AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેબી

સેબી

સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના SEBI એક્ટ 1992 હેઠળ 12 એપ્રિલ 1992ના રોજ ભારતીય સિક્યોરિટી માર્કેટ માટે નિયમનકારી સત્તા તરીકે કરવામાં આવી હતી. તે ભારતીય રોકાણ બજારમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.

સેબીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. આ ઉપરાંત, સેબીની દેશના વિવિધ શહેરોમાં ઓફિસ આવેલી છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. સેબીની સ્થાપના પહેલા, સિક્યોરિટીઝ માર્કેટને ઘણી સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી, જેના કારણે રોકાણકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

2014 માં, ભારત સરકારે સેબીને નવી નિયમનકારી સત્તાઓ પ્રદાન કરી હતી, જેથી તે એવા લોકોને પકડી શકે કે જેઓ શેરબજારમાં છેડછાડ કરી રહ્યા છે અને તેમની સામે યોગ્ય પગલાં લઈ શકે છે. આજે, સેબીને વિશ્વની ટોચની નિયમનકારી સત્તામંડળોમાંની એક ગણવામાં આવે છે અને તે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના વિકાસ અને નિયમનમાં આવશ્યક ભૂમિકા ભજવે છે.

સેબીને ભારતીય મૂડી બજારની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સેબી, એક નિયમનકારી સંસ્થા તરીકે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના સિક્યોરિટીઝ માર્કેટ પર દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાનો હેતુ ધરાવે છે. તે રોકાણ સંબંધિત નવી માર્ગદર્શિકા તૈયાર કરીને સલામત રોકાણનું વાતાવરણ પણ બનાવે છે. જો NSE અને BSEમાં રોકાણ કરનારા રોકાણકારો સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તે રોકાણકાર સેબીને ફરિયાદ કરી શકે છે.

Read More

Breaking News : SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!

ઝેરોધાએ SEBI પાસે કેટેગરી-1 મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ માટે અરજી કરી છે, જે તેના બિઝનેસ વિસ્તરણનો સંકેત છે. મંજૂરી મળ્યે, કંપની IPO, FPO અને અન્ય મૂડી બજાર વ્યવહારોનું સંચાલન કરી શકશે. આ પગલું ઝેરોધાને માત્ર બ્રોકર નહીં, પણ સંપૂર્ણ નાણાકીય સેવા પ્રદાતા બનાવશે, જેથી રોકાણકારોને નવી તકો મળશે.

Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ સામે EDની કાર્યવાહી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કંપનીનો વાર્ષિક રેવન્યુ લાખો કરોડમાં હોવા છતાં MDને માત્ર ₹17 હજાર માસિક પગાર મળતો હતો, જ્યારે CFOને 2020થી કોઈ પગાર જ મળ્યો નહોતો.

વારસદારો માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, PAN અને વસીયતની જરૂર નહીં

SEBIએ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય સિક્યોરિટીઝના ટ્રાન્સફર સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે કાનૂની વારસદારો માટે મૃત માતા-પિતા અથવા સગા સંબંધીઓના શેર અને મ્યુચ્યુઅલ ફંડ ક્લેમ કરવાનું સરળ બનશે. PAN અને વસીયતના પ્રોબેટ જેવી કેટલીક પ્રક્રિયાઓને પણ સરળ બનાવવામાં આવી છે.

Breaking News : SEBI મ્યુચ્યુઅલ ફંડના આ નિયમોમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર, જાણી લો

SEBI એ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ માટે નોમિનેશનના નિયમો બદલ્યા છે. 1 સપ્ટેમ્બર, 2026 પછી નવા સિંગલ-હોલ્ડર ખાતામાં નોમિની ફરજિયાત બનશે, અથવા 'ઓપ્ટ-આઉટ' કરવું પડશે.

ઓપ્શન્સ ટ્રેડિંગ કરનારાઓ માટે મોટા સમાચાર, બજારમાં ગમે તેવો મોટો ઉતાર-ચઢાવ આવશે તો પણ ટ્રેડર્સ નહીં ફસાય

શેરબજારના રેગ્યુલેટર SEBI દ્વારા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટના સ્ટ્રાઈક પ્રાઈઝ માળખામાં ફેરફાર કરવાનો એક મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમથી લાઈવ માર્કેટમાં હેજિંગ કરવું વધુ સરળ બનશે.

