને કુંભારવાડા નદી કાંઠા વિસ્તારના મકાનોને GPMC એક્ટ હેઠળ નોટિસ આપી છે. ત્યારે, વર્ષોથી રહેતા સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને માગ કરી છે કે, નદીના વહેણમાં આવતા મકાનો જ તોડવામાં આવે. તમામ 800 મકાનો તોડવામાં ના આવે અને ડિમોલેશન પ્રોજેક્ટની પહોળાઇ ઘટાડવામાં આવે. સાથે જ જેમના મકાન તૂટે છે. તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. મહત્વનું છે, હાલ તંત્રએ 7 દિવસમાં મકાનોના આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે.

સ્થાનિકોના આ વિરોધને સમર્થન આપતા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને, તમામ દબાણ હટાવવાને અયોગ્ય ગણાવી. લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માગ કરી છે. ઉપરાંત, ડિમોલેશનના પ્રોજેક્ટની પહોળાઇ નાની કરવા માગ કરી છે. મહત્વનું છે, તંત્રએ નોટિસ આપી છે અને દસ્તાવેજ રજૂ કરવા 7 દિવસનો સમય પણ આપ્યો છે. હવે જોવાનું રહ્યું કે, એક તરફ વિકાસકામ અને બીજી તરફ સ્થાનિકો પરેશાન. આ બંને મુદ્દે શું ઉકેલ આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">