સેબી
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના SEBI એક્ટ 1992 હેઠળ 12 એપ્રિલ 1992ના રોજ ભારતીય સિક્યોરિટી માર્કેટ માટે નિયમનકારી સત્તા તરીકે કરવામાં આવી હતી. તે ભારતીય રોકાણ બજારમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.
સેબીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. આ ઉપરાંત, સેબીની દેશના વિવિધ શહેરોમાં ઓફિસ આવેલી છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. સેબીની સ્થાપના પહેલા, સિક્યોરિટીઝ માર્કેટને ઘણી સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી, જેના કારણે રોકાણકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2014 માં, ભારત સરકારે સેબીને નવી નિયમનકારી સત્તાઓ પ્રદાન કરી હતી, જેથી તે એવા લોકોને પકડી શકે કે જેઓ શેરબજારમાં છેડછાડ કરી રહ્યા છે અને તેમની સામે યોગ્ય પગલાં લઈ શકે છે. આજે, સેબીને વિશ્વની ટોચની નિયમનકારી સત્તામંડળોમાંની એક ગણવામાં આવે છે અને તે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના વિકાસ અને નિયમનમાં આવશ્યક ભૂમિકા ભજવે છે.
સેબીને ભારતીય મૂડી બજારની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સેબી, એક નિયમનકારી સંસ્થા તરીકે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના સિક્યોરિટીઝ માર્કેટ પર દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાનો હેતુ ધરાવે છે. તે રોકાણ સંબંધિત નવી માર્ગદર્શિકા તૈયાર કરીને સલામત રોકાણનું વાતાવરણ પણ બનાવે છે. જો NSE અને BSEમાં રોકાણ કરનારા રોકાણકારો સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તે રોકાણકાર સેબીને ફરિયાદ કરી શકે છે.
Breaking News: SEBI એ કરી મોટી કાર્યવાહી! આ કંપની પર 2 વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ લાદ્યો, રોકાણકારોના રૂપિયા પાણીમાં
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. આ સાથે જ તેમને કુલ ₹75 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Nov 29, 2025
- 6:50 pm
ડિજિટલ ગોલ્ડ સુરક્ષિત નથી! સેબીએ આપી ચેતવણી, રોકાણકારોએ હવે શું કરવું?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. શનિવાર, 8 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ એક સત્તાવાર જાહેરાત કરીને રોકાણકારોને ચેતવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Nov 8, 2025
- 8:46 pm
Stock Market : શેરમાર્કેટમાં કંઈક નવા-જૂની થશે ! સ્ટોક બાયબેકથી લઈને F&O નિયમોમાં થઈ શકે છે ‘મોટા ફેરફારો’, સેબીના ચેરમેને કરી ખાસ વાત
GLS 2025 માં SEBI ના ચેરમેને ભારતીય કેપિટલ માર્કેટની મજબૂતાઈ અને ભવિષ્યની દિશા અંગે એક મુખ્ય નિવેદન આપ્યું. તેમના નિવેદનથી લાગી રહ્યું છે કે, શેર બાયબેકથી લઈને F&O નિયમોમાં ખાસ ફેરફાર થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Nov 7, 2025
- 5:13 pm
Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા હવે સરળ બનાવી દીધી છે. જો કે, આ પ્રક્રિયાથી કોને લાભ થશે, તે જાણવું મહત્ત્વપૂર્ણ છે.
- Ravi Prajapati
- Updated on: Nov 5, 2025
- 3:46 pm
SEBI Vacancy 2025 : SEBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી, Law ગ્રેજ્યુએટ વાળા પણ કરો અરજી, પગાર 1 લાખથી વધુ
SEBI Vacancy 2025: સેબીએ ગ્રેડ 'એ' ઓફિસરના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 28 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Nov 2, 2025
- 11:34 am
અલ્ગો ટ્રેડિંગ પર SEBIનો નવો નિર્ણય: સમયમર્યાદા લંબાવવામાં આવી, પણ બ્રોકર્સ પર કડક કાર્યવાહી વધુ તીવ્ર બનશે!
SEBIએ રિટેલ અલ્ગો ટ્રેડિંગ માટે નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે, બ્રોકર્સ માટે કડક નિયંત્રણ જારી છે. નવા નિયમોથી રોકાણકારો વધુ સુરક્ષિત અને પારદર્શક ટ્રેડિંગનો લાભ લઈ શકે છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Oct 2, 2025
- 5:54 pm
અનિલ અંબાણીની કંપનીઓમાં સતત ત્રીજા દિવસે પણ EDના દરોડા યથાવત
મુંબઈમાં અનિલ અંબાણી ગ્રુપ પર EDના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ છે. ₹3,000 કરોડના બેંક લોન છેતરપિંડી અને યસ બેંક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ આરોપો હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. જેમાં EDએ અનેક સ્થળોએથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 26, 2025
- 6:40 pm
મુકેશ અંબાણીની હવે આ નવા બિઝનેસમાં એન્ટ્રી..સેબીની મળી મંજૂરી, શેરમાં આવી શાનદારી તેજી
મુકેશ અંબાણીની કંપનીને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ઇન્ક. સંયુક્ત રીતે બ્રોકરેજ બિઝનેસનું સંચાલન કરશે. આ સમાચાર પછી, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં વધારો જોવા મળ્યો છે.
