પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર
ભાજપના સાંસદ ઓમ બિરલાને ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ઓમ બિરલાને બુધવારે ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ માટે બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવને પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ દ્વારા ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવ્યો હતો અને તેને ગૃહ દ્વારા ધ્વનિમત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ પછી પ્રોટેમ સ્પીકર મહતાબે ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું. ગણેશ વાસુદેવ માવળંકરનો વડોદરામાં જન્મ ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ 27 નવેમ્બર, 1888ના રોજ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો. તેમનો પરિવાર તત્કાલીન બોમ્બે સ્ટેટના રત્નાગીરી જિલ્લાના...