Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા નીપજાવી છે. જોકે પત્નીની હત્યા બાદ પતિ સામેથી જ પોલીસ મથકમાં હાજર થઈ તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 09, 2024 | 8:26 PM

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલમાં ગણેશ ચતુર્થીના દિવસે પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન

સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના એવી હતી કે, છેલ્લા પચ્ચીસેક દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા.

દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા કરી

ગણેશચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્નીના દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

હત્યારો પતિ પ્રદીપ હત્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે.

બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીની ગળું દબાવી હત્યા નીપજાવી હતી.

હાલ તો નારોલ પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણ થી પત્નીની હત્યા નીપજાવી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">