PM નરેન્દ્ર મોદીએ મુંબઈ મેટ્રોમાં કરી મુસાફરી, લોકો સાથે કરી વાતચીત, જુઓ Photos
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મુંબઈના પ્રવાસ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, શહેરી મુસાફરીની સરળતા અને સ્વાસ્થ્ય સેવાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી રૂ. 38,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (19 જાન્યુઆરી) મુંબઈ પહોંચ્યા. તેમના મુંબઈ પ્રવાસમાં પીએમ મોદીએ મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય તેમને બાળાસાહેબ ઠાકરેના નામે 20 'આપકા દાવખાના'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય 7 વેસ્ટ વોટર મેનેજમેન્ટને લગતી યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું.

PM Narendra Modi

પીએમ મોદીએ કહ્યું કે થોડા સમય માટે મુંબઈમાં વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસની સરકાર આવતાની સાથે જ આ ડબલ એન્જિન સરકારે વિકાસની ગતિ પકડી. તેમને કહ્યું કે 2017 સુધી મેટ્રો માત્ર 10 કિલોમીટર જ ચાલતી હતી. હવે બધું ટ્રેક પર આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ આ સરકારની પ્રાથમિકતા છે.

એક કરોડ ત્રીસ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં આપવામાં આવેલ મેટ્રોના વિસ્તરણની આ ભેટ મુંબઈકરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેટ્રોની ખાસિયત એ છે કે તેને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે અલગ કોર્નર બનાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં આપણા શહેરોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વર્ષ 2014 સુધી મુંબઈમાં માત્ર 10-11 કિલોમીટર જ મેટ્રો ચાલતી હતી, પરંતુ આપણી ડબલ એન્જિન સરકારે મેટ્રોના કામને અભૂતપૂર્વ ગતિ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મેટ્રોની 2 નવી લાઈનોનું ઉદ્ઘાટન કર્યા બાદ મેટ્રોમાં મુસાફરી કરી હતી. પ્રવાસ દરમિયાન તેમને યુવાનો સાથે વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે અંધેરીથી દહિસર સુધીના 35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું નિર્માણ લગભગ 12,600 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.