અમરનાથ યાત્રાએ જવાના છો ? આજથી નોંધણી પ્રક્રિયા શરુ, જાણો કેવી રીતે કરશો Online રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા 2024 માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચાલો જાણીએ કે 29મી જૂન 2024થી શરૂ થતી આ યાત્રા માટે ઓનલાઈન પરમિટ કેવી રીતે ડાઉનલોડ કરવી.

અમરનાથ યાત્રાએ જવાના છો ? આજથી નોંધણી પ્રક્રિયા શરુ, જાણો કેવી રીતે કરશો Online રજિસ્ટ્રેશન
Amarnath Yatra 2024 online registration
Follow Us:
Devankashi rana
| Edited By: | Updated on: Apr 25, 2024 | 7:07 PM

અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આજથી એટલે કે 15મી એપ્રિલ 2024થી શરૂ થઈ ગયું છે. દર વર્ષે 45 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 29 જૂને શરૂ થશે અને રક્ષાબંધન અને સાવન પૂર્ણિમાના દિવસે 19 ઓગસ્ટે સમાપ્ત થશે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવે છે. આ યાત્રા માટે ભારતીય ભક્તોએ પ્રતિ ભક્ત 220 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ આ માટે 1510 રૂપિયા પ્રતિ ભક્ત ચૂકવવા પડશે.

યાત્રામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોને બ્લડ ગ્રુપની માહિતી સહિત આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડશે. દરેક મુસાફર માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત છે. આવો, ચાલો જાણીએ કે અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન

  • સૌ પ્રથમ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જાઓ.
  • અહીં ઓનલાઈન સર્વિસ ટૅપ પર આપેલા ‘રજિસ્ટર’ બટન પર ટૅપ કરો અથવા ક્લિક કરો.
  • આ પછી ભક્તો તેમની માહિતી ભરે છે અને સબમિટ બટન પર ક્લિક કરે છે.
  • એપ્લિકેશનની પ્રક્રિયા થયા પછી, વપરાશકર્તાઓને તેમના મોબાઇલ નંબર પર એક મેસેજ મળશે, જેમાં OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ આપવામાં આવશે.
  • OTP દાખલ કર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
  • આ રીતે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મુસાફરી પરમિટ ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે મેળવો મેડિકલ પ્રમાણપત્ર

અમરનાથ યાત્રા માટેના મેડિકલ પ્રમાણપત્ર માટે, PNB, SBI, YES બેંક અને જમ્મુ અને કાશ્મીર બેંકની સ્થાનિક શાખાની મુલાકાત લો. ત્યાં આપેલું મેડિકલ ફોર્મ ભરો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાંથી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

6 અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓ અમરનાથની મુલાકાત લઈ શકતી નથી. અમરનાથની યાત્રા કરનારા યાત્રિકોને ઘણી ઊંચાઈઓ પર જવું પડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ જ કારણ છે કે અસ્થમા અને ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત ભક્તોને આ યાત્રા માટે તબીબી રીતે યોગ્ય ગણવામાં આવતા નથી.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">