ગેરંટી પિરિયડ પહેલા જ તૂટેલા રસ્તાઓ એજન્સી પાસે જ કરાવવાના કમિશનરે કર્યા આદેશ- Video

ભાવનગરમાં વરસાદી સિઝન પૂરી થતા સુધીમાં શહેરના 200 જેટલા રસ્તાઓ બિસ્માર બન્યા છે જેના કારણે શહેરીજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ મુદ્દે મનપા કમિશનરે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. ગેરંટી પિરિયડ પહેલા જ જે રસ્તા તૂટી ગયા છે એ રસ્તાનું સમારકામ તેને બનાવનાર જે તે એજન્સી પાસે જ કરાવવાનો આદેશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 4:35 PM

લોકોને સારી સુખ સુવિધા મળે એ જવાબદારી સરકારની હોય છે.કારણ કે એ લોકો પાસેથી ટેક્સ વસુલે છે. પણ ભાવનગરમાં સ્થિતિ વિપરીત છે. અહીં વરસાદમાં મોટા ભાગના રોડ બિસ્માર બની ગયા છે અને રોડ વિભાગના ગુણવત્તાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ત્યારે હવે મનપા કમિશનર લોકોને વ્હારે આવ્યા છે અને ડ્રેનેજ બાંધકામ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને અધિક મદદનીશ ટેકનિકલ સ્ટાફની કમિટી બનાવી છે.

આ કમિટીને વિવિધ કામોનું સરવે કરી કામગીરી કરવાના કમિશનરે આદેશ આપ્યા છે. કમિશનર દ્વારા જે રોડ ગેરંટી પિરિયડમાં તૂટ્યો હોય ખાડા પડ્યા હોય ખરાબ થઈ ગયો હોય તે એજન્સી પાસે જ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 200 જેટલા રોડનું શહેરમાં આ કમિટી દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું.

બીજી તરફ જો વાત કરીએ તો વિપક્ષે પણ કમિશનરની કામગીરીના વખાણ કર્યા છે અને કહ્યું છે કમિશનરની કામગીરી સરાહનીય છે. પરતુ આ બધા વચ્ચે વાત એ છે કે ભાવનગરની જનતા અત્યારે તો ખરાબ રસ્તાને કારણે પરેશાન છે અને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ કામ કેટલા સમયમાં પૂર્ણ થાય છે અને આવા ખરાબ રસ્તાથી ભાવનગરની જનતાને ક્યારે છુટકારો મળે છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">