રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train, જાણો

સતત ત્રીજીવાર વડાપ્રધાન બનેલા, નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ભેટમાં આપી શકે છે. વંદે ભારતની પહેલી સ્લીપર ટ્રેન, આગામી 15 ઓગસ્ટ પહેલા શરૂ થવા જઈ રહી છે. બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2024 | 1:13 PM

ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા અને સલવતભર્યા સમાચાર છે. રેલવે મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 15 ઓગસ્ટ પહેલા દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ આપી શકે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથેની વંદે ભારત સ્લીપર ટ્રેનના આગમનથી લાંબા અંતરની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે. વંદે ભારતની પહેલી સ્લીપર ટ્રેન, આગામી 15 ઓગસ્ટ પહેલા શરૂ થવા જઈ રહી છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુજરાતમાંથી પસાર થઈને દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડશે.

બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ બનાવવાનું કામ તેના છેલ્લા તબક્કામાં છે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ સ્લીપર હશે. જેમાં 10 કોચ થર્ડ એસીના હશે, 4 કોચ સેકન્ડ એસીના હશે, જ્યારે એક કોચ ફર્સ્ટ એસીના રાખવામાં આવશે. સ્લીપર વંદે ભારત ટ્રેનમાં બે એસએલઆર કોચ પણ હશે. રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રથમ તબક્કામાં કલાકની 130 કિ.મી.ની ઝડપે દોડશે. આ પછી તે ધીમે ધીમે 160 થી 220 કિ. મી. પ્રતિકલાકની ઝડપે દોડવાનું શરૂ કરશે.

ખૂબ વ્યસ્ત છે દિલ્હી-મુંબઈનો માર્ગ

દેશની સૌ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનને દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડાવવાની યોજના રેલવે વિભાગે બનાવી છે, જેનુ કારણ એ છે કે દિલ્હીથી મુંબઈ રેલવે માર્ગ ઉપર મુસાફરોની ખૂબ જ માંગ છે. દિલ્હીથી મુંબઈ રૂટ પર વધુ મુસાફરોને કારણે આ રૂટ પરની તમામ ટ્રેનો મુસાફોની કાયમ માટે ભરેલી જ રહે છે. મુસાફરોને ઘણી ટ્રેનોમાં સરળતાથી રિઝર્વેશન પણ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી મુસાફરોની સતત અવરજવર ધરાવતા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાથી મુસાફરોને મોટી રાહત થશે. આ જ કારણથી રેલવેએ દિલ્હીથી મુંબઈ રૂટ પર પહેલા સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

સુવિધાઓ અને સલામતીથી સજ્જ

સ્લીપર વંદે ભારત ટ્રેન દિલ્હીથી મુંબઈ વચ્ચે ભોપાલ, સુરત થઈને જશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે, ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન 2 મહિનામાં પાટા પર દોડતી જોવા મળશે. આ વર્ષે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં જ્યાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ અને અન્ય સેટ પર કામ ચાલે છે તે સ્થળની મુલાકાત લીધી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પહેલી સ્લીપર વંદે ભારત ટ્રેનનુ નિરીક્ષણ કર્યું હતું. આ વંદે ભારત સ્લીપર ટ્રેન આધુનિક સુવિધાઓ અને સલામતીથી સજ્જ ટ્રેન હશે.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">