ઇઝરાયલની જેલોમાં ક્યાં ગુનામાં કેદ છે આ દેશના હજારો નાગરિકો, કેમ બનાવ્યા છે બંધક ?
હમાસ અને ઇઝરાયલ વચ્ચે હાલ અસ્થાયી યુદ્ધન વિરામનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થાય છે. આ પહેલા હમાસે એવુ કામ કર્યુ છે, જે ઇઝરાયલના ગુસ્સાને ફરી હવા આપી શકે છે. ખરેખર 600 થી વધુ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તિના બદલે હમાસે તેમને તેલ અવીવના ચાર બંધકોના શબ સોંપ્યા છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નારાજગી વ્યક્ત કરી છે.

ગાઝી પટ્ટીના આતંકી ગૃપ હમાસે હાલમાં ચાર ઈઝરાયલના બંધકોના શબ પરત કર્યા, જેના બદલામાં ઈઝરાયલે 600 થી વધુ કેદીઓને પરત કરવા પડ્યા. જે તેલ અવીવની જેલોમાં કેદ હતા. સીઝફાયરનો પ્રથમ તબક્કો 1લી માર્ચે પુરો થશે. એ પહેલા આ છેલ્લી હોસ્ટેજ એક્સચેન્જ છે. આ ઘટનાક્રમ વચ્ચે હમાસની બર્બરતા ઉપરાંત એ વાતો પણ થઈ રહી છે કે આખરે આટલી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓ ક્યા ગુનામાં ઈઝરાયેલની કસ્ટડીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પગ મુક્તાની સાથે જ, ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં થોડા સમય માટે નાનકડો વિરામ આવ્યો છે. યુદ્ધવિરામનો આ તબક્કો આગામી થોડા દિવસોમાં સમાપ્ત થશે. આ પહેલા શરતો મુજબ બંધકો અને કેદીઓની લેવડ-દેવડ કરવામાં હતી. પરંતુ હમાસે સેંકડો કેદીઓના બદલામાં બંધકોના મૃતદેહ સોંપ્યા હતા. આ ઘટના બાદ ટ્રમ્પ પણ ગિન્નાયા છે. વ્હાઈટ હાઉસમાં...