Amavasya : વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વર્ષની 12 અમાસ, જાણો અંધારી તિથિનો શું છે મહિમા ?

વર્ષ દરમિયાન 12 અમાસ (Amas) આવતી હોય છે. જે દરેકનું એક આગવું જ મહત્વ છે. અને તેનું વ્રત કરવાથી વ્યક્તિને વિધ વિધ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે, ભૌમવતી અમાસનું વ્રત કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળવાની માન્યતા છે.

Amavasya : વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વર્ષની 12 અમાસ, જાણો અંધારી તિથિનો શું છે મહિમા ?
Amavsya snan
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 27, 2022 | 7:44 AM

અમાસની (Amas) તિથિ મહિનામાં એક જ વાર આવે છે. એટલે કે વર્ષમાં કુલ 12 અમાવસ્યા આવતી હોય છે. શાસ્ત્રોમાં અમાસની તિથિના સ્વામી પિતૃદેવને (Pitrudev) માનવામાં આવે છે. આ વખતે અમાસ અને સોમવારનો અદભુત સંયોગ સર્જાયો છે. તમામ અમાવસ્યામાં સોમવતી (Somvati amas) અમાસનું એક આગવું જ મહત્વ છે. ત્યારે આવો, આજે વિવિધ મહિનાની અમાસ અને તેના માહાત્મ્ય વિશે જાણીએ.

ચંદ્રમાની 16મી કલાને ‘અમા’ કહેવામાં આવે છે. ‘અમા’ના અનેક નામ આવે છે, જેમ કે તે અમાવસ્યા, સૂર્ય ચંદ્ર સંગમ, પંચદશી, અમાવસી, અમાવાસી, અમામાસી કે અમાસ કહેવાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર નથી દેખાતો અથવા ક્ષય અને ઉદય નથી થતો. એટલે તેને અમાવસ્યા કહેવામાં આવે છે. અમાસ એ સૂર્ય અને ચંદ્રના મિલનનો ગાળો છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં રહે છે.

  • મહત્વની અમાસ

વર્ષ દરમિયાન 12 અમાસ આવે છે. જેમાં સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, મૌની અમાસ, શનિ અમાસ, હરિયાળી અમાસ, દિવાળી અમાસ તેમજ સર્વપિતૃ અમાસનો સવિશેષ મહિમા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સોમવતી અમાસ

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી ચંદ્રનો દોષ દૂર થાય છે. એ દરેક મનોકામના પૂર્ણ કરે છે. મહિલાઓ વિશેષ રીતે પતિના દીર્ઘાયુ માટે સોમવતી અમાસનું વ્રત કરે છે.

ભૌમવતી અમાસ

ભૌમ એટલે મંગળ. મંગળવારે આવતી અમાસને ભૌમવતી અમાસ કહે છે. માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી દેવાનું સંકટ પૂર્ણ થાય છે.

મૌની અમાસ આ અમાસ માઘ માસમાં આવે છે. તેને આધ્યાત્મિક રૂપથી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.

શનિ અમાસ શનિવારના દિવસે આવતી અમાસને શનિ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી શનિ દોષ દૂર થાય છે.

મહાલય અમાસ

શ્રાદ્ધપક્ષમાં આવતી અમાસને સર્વપિતૃ અમાસ કે મહાલય અમાસ કહેવામાં આવે છે. આ દિવસે અન્નદાન અને તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. તેમજ તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હરિયાળી અમાસ

ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢ માસની અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તે શ્રાવણી અમાસનો દિવસ હોય છે. આ અમાસને મહારષ્ટ્રમાં ગટારી અમાસ કહે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ચુક્કલા અને ઓરિસ્સામાં ચિતલાગી અમાસ કહે છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાનું મહત્વ છે. આ દિવસે પિતૃઓની શાંતિ અર્થે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે.

દિવાળી અમાસ

ગુજરાતી પંચાંગ અનુસાર આસો માસની અમાસની તિથિએ દીપોત્સવીની ઉજવણી કરવામાં આવે છે. જે વર્ષનો અંતિમ દિવસ મનાય છે. લોકો તેને દિવાળી અમાસ પણ કહે છે. આ તિથિએ રાત્રિ સૌથી ઘનઘોર હોય છે. મૂળરૂપે આ અમાસ માતા કાલી સાથે જોડાયેલ છે એટલે તેમની પૂજાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીપૂજાનું પણ મહત્વ છે. કહેવાય છે કે બંને દેવીઓનો આ તિથિએ જ જન્મ થયો હતો.

કુશગ્રહણી અમાસ

કુશ એકત્ર કરવાના કારણે જ તેને કુશગ્રહણી અમાસ કહે છે. પૌરાણિક ગ્રંથોમાં તેને કુશોત્પાટિની અમાસ પણ કહે છે. ગુજરાતી પંચાંગ અનુસાર શ્રાવણી અમાસ જ કુશગ્રહણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસને પિથૌરા અમાસ પણ કહેવામાં આવે છે. પિથૌરા અમાસના દિવસે દેવી દુર્ગાની પૂજા ઉપાસનાનું પણ મહત્વ છે.

આ સિવાયની અન્ય અમાવસ્યાઓમાં પણ દાન અને સ્નાનનું મહત્વ રહેલું છે. તે અમાસ જે વારે આવે છે તે નામે જ જાણીતી છે. સામાન્ય રીતે 12 મહિનાઓના નામ પર આધારિત હોય છે આ અમાસના નામ.

  • શું રાખશો ધ્યાન ?

માન્યતા અનુસાર અમાસની તિથિએ ભૂત-પ્રેત, પિશાચ, નિશાચર જીવજંતુ અને દૈત્ય વધુ સક્રિય હોય છે. એટલે, આવા દિવસે ખાસ સાવધાની રાખવી જોઇએ. આ દિવસે કોઇપણ પ્રકારની તામસી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. આ દિવસે માંસાહાર અને મદ્યપાનથી દૂર રહેવું જોઇએ. માંસાહાર અને મદ્યપાન કરવાથી ન માત્ર તમારું શરીર, પણ તમારા ભવિષ્ય પર પણ તેની ખરાબ અસાર પડે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">