AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દંપતીએ તિરૂપતિ બાલાજી મંદિરમાં કર્યુ 1.25 કરોડ રૂપિયાના 2 કિલો સોનાનું દાન

મૂર્તિ દંપતી દ્વારા દાનમાં આપવામાં આવેલ 'અભિષેક શંખમ' ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક બાજુથી ખુલ્લું છે. આ ઉપરાંત 'કુર્મમ' એટલે કે કાચબો પણ દાનમાં આપવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના 'અભિષેક'માં થાય છે.

આ દંપતીએ તિરૂપતિ બાલાજી મંદિરમાં કર્યુ 1.25 કરોડ રૂપિયાના 2 કિલો સોનાનું દાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 5:29 PM
Share

દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસના (Infosys) સ્થાપક એન. નારાયણ મૂર્તિ (Narayana Murthy) અને તેમની પત્ની સુધા મૂર્તિ (Sudha Murthy) રવિવારે તિરુપતિ બાલાજીના મંદિરે પહોંચ્યા હતા. મૂર્તિ દંપતીએ અહીં સોનાથી બનેલા ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ (કાચબો)નું દાન કર્યું હતું. બંનેનું વજન લગભગ 2 કિલો છે. જાણો આ દાન શા માટે ખાસ છે અને તેનું શું મહત્વ છે?

નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય E.O. ધર્મા રેડ્ડીને દાનમાં આપેલ ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ સોંપ્યું. આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમાં ગયા હતા. સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: PM Kisan Scheme: ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાન યોજનાનો 14મો હપ્તો આ દિવસે ખાતામાં જમા થશે

infosys narayana murthy and wife sudha murthy donated 2 kg of gold worth Rs 1.25 crore to the Tirupati Balaji temple

‘શંખમ’ અને ‘કુર્મમ’ કેવા દેખાય છે?

મૂર્તિ દંપતી દ્વારા દાનમાં આપવામાં આવેલ ‘અભિષેક શંખમ’ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક બાજુથી ખુલ્લું છે. આ ઉપરાંત ‘કુર્મમ’ એટલે કે કાચબો પણ દાનમાં આપવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના ‘અભિષેક’માં થાય છે. કુર્મમમાં પીઠનો ભાગ ખાલી છે જે શંખમ મૂકીને ભરાય છે. મૂર્તિ દંપતીના આ દાનને ‘ભૂરી’ દાન પણ કહેવાય છે.

કિંમત 1.25 કરોડની આસપાસ છે?

બજાર કિંમત પ્રમાણે ‘શંખમ’ અને ‘કુર્મમ’ની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. હાલમાં બજારમાં સોનાની સરેરાશ કિંમત 61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. તે મુજબ 2 કિલો સોનાની કિંમત અંદાજે 1.25 કરોડ રૂપિયા છે.

જૂની પરંપરા અને દાનનું મહત્વ

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાચીન સમયથી રાજાઓ અને સમ્રાટો સોનું, રોકડ અને જમીનનું દાન કરતા આવ્યા છે. હાલમાં પણ લોકો આ મંદિરમાં સોનું, રત્ન અને ઝવેરાત વગેરેનું દાન કરે છે. આ સિવાય મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિર સુધી પહોંચે છે. એવું માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની સમસ્યાઓ દૂર કરે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">