Sabarkantha: વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોમાં લોક દરબાર યોજાશે, ગુનાનો ઈતિહાસ ખોતરાશે

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં એવા અનેક પરીવારોનો આધાર વ્યાજખોરોના ત્રાસને લઈ છીનવાઈ ગયાના દાખલા છે, પરંતુ હવે લાલ આંખ બતાવી કાર્યવાહી કરાશેનુ આશ્વાસન

Sabarkantha: વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોમાં લોક દરબાર યોજાશે, ગુનાનો ઈતિહાસ ખોતરાશે
Sabarkantha SP said Lok Darbar will be held in all Police Station
Follow Us:
| Updated on: Jan 08, 2023 | 4:58 PM

સાબરકાઠા જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાયદાનો ગાળીયો મજબૂત રીતે કસવામાં આવશે. સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં લોકદરબાર યોજવામાં આવશે. આ દરમિયાન લોકોને અપિલ કરવામાં આવશે કે, પોતાની સાથે વ્યાજખોરો ત્રાસ ગુજારવાનો વર્તન કરતા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા ફરીયાદ કરવા સામે આવે. લોકોને પોતાના નામ ગુપ્ત રાખીને પણ વ્યાજખોરો સામેની માહિતી આપવામાં આવે એવી અપિલ SP સાબરકાંઠા દ્વારા કરવામાં આવી છે.

SP વિશાલકુમાર વાઘેલાએ વિગતો આપતા મીડિયાને કહ્યુ હતુ કે, વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકોને ફરીયાદ કરવા માટે પોલીસ દ્વારા સામેથી અપીલ કરી રહી છે. લોકો આવા ત્રાસખોરોની કંટાળીને અન્ય વિચારો ના કરે અને પોલીસની મદદ લે એ માટે સફળ પ્રયાસ કરવામાં આવશે.

વ્યાજખોરો સામે કરાશે આકરી કાર્યવાહી

જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાએ Tv9ને કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષની વ્યાજખોરોને લગતી અરજીઓનો અભ્યાસ કરવામાં આવશે. આવા લોકોની હાલમાં કોઈ ફરીયાદ છે કે કેમ તે ચકાસવામાં આવશે. વ્યાજખોરોની જૂની અરજીઓ અને ફરીયાદો સંદર્ભમાં અભ્યાસ કરીને વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આગળ વાત કરતા મીડિયાને કહ્યુ હતુ કે, હાલમાં જિલ્લામાં કોઈ ફરીયાદીને વ્યાજખોરોથી ત્રાસ હોય તો એ બાબતની ફરીયાદ કરવા માટે આગળ આવવુ જોઈએ. આ માટે જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગરમાં મંગળવારે એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વ્યાજખોરોથી પિડીતો તેમની ફરીયાદ અને રજૂઆત કરી શકશે. આ ઉપરાંત ત્રાસ ગુજારતા વ્યાજખોરોની માહિતી પણ લોકો પાસેથી લોકદરબારમાં મેળવીને આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા

વ્યાજના ચક્કરના ત્રાસમાં નજીકના ભવિષ્યમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વ્યાજના ચક્કરમાં થી બચવા માટે અંતિમ પગલુ ભરીને પરિવારનો આધાર છીનવાઈ જવાની ઘટના સર્જાતી હોય છે. થોડાક સમય પહેલા હિંમતનગરમાં એક વ્યાજખોરીમાં એક ટેલરે જીવ ટૂંકાવ્યો હતો. જેમાં એક વકીલ સામે ફરીયાદ નોંધાઈ હતી.

ઉપરાંત એક શિક્ષકે પણ આવાજ ચક્કરમાં જીવ વક્તાપુર પાસે ઝેરી દવા પી જઈ જીવ ટુંકાવ્યો હતો. કરોડોના વ્યાજના ચક્કરમાં વ્યાજખોરોની સામે નોટરી કરી શિક્ષકે અંતિમ પગલુ ભર્યુ હતુ. આવા અનેક કિસ્સા હિંમતનગરમાં નજીકના કેટલાક વર્ષમાં ઉદાહરણ રુપ બન્યા છે કે જેમાં તેઓ વગના આધારે વ્યાજખોરો છટકી જતા હોય છે. પરંતુ હવે પોલીસે વ્યાજખોરોની સામે આકરી કાર્યવાહી કરવા લાલ આંખ કરી છે, જેને લઈ વ્યાજખોરો માટે ફફડાટના દિવસો હાલની કાર્યવાહીને જોઈ દૂર નથી લાગી રહ્યા.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">