AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો, TDR પોલીસી લાગુ ન કરાતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ

હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 2015-16માં ટ્રેડેબલ ડેવલોપમેન્ટ રાઈટ એટલે કે ટીડીઆર પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસી જાહેર થયાના 6 વર્ષ બાદ પણ કોર્પોરેશન દ્વારા તેનો અમલ થયો નથી.

Ahmedabad : પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો, TDR પોલીસી લાગુ ન કરાતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ
Ahmedabad: Another example of municipal negligence, risk against 2700 heritage buildings for not implementing TDR policy
Dipen Padhiyar
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:09 AM
Share

Ahmedabad શહેરમાં હેરિટેજ મકાનોની જાળવણી માટે કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. હેરિટેજ મકાનોની જાળવણી માટે કોર્પોરેશને ટીડીઆર પોલિસી લાગુ કરી નથી. રાજ્ય સરકારે ટીડીઆર પોલિસી લાગુ કરવા આદેશ કર્યો હોવા છતાં પોલિસી લાગુ કરાઈ નથી. જેના કારણે શહેરના 2700 જેટલા હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે.

હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 2015-16માં ટ્રેડેબલ ડેવલોપમેન્ટ રાઈટ એટલે કે ટીડીઆર પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસી જાહેર થયાના 6 વર્ષ બાદ પણ કોર્પોરેશન દ્વારા તેનો અમલ થયો નથી. શહેરમાં આવેલા હેરિટેજ મકાનોની સંયુક્ત ટીડીઆર 500 કરોડથી પણ વધુ થાય છે.

પરંતુ કોર્પોરેશન દ્વારા આ પોલિસીનો અમલ કરવામાં ન આવતા શહેરના 2700થી વધુ હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે. હેરિટેજ મકાન માલિકોએ ટીડીઆર પોલિસીનો અમલ કરવા માટે 1200થી વધુ અરજીઓ કરી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ટીડીઆર આપવામાં ના આવતા અનેક મકાનો જર્જરિત હાલતમાં છે.

ખાડીયામાં આવેલ 2772 નંબરના હેરિટેજ મકાન મલિક દિવ્યેશ શાહને મકાન ખાલી કરીને અન્ય જવાનો વારો આવ્યો છે. ત્રણ વર્ષથી રીનોવેશન માટે અરજી કરે છે પણ ટીડીઆર મળતાં નથી. ટીડીઆરના મકાનને તાળું મારવાની ફરજ પડી છે.

કેટલાક હેરિટેજ મકાન માલિકો પાસે મકાનોના રિસ્ટોરેશન કે રીનોવેશન માટે પૈસા ખર્ચી શકે તેમ નથી. ટીડીઆર પોલિસીનો અમલ કરવામાં આવે તો હેરિટેજ મકાન માલિકો ટીડીઆર સર્ટિફિકેટ વટાવી હેરિટેજ વારસાને જાળવી શકે છે. અત્યારે હેરિટેજ મકાનના રિસ્ટોરેશન કે રીનોવેશન માટે ચારથી પાંચ પ્રકારની મંજૂરીઓ મેળવવી પડે છે.

આ મંજૂરીઓ મેળવવા માટે જ એકથી દોઢ લાખનો ખર્ચ કરવો પડે છે. ટીડીઆર મેળવવાની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાથી 30 ટકા હેરિટેજ મકાનો જ ટીડીઆર સર્ટિફિકેટ મેળવી શક્યા છે. આ અંગે હેરિટેજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ટીડીઆર પોલિસીનો અમલ શરૂ થઈ ગયો છે. અરજદારને તકલીફ ના પડે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા મકાનની હેરિટેજ વેલ્યુના આધારે ટીડીઆર સર્ટિફિકેટ આપવામાં આવે છે. ટીડીઆરના આધારે મકાન માલિકને એફએસઆઈ આપવામાં આવે છે. મકાન માલિકો વધારાની એફએસઆઈ બિલ્ડરોને વેચી પૈસા મેળવી શકે તે મુજબની પોલિસી બનાવવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ટીડીઆર પોલીસીનો યોગ્ય અમલ ના થતા હજારો મકાન માલિકો જર્જરિત હેરિટેજ મકાનોને રીનોવેશન કરવાને બદલે તાળાં મારીને જતા રહ્યા છે. જેના કારણે હજારો હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">