Chardham Yatra 2025 : પર્સનલ કાર લઈને જઈ રહ્યા છો ચારધામ યાત્રા, તો એક વખત આ એડવાઈજરી વાંચી લેજો
ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન દ્વારા એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે.

ઉત્તરાખંડ પરિવહન વિભાગે વાહન સંચાલન અને ડ્રાઇવરો માટે એડવાઈજરી જાહેર કરી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ગંગોત્રી,યમુનોત્રી,કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન કરવા આવે તેવી શક્યતાઓ છે. ચારધામની યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન દ્વારા એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે.

આ એડવાઈજરીમાં જેમાં મુસાફરીના રૂટ પર વાહનો ચલાવવાથી લઈને ડ્રાઇવરો માટે ખાસ નિયમોનો સમાવેશ થાય છે.પરિવહન વિભાગની એડવાઈજરી અનુસાર પહાડી રસ્તાઓમાં રાત્રિના સમયે વાહન ચલાવી શકશો નહી. રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 4 વાગ્યા સુધી કોઈ પણ વાહન ચારધામ યાત્રાના રસ્તાઓ પર ચાલી શકશે નહી.

રાત્રિના સમયે પહાડી રસ્તાઓ પર અકસ્માતો અટકાવવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાદેશિક પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે પહાડી રસ્તાઓ પર વાહન ચલાવવું એક પડકારજનક છે, જેમાં ડ્રાઇવરોની કુશળતા અને સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ નિયમનું કડક પાલન કરવામાં આવશે.

એડવાઈઝરીમાં કોમર્શિયલ ડ્રાઈવરો માટે ઘણી અન્ય મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. વાહનચાલકોએ ખાસ ડ્રાઈવિંગ લાઈસન્સ, ફિટનેસ પ્રમાણપત્ર અને વાહનના તમામ દસ્તાવેજો રાખવા પડશે. વાહન ચાલકોને ચંપલ કે સેન્ડલ પહેરી વાહન ચલાવવાની અનુમતિ હશે નહી.તેના બદલે શુઝ કે મજબૂત ટ્રેકિંગ જૂતા પહેરવાના રહેશે

ચારધામ યાત્રા ઉત્તરાખંડ માટે ધાર્મિક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. દર વર્ષે, રાજ્ય આ યાત્રાથી કરોડો રૂપિયાની આવક મેળવે છે અને હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































