PAN Card Scam : તમારું પાન કાર્ડ બીજે તો ગેરકાયદેસર ઉપયોગ નથી લેવાતું ને? આ રીતે ચેક કરો

PAN Card Misuse : પાન કાર્ડનો દુરુપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સાયબર આરોપી તમારા PAN કાર્ડની વિગતો ચોરી શકે છે અને નકલી લોન લઈ શકે છે અથવા તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે. તેથી પાન કાર્ડને લઈને હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. અહીં જાણો પાન કાર્ડનો દુરુપયોગ રોકવા માટે તમે શું કરી શકો.

PAN Card Scam : તમારું પાન કાર્ડ બીજે તો ગેરકાયદેસર ઉપયોગ નથી લેવાતું ને? આ રીતે ચેક કરો
PAN Card Scam
Follow Us:
| Updated on: Jun 25, 2024 | 9:14 AM

PAN Card Fraud : આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ બની ગયું છે. તેનો ઉપયોગ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા, બેંક ખાતું ખોલવા, નાણાકીય વ્યવહારો વગેરે જેવા કાર્યો માટે થાય છે. ઘણા સરકારી કામો PAN કાર્ડથી ઓળખ (ID) પુરાવા તરીકે કરવામાં આવે છે.

તેની સાથે મળતી સુવિધાઓને કારણે સાયબર ફ્રોડ કરનારાઓ માટે તે છેતરપિંડી એક રસ્તો બની ગયો છે. જો કોઈવાર તેના હાથમાં ગમે તેનું પાન કાર્ડ આવી જાય તો આઈડેન્ટિટીની સાથે-સાથે બેન્ક અકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

સાયબર ગુનેગારો તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની ચોરી કરી શકે છે. આ સિવાય તેઓ તમારા નામે લોન પણ લઈ શકે છે અને તમને ખબર પણ નહીં પડે. તેથી પાન કાર્ડને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે થોડી પણ ઢીલ મુકશો તો, તમે તમારી મહેનતની કમાણી ગુમાવી શકો છો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

પાન કાર્ડ સાથે છેતરપિંડી કરવાની રીતો

નકલી લોન અને ક્રેડિટ કાર્ડ : છેતરપિંડી કરનારાઓ તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નકલી લોન લઈ શકે છે અથવા ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડી શકે છે અને તમને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નકલી બેંક એકાઉન્ટ : સાયબર ગુનેગારો તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નકલી બેંક એકાઉન્ટ ખોલી શકે છે. આનો ઉપયોગ કરીને તેઓ છેતરપિંડી કરી શકે છે અને ગેરકાયદેસર વ્યવહારો કરી શકે છે.

ફિશિંગ સ્કેમ : સાયબર હેકર્સ તમારા પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને તમને ખતરનાક SMS મોકલી શકે છે. આ રીતે તેઓ તમારું બેંક એકાઉન્ટનો સફાયો થઈ શકે છે અથવા તમારા ફોનમાંથી વ્યક્તિગત ડેટા ચોરી શકે છે.

પાન કાર્ડના દુરુપયોગને રોકવાની પદ્ધતિ

  • જો તમને શંકા છે કે કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે, તો આ દુરુપયોગની તપાસ કરી શકાય છે. ફક્ત આ સ્ટેપ ફોલો.
  • ક્રેડિટ સ્કોર રેટિંગ વેબસાઇટની મુલાકાત લો.
  • અહીં પાન કાર્ડની વિગતો દ્વારા તમારો ક્રેડિટ સ્કોર ચેક કરો.
  • આ વેબસાઇટ્સ પરથી તમને ખબર પડશે કે તમારી જાણ વગર તમારું પાન કાર્ડ ક્યાં-ક્યાં વપરાયું છે.
  • આ સિવાય ઓછો ક્રેડિટ સ્કોર પણ દુરુપયોગની મોટી ચેતવણી છે.

પાન કાર્ડના દુરુપયોગની ફરિયાદ કેવી રીતે કરવી?

  • સાયબર ક્રાઈમ પોર્ટલ પર પાન કાર્ડના દુરુપયોગ અંગે ફરિયાદ દાખલ કરો.
  • આ સિવાય તમે સ્થાનિક પોલીસમાં જઈને ફરિયાદ પણ નોંધાવી શકો છો.
  • જો તમને PAN કાર્ડ સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ઈન્કમ ટેક્સ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
  • અહીં સૌથી નીચે જઈને Grievance સેક્શન ખોલો.
  • તમારી ફરિયાદ લખીને ફોર્મ સબમિટ કરો.

આ રીતે તમારી ફરિયાદ આવકવેરા વિભાગમાં જશે. પાન કાર્ડના દુરુપયોગને રોકવા માટે તમારે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. જો તમારે PAN વિગતો ઓનલાઈન દાખલ કરવાની હોય, તો ચેક કરો કે વેબસાઈટનું URL ‘https’ થી શરૂ થવું જોઈએ.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">