
સેબી
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના SEBI એક્ટ 1992 હેઠળ 12 એપ્રિલ 1992ના રોજ ભારતીય સિક્યોરિટી માર્કેટ માટે નિયમનકારી સત્તા તરીકે કરવામાં આવી હતી. તે ભારતીય રોકાણ બજારમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.
સેબીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. આ ઉપરાંત, સેબીની દેશના વિવિધ શહેરોમાં ઓફિસ આવેલી છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. સેબીની સ્થાપના પહેલા, સિક્યોરિટીઝ માર્કેટને ઘણી સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી, જેના કારણે રોકાણકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2014 માં, ભારત સરકારે સેબીને નવી નિયમનકારી સત્તાઓ પ્રદાન કરી હતી, જેથી તે એવા લોકોને પકડી શકે કે જેઓ શેરબજારમાં છેડછાડ કરી રહ્યા છે અને તેમની સામે યોગ્ય પગલાં લઈ શકે છે. આજે, સેબીને વિશ્વની ટોચની નિયમનકારી સત્તામંડળોમાંની એક ગણવામાં આવે છે અને તે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના વિકાસ અને નિયમનમાં આવશ્યક ભૂમિકા ભજવે છે.
સેબીને ભારતીય મૂડી બજારની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સેબી, એક નિયમનકારી સંસ્થા તરીકે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના સિક્યોરિટીઝ માર્કેટ પર દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાનો હેતુ ધરાવે છે. તે રોકાણ સંબંધિત નવી માર્ગદર્શિકા તૈયાર કરીને સલામત રોકાણનું વાતાવરણ પણ બનાવે છે. જો NSE અને BSEમાં રોકાણ કરનારા રોકાણકારો સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તે રોકાણકાર સેબીને ફરિયાદ કરી શકે છે.
મુકેશ અંબાણીની હવે આ નવા બિઝનેસમાં એન્ટ્રી..સેબીની મળી મંજૂરી, શેરમાં આવી શાનદારી તેજી
મુકેશ અંબાણીની કંપનીને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ઇન્ક. સંયુક્ત રીતે બ્રોકરેજ બિઝનેસનું સંચાલન કરશે. આ સમાચાર પછી, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં વધારો જોવા મળ્યો છે.
- Dhinal Chavda
- Updated on: Jun 27, 2025
- 5:46 pm
Breaking News : SEBI એ સ્ટોક માર્કેટ “એક્સપર્ટ” સંજીવ ભસીન સહિત 12 લોકોને ટ્રેડિંગ કરવા પર મૂક્યો પ્રતિબંધ, ₹11 કરોડ પણ કર્યા જપ્ત,જાણો સમગ્ર મામલો
સેબીએ જણાવ્યું હતું કે સંજીવ ભસીન અને અન્ય લોકોએ PFUTP (છેતરપિંડી અને અયોગ્ય ટ્રેડ ) ધોરણો અને સંશોધન વિશ્લેષક નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે કુલ રૂ. 11.37 કરોડની ગેરકાયદેસર કમાણી થઈ છે.
- Dhinal Chavda
- Updated on: Jun 18, 2025
- 11:34 am
HDB ફાઇનાન્શિયલના IPOને SEBIએ આપી મંજૂરી : કંપની ઇશ્યૂમાંથી ₹12,500 કરોડ એકત્ર કરશે, HDFC બેંક ₹10 હજાર કરોડના શેર વેચશે
HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડમાં 94.6 ટકા હિસ્સો ધરાવતી પેરેન્ટ કંપની HDFC બેંક IPO ના ભાગ રૂપે ઓફર ફોર સેલ દ્વારા ₹ 10,000 કરોડના શેર વેચશે.
- Dhinal Chavda
- Updated on: Jun 4, 2025
- 1:04 pm
Breaking News : SEBI એ અભિનેતા અરશદ વારસી સહિત 59 લોકો પર મૂક્યો પ્રતિબંધ, શેરબજાર છેતરપિંડીનો આરોપ
Pump and Dump:સેબીએ એક પંપ અને ડમ્પ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સેબીએ બોલિવૂડના 'સર્કિટ' અરશદ વારસી, તેની પત્ની અને તેના ભાઈ પર એક વર્ષ માટે શેરબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, તે બધા પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ગેરકાયદેસર કમાણી જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાણો આ આખો મામલો શું છે?
- Dhinal Chavda
- Updated on: May 30, 2025
- 11:41 am
Breaking News : SEBI ના પૂર્વ વડા અને મૂળ ગુજરાતના માધવી બુચને મોટી રાહત, લોકપાલે આ કેસમાં આપી ક્લીન ચિટ
લોકપાલે સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચને હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો સામે ક્લીન ચીટ આપી છે. હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સાથે મિલીભગતના આરોપો લગાવ્યા હતા. લોકપાલે જણાવ્યું કે આરોપો અનુમાન પર આધારિત છે અને કોઈ પુરાવા નથી.
