સેબી

સેબી

સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના SEBI એક્ટ 1992 હેઠળ 12 એપ્રિલ 1992ના રોજ ભારતીય સિક્યોરિટી માર્કેટ માટે નિયમનકારી સત્તા તરીકે કરવામાં આવી હતી. તે ભારતીય રોકાણ બજારમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.

સેબીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. આ ઉપરાંત, સેબીની દેશના વિવિધ શહેરોમાં ઓફિસ આવેલી છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. સેબીની સ્થાપના પહેલા, સિક્યોરિટીઝ માર્કેટને ઘણી સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી, જેના કારણે રોકાણકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

2014 માં, ભારત સરકારે સેબીને નવી નિયમનકારી સત્તાઓ પ્રદાન કરી હતી, જેથી તે એવા લોકોને પકડી શકે કે જેઓ શેરબજારમાં છેડછાડ કરી રહ્યા છે અને તેમની સામે યોગ્ય પગલાં લઈ શકે છે. આજે, સેબીને વિશ્વની ટોચની નિયમનકારી સત્તામંડળોમાંની એક ગણવામાં આવે છે અને તે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના વિકાસ અને નિયમનમાં આવશ્યક ભૂમિકા ભજવે છે.

સેબીને ભારતીય મૂડી બજારની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સેબી, એક નિયમનકારી સંસ્થા તરીકે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના સિક્યોરિટીઝ માર્કેટ પર દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાનો હેતુ ધરાવે છે. તે રોકાણ સંબંધિત નવી માર્ગદર્શિકા તૈયાર કરીને સલામત રોકાણનું વાતાવરણ પણ બનાવે છે. જો NSE અને BSEમાં રોકાણ કરનારા રોકાણકારો સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તે રોકાણકાર સેબીને ફરિયાદ કરી શકે છે.

Read More

SEBI માં ગયા પછી પણ માધવી પુરી બૂચે ‘અગોરા’માંથી કરી કરોડોની કમાણી, કોંગ્રેસે નવા આરોપો સાથે કર્યા પ્રહાર

દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મંગળવારે 10 સપ્ટેમ્બરે સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ (Madhabi Puri Buch)પર નવા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસે માધવી બૂચના દાવાઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે સેબીના પૂર્ણ-સમયના સભ્ય હોવા છતાં, માધવી બુચ અને તેમના પતિએ 'અગોરા પ્રાઈવેટ લિમિટેડ'ની માલિકીની સલાહકાર કંપનીમાંથી કમાણી કરવાનું ચાલુ રાખ્યું હતું.

અમદાવાદમાં MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો, 18 વર્ષે સગાઈ અને 21 વર્ષની ઉંમરે લગ્ન થયા, જાણો માધબી પુરીના પરિવાર વિશે

માધબી પુરી બુચની 18 વર્ષની ઉંમરમાં ધવલ બુચ સાથે સગાઈ કરી હતી. ધવલ એક મોટી કંપનીમાં કામ કરતો હતો. 21 વર્ષની ઉંમરમાં માધબી અને ધવલ લગ્નના બંધનમાં બંઘાયા હતા. તો આજે આપણે માધબી પુરીના પરિવાર વિશે વાત કરીશું.

SEBI કરવા જઇ રહ્યુ છે મોટા ફેરફાર, ટૂંક સમયમાં સમગ્ર ગણતરી બદલાઈ શકે

SEBI એટલે કે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડે બુધવારે સ્થાનિક ડોમેસ્ટીક સેવિંગ વધુ સચોટ બનાવવા માટે ગણતરી પદ્ધતિમાં ફેરફારની દરખાસ્ત કરી હતી. જેમાં ભારતીય સુરક્ષા બજાર દ્વારા બચત સંબંધિત માહિતી મેળવવા માટે ગણતરી પદ્ધતિમાં ફેરફારનું સૂચન કરવામાં આવ્યું છે.

Stock Market : 19,40,00,00,000 માર્કેટ કેપ વાળી કંપનીના Demerger ને મળી મંજૂરી, રોકણકારોને મળશે મફત શેર, જાણો વિગત

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા હર્ક્યુલસ હોઈસ્ટ લિમિટેડ અને ઈન્ડેફ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચેના Demergerને મંજૂરી આપવામાં આવી હતી. NCLTએ યોજનાને મંજૂરી આપ્યા બાદ, Demergerને અમલમાં મૂકવાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી હતી. જેમાં રોકાણકારોને શેર મળશે.

કોંગ્રેસના આરોપ પર ICICIએ આપ્યુ નિવેદન, SEBI ચીફને આપવામાં આવતા પગાર પર કહી આ વાત

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના અધ્યક્ષ માધાવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  જે પછી દેશની બીજી સૌથી મોટી બેંક ICICI બેંકે એક નિવેદન જાહેર કરીને આ મામલાની સત્યતા જાહેર કરી છે અને કહ્યું છે કે તેણે વર્તમાન માર્કેટ રેગ્યુલેટર એટલે કે સેબીના વડા માધબી પુરી બુચને બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી કોઈ પગાર ચૂકવ્યો નથી

SEBIના સભ્ય હોવા છતાં ICICI બેંકમાંથી રૂપિયા 16 કરોડનો પગાર લીધો, કોંગ્રેસે માધવી બૂચ પર લગાવ્યા ગંભીર આરોપ

પવન ખેડાએ કહ્યું, હું તમારી સમક્ષ સેબીના ચેરપર્સનનું પ્રથમ ગેરકાયદેસર કામ રજૂ કરું છું, માધાબી પુરીએ વર્ષ 2017 થી 2019 દરમિયાન ICICI બેંકમાંથી 16.80 લાખ રૂપિયાનો પગાર લીધો હતો, જ્યારે તમે સેબીના સભ્ય હતા. આ સેબી, ઓફિસ ઓફ પ્રોફિટની કલમ 54નું સીધું ઉલ્લંઘન છે.

SEBI એ 39 શેર બ્રોકર અને 7 કોમોડિટી બ્રોકરનું રજીસ્ટ્રેશન કર્યું રદ, 22 ડિપોઝિટરી પાર્ટિસિપેનટ્સ પર પણ ચાલાવી લાઠી

SEBI એ 39 સ્ટોક બ્રોકર્સ અને 7 કોમોડિટી બ્રોકર્સનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. નોંધણીની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળતાને કારણે આ બ્રોકરોની નોંધણી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેબીએ 22 ડિપોઝિટરી સહભાગીઓની નોંધણી પણ રદ કરી દીધી છે

SEBIની નોટિસ મુદ્દે Paytmનું નિવેદન, મીડિયા રિપોર્ટ્સને લઇને કહી આ વાત

Paytm એ તેના IPO અંગે સેબી તરફથી નોટિસ મળવાના સમાચારનો જવાબ આપ્યો છે. શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં તેણે કહ્યું છે કે તે પહેલાથી જ બધું કહી ચૂકી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

આ IPOએ વધારી SEBIની ચિંતા, રોકાણકારોને સાવચેત રહેવાની આપી સલાહ

આ દિવસોમાં શેરબજારમાં IPOની ભરમાર આવી રહી છે. દર અઠવાડિયે માર્કેટમાં 5 થી 6 કંપનીઓના IPO આવી રહ્યા છે. જેના કારણે હવે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ ફરી એકવાર રોકાણકારોને ચેતવણી આપી છે. આ વખતે સેબીએ લોકોને નવા શેર ઓવરસબસ્ક્રાઇબ થવા અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">