Chaitra Navratri 2023: વિદેશમાં છે મા દુર્ગાના પ્રખ્યાત શક્તિપીઠ, નવરાત્રિમાં દર્શન માટે જઈ શકો છો

Chaitra Navratri 2023: ભારતમાં ઘણા પ્રખ્યાત અને લોકપ્રિય દુર્ગા માતાના મંદિરો છે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો. જે સ્થળોએ માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર પડ્યા હતા, તે સ્થાનો શક્તિપીઠ બની ગયા હતા. આવી 52 શક્તિપીઠો છે, જે અલગ-અલગ જગ્યાએ આવેલી છે અને અલગ-અલગ નામોથી પ્રસિદ્ધ છે.

Chaitra Navratri 2023: વિદેશમાં છે મા દુર્ગાના પ્રખ્યાત શક્તિપીઠ, નવરાત્રિમાં દર્શન માટે જઈ શકો છો
Chaitra Navratri 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 2:59 PM

Chaitra Navratri 2023: 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રી એ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો તહેવાર છે. આ તહેવારમાં લોકો ઘરમાં અને મંદિરમાં કળશ સ્થાપી માતાને આમંત્રીત કરે  છે. તેઓ દેવી દુર્ગાની પૂજા કરવા મંદિરમાં જાય છે અને દર્શન કરે છે. ભારતમાં ઘણા પ્રખ્યાત અને લોકપ્રિય દુર્ગા માતાના મંદિરો છે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો.

જે સ્થળોએ માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર પડ્યા હતા, તે સ્થાનો શક્તિપીઠ બની ગયા હતા. આવી 51 શક્તિપીઠ છે, જે અલગ-અલગ જગ્યાએ આવેલી છે અને અલગ-અલગ નામોથી પ્રસિદ્ધ છે. દેવીની બધી શક્તિપીઠ ભારતમાં આવેલી નથી. અનેક શક્તિપીઠોની મુલાકાત લેવા માટે વિદેશ જવું પડે છે. આવો જાણીએ ભારતની બહાર સ્થિત દેવીની શક્તિપીઠો વિશે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો.

શક્તિપીઠ પાકિસ્તાનમાં સ્થિત છે

દેવીનું પ્રસિદ્ધ શક્તિપીઠ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલું હિંગુલા(હિંગળાજ) શક્તિપીઠ દેશના પ્રાચીન મંદિરોમાંનું એક છે. અહીં માતા હિંગળાજની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીનું માથું પડ્યું હતું. આને નાની કા મંદિર અથવા નાની કા હજ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ શક્તિપીઠ પર ઘણા આતંકવાદી હુમલા થયા હતા પરંતુ મંદિરને કોઈ નુકસાન થયું નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શ્રીલંકામાં શક્તિપીઠ

શ્રીલંકા ભારતના દક્ષિણમાં છે. ઈન્દ્રાક્ષી શક્તિપીઠ આ દેશમાં આવેલી છે. માતા સતીની પાયલ અહીં પડી હતી. દંતકથા અનુસાર,ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામે આ શક્તિપીઠમાં પૂજા કરી હતી. શ્રીલંકાના જાફના નલ્લુરમાં માતાને ઈન્દ્રાક્ષી કહેવામાં આવે છે.

નેપાળમાં ત્રણ શક્તિપીઠ

નેપાળમાં ત્રણ શક્તિપીઠ છે. પ્રથમ ગંડક નદી પાસે આદ્ય શક્તિપીઠ છે, જ્યાં માતા સતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીં માતાને ગંડકી કહેવામાં આવે છે. બીજી શક્તિપીઠ પશુપતિનાથ મંદિરથી થોડે દૂર બાગમતી નદીના કિનારે આવેલી છે.

આ મંદિરનું નામ ગુહેશ્વરી શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીના બંને ઘૂંટણ પડ્યા હતા. અહીં મહામાયાના રૂપમાં દેવીની પૂજા કરવામાં આવે છે. નેપાળની ત્રીજી શક્તિપીઠ બિજયપુર ગામમાં આવેલી છે. દંતકાલી શક્તિપીઠ તરીકે પ્રખ્યાત આ સ્થાન પર માતા સતીના દાંત પડ્યા હતા.

તિબેટમાં સ્થિત શક્તિપીઠ

દેવી સતીની જમણી હથેળી ભારત નજીક તિબેટમાં પડી હતી, જે મનસા દેવી શક્તિપીઠ તરીકે પ્રખ્યાત છે. આ શક્તિપીઠ તિબેટમાં માનસરોવર નદીના કિનારે આવેલું છે.

બાંગ્લાદેશમાં પાંચ શક્તિપીઠ

બાંગ્લાદેશમાં માતાની પાંચ શક્તિપીઠ છે. પ્રથમ ઉગ્રતારા શક્તિપીઠ, જ્યાં માતા સતીની નાક પડ્યુ હતું.

બીજી અપર્ણા શક્તિપીઠ, જ્યાં માતા સતીના ડાબા પગની પગની ઘૂંટી પડી હતી.

સિલહટ જિલ્લામાં શૈલ નામનું ત્રીજું સ્થાન શ્રીશૈલ શક્તિપીઠ છે. માતા સતીનું ગળું અહીં પડ્યું હતું.

ચોથું શક્તિપીઠ ચટગાંવ જિલ્લામાં સીતા કુંડ સ્ટેશન નજીક ચંદ્રનાથ પર્વત શિખર પર છત્રાલમાં સ્થિત છે. ચત્તલ ભવાની શક્તિપીઠમાં માતા સતીનો જમણો હાથ પડી ગયો હતો.

પાંચમી શક્તિપીઠ એ યશોરેશ્વરી માતા શક્તિપીઠ છે, જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી.

બાંગ્લાદેશની છઠ્ઠી શક્તિપીઠ સિલહેટ જિલ્લાના ખાસી પર્વત પર જયંતિ શક્તિપીઠના નામથી આવેલી છે. અહીં માતા સતીની ડાબી જાંઘ પડી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">