અમિત શાહે રામબનમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું, 35 વર્ષ સળગતું રહ્યું જમ્મુ-કાશ્મીર, આના માટે જવાબદાર કોણ ?

ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના રામબનમાં ચૂંટણી સભાનો સંબોધી હતી. તેમણે જનતાને કહ્યું કે આ ચૂંટણી બે લોકો વચ્ચે છે, જેઓ જમ્મુ-કાશ્મીરને આતંકવાદની આગમાં ફેંકવા માંગે છે અને બીજા જેઓ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હું તેમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષોથી સળગતા જમ્મુ-કાશ્મીરની જવાબદારી કોણ લેશે ?

અમિત શાહે રામબનમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું, 35 વર્ષ સળગતું રહ્યું જમ્મુ-કાશ્મીર, આના માટે જવાબદાર કોણ ?
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2024 | 8:13 PM

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન, સોમવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પણ જીત નોંધાવવા અને મતદારોમાં ઉત્સાહ ભરવા માટે રામબન પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનતાને સંબોધન કરતા પૂછ્યું કે તમારે નક્કી કરવાનું છે કે તમે કયા રસ્તે જશો ?

તેમણે કહ્યું કે આ ચૂંટણી બે તત્વો વચ્ચે છે. એક તરફ એ લોકો છે જેમણે જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી સળગાવી દીધું છે. 35 વર્ષ સુધી રાજકીય લાભ માટે જમ્મુ-કાશ્મીર સળગતું રહ્યું. 40,000 થી વધુ લોકો શહીદ થયા હતા. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હું તેમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષોથી સળગતા જમ્મુ-કાશ્મીરની જવાબદારી કોણ લેશે?

તેમણે વધુમાં કહ્યું, “ચૂંટણી પછી, અમારી સરકાર શ્વેતપત્ર લાવશે અને આતંકવાદની જવાબદારી નક્કી કરશે જેણે 40,000 લોકોના જીવ લીધા છે.”

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

અનુચ્છેદ 370એ માત્ર ગરીબી, બેરોજગારી અને આતંકવાદ આપ્યા છે

તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ આગામી સમયમાં બીજો ધ્વજ લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં એક જ ધ્વજ રહેશે, તે છે આપણો પ્રિય ત્રિરંગો. તેમણે કહ્યું કે આ લોકો કલમ 370 અને 35A પાછી લાવવા માંગે છે. ગૃહમંત્રીએ કહ્યું, “હું મુસ્લિમ ભાઈઓ અને બહેનોને પણ પૂછવા માંગુ છું કે, આ કાયદાએ તમને શું આપ્યું ? ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને આતંકવાદ.”

તેમણે વધુમાં કહ્યું કે કલમ 370ના લાભાર્થી માત્ર ત્રણ પરિવારો છે, અબ્દુલ્લા પરિવાર, ગાંધી પરિવાર અને મુફ્તી પરિવાર. આ પરિવારો કલમ 370 પાછી લાવવા માંગે છે. તેઓ પાકિસ્તાન સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ.

જેમના હાથમાં લેપટોપ અને ત્રિરંગો છે તેમને નોકરી મળશે

ગૃહમંત્રીએ કહ્યું, “મોદીજીએ જે લોકો હાથમાં લેપટોપ અને ત્રિરંગો લઈને આવશે તેમના માટે નોકરીની વ્યવસ્થા કરી છે, અને જેમના હાથમાં બંદૂક હશે તેમના માટે જેલના સળિયા તૈયાર છે.” તેમણે કહ્યું, “હમણાં જ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી નહતી. ઓમર અબ્દુલ્લા વોટ બેંકની રાજનીતિ કરે છે. હું ઓમર અબ્દુલ્લાને કહેવા માંગુ છું, તમે આગ સાથે રમી રહ્યા છો. “આતંકવાદથી કોઈને ફાયદો થયો નથી.”

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">