Breaking News: Mutual Fund Giftcard : હવે શુકનમાં આપી શકાશે મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કાર્ડ ; સેબીનો મોટો પ્લાન, જાણો કેવી રીતે મિત્રો કે સગા-સંબંધીઓને ભેટ આપી શકાશે

બજાર નિયામક સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે 'ગિફ્ટ કાર્ડ' અથવા 'ગિફ્ટ PPI' શરૂ કરવાનો મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે તમે લગ્ન, જન્મદિવસ કે અન્ય પ્રસંગોએ રોકડ રકમને બદલે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ભેટમાં આપી શકશો.

શેરબજારમાં આ લિસ્ટેડ કંપનીએ તેના રિઝલ્ટમાં કરી ગડબડી, હવે SEBI સાથે કરી રહી સેટલમેન્ટ

કંપનીએ સેબી સાથે સમાધાન કર્યું છે. સમાધાન હેઠળ, કંપની અને તેના અધિકારીઓએ આશરે ₹3 કરોડ ચૂકવ્યા છે. સમાધાન આદેશ અનુસાર, કંપની અને તેના ચાર વરિષ્ઠ અધિકારીઓએ કુલ ₹2.91 કરોડ ચૂકવ્યા છે. આ ચુકવણી કોઈપણ આરોપોને સ્વીકાર્યા વિના કે નકારી કાઢ્યા વિના કરવામાં આવી હતી

SEBI એ મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રોકાણકારોના ખિસ્સા પર સીધી અસર થવાની શક્યતા

સેબીએ મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે, જેનો મુખ્ય હેતુ રોકાણકારો માટે ખર્ચ ઘટાડવા, પ્રક્રિયા સરળ બનાવવા અને પારદર્શિતા વધારવાનો છે.

SEBI : રોકાણકારોને રાહત ! નકલી ફિનફ્લૂએન્સર્સ પર લાગશે ‘લગામ’, ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના દાવા પણ વેરિફાઈ થશે

ભારતના નાણાકીય બજારમાં પારદર્શિતા (Transparency) વધારવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ એક નવી વેરિફિકેશન એજન્સી શરૂ કરી છે.

Breaking News: SEBI એ કરી મોટી કાર્યવાહી! આ કંપની પર 2 વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ લાદ્યો, રોકાણકારોના રૂપિયા પાણીમાં

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. આ સાથે જ તેમને કુલ ₹75 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ડિજિટલ ગોલ્ડ સુરક્ષિત નથી! સેબીએ આપી ચેતવણી, રોકાણકારોએ હવે શું કરવું?

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. શનિવાર, 8 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ એક સત્તાવાર જાહેરાત કરીને રોકાણકારોને ચેતવ્યા છે.

Stock Market : શેરમાર્કેટમાં કંઈક નવા-જૂની થશે ! સ્ટોક બાયબેકથી લઈને F&O નિયમોમાં થઈ શકે છે ‘મોટા ફેરફારો’, સેબીના ચેરમેને કરી ખાસ વાત

GLS 2025 માં SEBI ના ચેરમેને ભારતીય કેપિટલ માર્કેટની મજબૂતાઈ અને ભવિષ્યની દિશા અંગે એક મુખ્ય નિવેદન આપ્યું. તેમના નિવેદનથી લાગી રહ્યું છે કે, શેર બાયબેકથી લઈને F&O નિયમોમાં ખાસ ફેરફાર થઈ શકે છે.

Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા હવે સરળ બનાવી દીધી છે. જો કે, આ પ્રક્રિયાથી કોને લાભ થશે, તે જાણવું મહત્ત્વપૂર્ણ છે.

SEBI Vacancy 2025 : SEBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી, Law ગ્રેજ્યુએટ વાળા પણ કરો અરજી, પગાર 1 લાખથી વધુ

SEBI Vacancy 2025: સેબીએ ગ્રેડ 'એ' ઓફિસરના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 28 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

અલ્ગો ટ્રેડિંગ પર SEBIનો નવો નિર્ણય: સમયમર્યાદા લંબાવવામાં આવી, પણ બ્રોકર્સ પર કડક કાર્યવાહી વધુ તીવ્ર બનશે!

SEBIએ રિટેલ અલ્ગો ટ્રેડિંગ માટે નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે, બ્રોકર્સ માટે કડક નિયંત્રણ જારી છે. નવા નિયમોથી રોકાણકારો વધુ સુરક્ષિત અને પારદર્શક ટ્રેડિંગનો લાભ લઈ શકે છે. જાણો વિગતે.

વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
g clip-path="url(#clip0_868_265)">