- Dhinal Chavda
- Updated on: Jul 25, 2025
- 12:03 pm
Breaking News : SEBI એ સ્ટોક માર્કેટ “એક્સપર્ટ” સંજીવ ભસીન સહિત 12 લોકોને ટ્રેડિંગ કરવા પર મૂક્યો પ્રતિબંધ, ₹11 કરોડ પણ કર્યા જપ્ત,જાણો સમગ્ર મામલો
સેબીએ જણાવ્યું હતું કે સંજીવ ભસીન અને અન્ય લોકોએ PFUTP (છેતરપિંડી અને અયોગ્ય ટ્રેડ ) ધોરણો અને સંશોધન વિશ્લેષક નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે કુલ રૂ. 11.37 કરોડની ગેરકાયદેસર કમાણી થઈ છે.
- Dhinal Chavda
- Updated on: Jun 18, 2025
- 11:34 am
HDB ફાઇનાન્શિયલના IPOને SEBIએ આપી મંજૂરી : કંપની ઇશ્યૂમાંથી ₹12,500 કરોડ એકત્ર કરશે, HDFC બેંક ₹10 હજાર કરોડના શેર વેચશે
HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડમાં 94.6 ટકા હિસ્સો ધરાવતી પેરેન્ટ કંપની HDFC બેંક IPO ના ભાગ રૂપે ઓફર ફોર સેલ દ્વારા ₹ 10,000 કરોડના શેર વેચશે.
- Dhinal Chavda
- Updated on: Jun 4, 2025
- 1:04 pm
Breaking News : SEBI એ અભિનેતા અરશદ વારસી સહિત 59 લોકો પર મૂક્યો પ્રતિબંધ, શેરબજાર છેતરપિંડીનો આરોપ
Pump and Dump:સેબીએ એક પંપ અને ડમ્પ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સેબીએ બોલિવૂડના 'સર્કિટ' અરશદ વારસી, તેની પત્ની અને તેના ભાઈ પર એક વર્ષ માટે શેરબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, તે બધા પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ગેરકાયદેસર કમાણી જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાણો આ આખો મામલો શું છે?
- Dhinal Chavda
- Updated on: May 30, 2025
- 11:41 am
Breaking News : SEBI ના પૂર્વ વડા અને મૂળ ગુજરાતના માધવી બુચને મોટી રાહત, લોકપાલે આ કેસમાં આપી ક્લીન ચિટ
લોકપાલે સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચને હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો સામે ક્લીન ચીટ આપી છે. હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સાથે મિલીભગતના આરોપો લગાવ્યા હતા. લોકપાલે જણાવ્યું કે આરોપો અનુમાન પર આધારિત છે અને કોઈ પુરાવા નથી.
- Sagar Solanki
- Updated on: May 28, 2025
- 9:02 pm
મુકેશ અંબાણીના Jio અને Airtel ની વધશે મુશ્કેલી ! વોડાફોન આઈડિયાને સરકાર તરફથી મળી મોટી રાહત
વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે નવા ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીમાં ભારત સરકારનો હિસ્સો વર્તમાન 22.60 ટકાથી વધીને લગભગ 48.99 ટકા થશે. આ સાથે, વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેના પ્રમોટરો પાસે કંપનીનું સંચાલન નિયંત્રણ ચાલુ રહેશે.
- Sagar Solanki
- Updated on: Mar 31, 2025
- 12:35 pm
વિદેશમાં અભ્યાસ કર્યો, સાડા પાંચ લાખ પગાર , જાણો સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેના પરિવારમાં કોણ કોણ છે
તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના 11મા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેબીના નવા વડા માધબી પુરી બુચનું સ્થાન લેશે તુહિન કાંત પાંડેના પરિવારમાં કોણ કોણ છે. ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 28, 2025
- 1:20 pm
New SEBI chief: તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચાર્જ
સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને સેબીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બૂચની જગ્યાએ બોર્ડનો હવાલો સંભાળશે, ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?
- Dhinal Chavda
- Updated on: Feb 28, 2025
- 10:29 am