AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ

Breaking News : કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2025 | 7:43 PM
Share

કુંભમેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, કુંભમેળામાં થયેલ નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા હતા. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક ગુજરાતનો શ્રદ્ધાળુ હોવાનું સામે આવ્યું છે. 

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજા પામેલાઓને કુંભ વિસ્તારના સેક્ટર-2 સ્થિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રયાગરાજ ડીઆઈજીએ, જણાવ્યું કે, આજે મહાકુંભ પ્રયાગરાજમાં ભારે ભીડ હતી. આના કારણે બેરિકેડ તૂટી ગયા અને સ્નાન માટે એકઠી થયેલ શ્રદ્ધાળુની ભીડને કારણે કેટલાક કચડાઈ ગયા. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી એક ગુજરાતી પણ હોવાનું સામે આવ્યું છે.

મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલી ભાગદોડમાં ઘણા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તનો આંકડો 60 ઉપર પહોચ્યો છે જ્યારે મૃતકોની સંખ્યા 30 ની થઈ છે. ભાગદોડને કારણે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને મહાકુંભ વિસ્તારના સેક્ટર-2 સ્થિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત અંગે મહાકુંભના ડીઆઈજી અને કુંભમેળાના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ડીઆઈજીએ કહ્યું કે, આજે મહાકુંભ પ્રયાગરાજમાં ભારે ભીડનું દબાણ હતું. આ કારણે બેરિકેડ્સ તૂટી ગયા. આ પછી ભીડે લોકોને કચડી નાખવાનું શરૂ કર્યું. કુલ 90 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમાં 30 લોકોના મોત થયા હતા.

કુંભમેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, કુંભમેળામાં થયેલ નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા હતા. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક ગુજરાતનો શ્રદ્ધાળુ હોવાનું સામે આવ્યું છે.

Published on: Jan 29, 2025 07:03 PM
g clip-path="url(#clip0_868_265)">