મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર, આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે

પામતેલની નિકાસ પર પ્રતિબંધના કારણે ખાદ્યતેલોના (Edible Oil) ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે પ્રતિબંધો હટવાથી ફરી એકવાર સપ્લાયમાં વધારો થવાની શક્યતાને પગલે ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે.

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર, આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે
Edible Oil Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:36 PM

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર. આગામી સમયમાં ખાદ્યતેલોના (Edible Oil) ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. રોઇટર્સ અનુસાર, ઇન્ડોનેશિયાએ 23 મેથી પામ ઓઇલ (Palm Oil) પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી છે. 19 મેના રોજ જ ઈન્ડોનેશિયાના નેતાઓએ રાષ્ટ્રપતિને પ્રતિબંધ હટાવવાની માગ કરી હતી, જે બાદ આજે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગને વિનંતી કરવામાં આવી હતી કે નિકાસ પરના પ્રતિબંધને કારણે, દેશમાં પામ તેલના સંગ્રહની સુવિધાઓ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને જો પ્રતિબંધો થોડો સમય રહેશે તો ઉદ્યોગમાં કામકાજ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જે ઘણું નુકસાન કરી શકે છે. પામતેલની નિકાસ પર પ્રતિબંધના કારણે ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે પ્રતિબંધો હટવાથી ફરી એકવાર સપ્લાયમાં વધારો થવાની શક્યતાને પગલે ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે.

પામ ઉદ્યોગની સામે કામ બંધ થવાનું સંકટ

નિકાસ પરના પ્રતિબંધને કારણે ઈન્ડોનેશિયાના પામ ઓઈલ ઉદ્યોગ માટે પણ પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. દેશના નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભલે આ નિર્ણયથી દેશમાં પામ ઓઈલની કિંમતો નીચે આવી શકે, પરંતુ ઉદ્યોગને દર મહિને $400 મિલિયનથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. રોઇટર્સ સાથેની વાતચીતમાં, ઇન્ડોનેશિયાના ઉદ્યોગોએ કહ્યું કે જો મેના અંત સુધીમાં પ્રતિબંધો હટાવવામાં નહીં આવે, તો ઉદ્યોગમાં કામ અટકી શકે છે. સાથે જ આ નિર્ણયની અસર ખેડૂતો પર પણ પડી છે.

રિપોર્ટ અનુસાર, જ્યારે પામનું ઉત્પાદન સૌથી વધુ હતું ત્યારે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, પ્રતિબંધને કારણે, કુલ પાકનો અડધો જ ઉપયોગ થયો હતો, જેના કારણે ખેડૂતોને કુલ $115 મિલિયનનું નુકસાન થયું હતું. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ ગયા મહિને 28 એપ્રિલથી ક્રૂડ પામ ઓઈલ (CPO)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઇન્ડોનેશિયાએ દેશમાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે, આ નિર્ણયથી વિશ્વના એવા ઘણા દેશો પર ખરાબ અસર પડી છે જેઓ ખાદ્યતેલની આયાત પર નિર્ભર છે. આમાં ભારત પણ સામેલ છે. ભારતમાં ખાદ્યતેલોના ભાવમાં પહેલેથી જ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયાના નિર્ણય બાદ ભાવ પર વધુ દબાણ વધ્યું.

ભારત પર શું અસર થશે

ઈન્ડોનેશિયામાંથી નિકાસ પ્રતિબંધો હટવાથી ભારતમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નિકાસ શરૂ થવાથી પામ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળશે, જ્યારે હાલમાં ભારતમાં પામ ઓઈલના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા તેલની માગ પણ પુરવઠો શરૂ થવાને કારણે નરમ પડશે. જેના કારણે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ નીચે આવી શકે છે.

ભારત દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેમાંથી 63 ટકા પામ તેલ છે. તેનો મોટો હિસ્સો ઈન્ડોનેશિયામાંથી આવે છે, જ્યારે બાકીનો હિસ્સો મલેશિયા અને થાઈલેન્ડથી ખરીદવામાં આવે છે. નિકાસ અટકી જવાને કારણે ખાદ્યતેલના પુરવઠામાં આવેલી તંગીને પહોંચી વળવા વિકલ્પ તરીકે અન્ય ખાદ્યતેલોનો ઉપયોગ વધ્યો, જેના કારણે તેમની કિંમતો પર પણ દબાણ આવ્યું. જોકે, નિકાસ ફરી શરૂ થતાં આ પગલાની અસર તમામ તેલ પર જોવા મળી શકે છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">