AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Air Pollution) વધવા લાગ્યું છે. શુક્રવારે મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક
Mumbai Air Pollution
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:22 PM
Share

મુંબઈ શહેર (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ દિલ્હીની (Delhi)જેમ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ મુંબઈમાં વધતા પ્રદૂષણના કારણો કંઈક બીજું છે.  અહીં પ્રદૂષણનું  થવાનું કારણ ગગનચુંબી ઈમારતોનું બાંધકામ છે.

અહીં પ્રદૂષણનું કારણ અલગ-અલગ સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણથી ઉદભવતી ધૂળ છે, અહીં પ્રદૂષણનું કારણ ચોવીસ કલાક અનલોક કર્યા પછી રસ્તાઓ પર દોડતા વાહનો છે. આ તમામ કારણોને લીધે મુંબઈમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ટૂંક સમયમાં એવો સમય આવી શકે છે જ્યારે મુંબઈ પ્રદૂષણના મામલે દિલ્હી સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરશે.

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. શુક્રવારે 11 ડિસેમ્બરના રોજ મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

શુક્રવારે મુંબઈની હવાની ગુણવત્તા નોંધાઈ હતી વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા મકાનોનું બાંધકામ શહેરના વિસ્તરણ માટે વૃક્ષોનું કટીંગ વધતા ઉદ્યોગો એ કેટલાક કારણો છે જેના કારણે મુંબઈમાં પ્રદૂષણમાં વધારો થયો છે. દક્ષિણ મુંબઈ સહિત મધ્ય મુંબઈમાં અનલોક બાદ ફરી એકવાર બાંધકામના કામમાં ઝડપ આવી છે.

આ કામોમાંથી સતત ધૂળ ઉડે છે. આ ધૂળ સમગ્ર વાતાવરણમાં ફેલાય છે. જેના કારણે હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. મુંબઈમાં દરરોજ લાખો વાહનો આવે છે અને જાય છે. આ વાહનો પ્રદુષણ પણ ફેલાવે છે.

ધુમ્મસ, ધૂળ અને ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જોકે મુંબઈમાં શિયાળો નથી. પરંતુ તેમ છતાં સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળે છે. આ રીતે ધુમ્મસ, ધૂળ અને ધુમાડો એકસાથે પ્રદૂષણનું સ્તર વધારી રહ્યા છે. જેના કારણે મુંબઈકરોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના 24 શહેરોમાંથી મુંબઈમાં સૌથી વધુ PM-10 છે ભારતના 24 મોટા શહેરોની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ PM-10 છે. PM-10ને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. આ કણોનું કદ 10 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછું છે. તેમાં ધૂળ, ગંદકી, ધાતુના સૂક્ષ્મ કણોનો સમાવેશ થાય છે. PM-10 ધૂળ, બાંધકામ અને કચરામાંથી વધે છે.

PM-10 નું સામાન્ય સ્તર 100 માઇક્રોગ્રામ ક્યુબિક મીટર (MGCM) હોવું જોઈએ. જો તે આનાથી વધારે હોય, તો ધુમ્મસ વધે છે અને દૃશ્યતા ઘટી જાય છે. PM-10ની માત્રામાં વધારો થવાને કારણે મુંબઈ ભારતના અન્ય બે મહત્વના દરિયાકાંઠાના શહેરો કોલકાતા અને ચેન્નાઈ કરતાં વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે.

આ પણ વાંચો : DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, મલ્ટી-બેરલ લોન્ચર સિસ્ટમ દુશ્મનની યોજનાઓને કરશે નાકામ

આ પણ વાંચો : Viral: નદીમાં દોડતા પ્રાણીનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું ‘આંખો પર વિશ્વાસ નથી આવતો’

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">