- Sagar Solanki
- Updated on: May 28, 2025
- 9:02 pm
મુકેશ અંબાણીના Jio અને Airtel ની વધશે મુશ્કેલી ! વોડાફોન આઈડિયાને સરકાર તરફથી મળી મોટી રાહત
વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે નવા ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીમાં ભારત સરકારનો હિસ્સો વર્તમાન 22.60 ટકાથી વધીને લગભગ 48.99 ટકા થશે. આ સાથે, વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેના પ્રમોટરો પાસે કંપનીનું સંચાલન નિયંત્રણ ચાલુ રહેશે.
- Sagar Solanki
- Updated on: Mar 31, 2025
- 12:35 pm
વિદેશમાં અભ્યાસ કર્યો, સાડા પાંચ લાખ પગાર , જાણો સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેના પરિવારમાં કોણ કોણ છે
તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના 11મા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેબીના નવા વડા માધબી પુરી બુચનું સ્થાન લેશે તુહિન કાંત પાંડેના પરિવારમાં કોણ કોણ છે. ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 28, 2025
- 1:20 pm
New SEBI chief: તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચાર્જ
સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને સેબીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બૂચની જગ્યાએ બોર્ડનો હવાલો સંભાળશે, ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?
- Dhinal Chavda
- Updated on: Feb 28, 2025
- 10:29 am
Breaking news : શેરબજારની ‘ક્વીન’ની કાળી રમત, સેબીએ મૂક્યો પ્રતિબંધ; શેર ટિપ્સ વેચીને 104 કરોડની કમાણી કરી
શેરબજારમાં પૈસા કમાવવાનું સપનું જોનારાઓ માટે આ સમાચાર ચોંકાવનારા છે. એક પ્રખ્યાત યુટ્યુબરે તેની ટ્રેડિંગ ટિપ્સ દ્વારા કરોડોની કમાણી કરી હતી, પરંતુ હવે સેબીએ તેની સામે મોટું પગલું ભર્યું છે.
- Dhinal Chavda
- Updated on: Feb 7, 2025
- 5:17 pm
SEBI દ્વારા મોતીલાલ ઓસ્વાલ પર લગાવાયો મોટો દંડ, જાણો કારણ અને વિગતવાર માહિતી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મોતીલાલ ઓસવાલ સામે મોટી કાર્યવાહી કરી છે. સેબીએ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ કંપનીને દંડની રકમ નિશ્ચિત દિવસોમાં જમા કરાવવા જણાવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jan 30, 2025
- 10:26 pm
SEBI New Rules : શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર, ટ્રેડિંગ માટે જમા કરાયેલા પૈસાને લઈ આવ્યું અપડેટ
SEBI એ શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત આપી છે. જો તમે સ્ટોકમાં રોકાણ કરવા માટે લાંબા સમયથી ડીમેટ ખાતામાં પૈસા જમા કરાવ્યા છે, તો તમારા પૈસા અટકશે નહીં. રોકાણકારો સરળતાથી તેમના પૈસા ઉપાડી શકશે. ચાલો જાણીએ સેબીના નવા નિયમો વિશે.
- Sagar Solanki
- Updated on: Jan 6, 2025
- 10:30 pm
SEBI Action : સેબીની આ કંપની પર મોટી કાર્યવાહી, ટ્રેડિંગ કર્યું બંધ, કંપની આપવાની હતી બોનસ શેર
કંપનીએ તેના બોનસ ઈશ્યુ અને શેર વિભાજનની રેકોર્ડ ડેટ અસ્થાયી રૂપે હાલ પુરતી હોલ્ડ પર રાખી છે. સેબીએ સોમવારે અને 23 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું છે, જે બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. સેબીએ કંપનીના પ્રમોટરોની મૂડીબજાર ઍક્સેસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
- krushnapalsinh chudasama
- Updated on: Dec 24, 2024
- 5:21 pm
SEBI એ મોટા કૌભાંડનો કર્યો પર્દાફાશ, ફ્રન્ટ-રનિંગ ટ્રેડ સાથે સંબંધિત છે આ મામલો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. ફ્રન્ટ-રનિંગ ટ્રેડ અંતર્ગત કૌભાંડ સામે આવ્યું હોવાનો ખુલાસો થયો છે.
- Sagar Solanki
- Updated on: Dec 22, 2024
- 7:17 pm
IPO Cancelled: રોકાણકારોને મોટો ઝટકો ! સેબીએ આ IPO કર્યો રદ, કંપનીને રોકાણકારોના પૈસા પરત કરવાનો આપ્યો આદેશ
SEBI એ આ IPOને રદ કર્યો છે. આ સાથે સેબીએ કંપનીને રોકાણકારોને પૈસા પરત કરવા જણાવ્યું હતું. 45 કરોડનો IPO 345 કરતા વધુ વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 66 થી રૂ. 70 વચ્ચે સેટ કરવામાં આવી હતી.
- krushnapalsinh chudasama
- Updated on: Dec 3, 2024
- 8:12 pm
અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી,સેબીએ તેમની કંપની પર લગાવ્યો 9 લાખ રૂપિયાનો દંડ
દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેમની કંપની રિલાયન્સ સિક્યોરિટીઝ પર 9 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે
- Dhinal Chavda
- Updated on: Nov 30, 2024
- 5:01 pm