અગ્નિકાંડને એક મહિનો પૂરો, 25 જૂને રાજકોટ બંધનું એલાન, સંસદમાં કોંગ્રેસ ઉઠાવી શકે છે મુદ્દો

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આવતીકાલ 25મી જૂનના રોજ એક મહિનો થશે. આ એક મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવાયા છે. તો આ મુદ્દે કોંગ્રેસે લોકોની લાગણીને વાંચા આપવા માટે આવતીકાલ 25મી જૂનને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે.

અગ્નિકાંડને એક મહિનો પૂરો, 25 જૂને રાજકોટ બંધનું એલાન, સંસદમાં કોંગ્રેસ ઉઠાવી શકે છે મુદ્દો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2024 | 2:42 PM

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની રહી છે. આવતીકાલ 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધ પાળવા માટેનું એલાન આપ્યું છે. તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, તાજેતરમાં જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મદદથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનનારના પરિવારજનો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ દ્વારા વીડિયો કોલથી વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પિડીતો સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે કહેશો તો આ મુદ્દો કોંગ્રેસ લોકસભામાં ઉઠાવશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આવતીકાલ 25મી જૂનના રોજ એક મહિનો થશે. આ એક મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવાયા છે. તો આ મુદ્દે કોંગ્રેસે લોકોની લાગણીને વાંચા આપવા માટે આવતીકાલ 25મી જૂનને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, હજુ બે દિવસ પૂર્વે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી હતી. રાહુલે તેમની વાતચીતમાં પીડિતોના પરિવારજનોને વચન આપ્યું છે કે, જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોકસભામાં ઉઠાવવા પણ તૈયાર છે.

રાહુલ ગાંધીએ પીડિતો સાથે કરી હતી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન વચન આપ્યું છે કે જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોકસભામાં ઉઠાવવા પણ તૈયાર છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરાઈ છે. જેણે તેનો અહેવાલ સરકારને આપ્યો છે. આ રિપોર્ટ દ્વારા SITએ ગુજરાત સરકારને, ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ચાર IPS અને એક IAS અધિકારીની પૂછપરછની વિગતો પણ આપી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

25મી જૂને બંધનુ એલાન

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટનાના વિરોધમાં, ગુજરાત કોંગ્રેસે, રાજકોટના લોકોને આવતીકાલ 25 જૂનના રોજ સ્વયંભૂ એક દિવસ માટે બંધ પાળવા એલાન કર્યું છે. કોંગ્રેસ તરફથી આગની ઘટનામાં જવાબદાર દોષિતો સામે કડક અને દાખલારુપ કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસની માંગ છે કે પીડિતોને સારું વળતર મળવું જોઈએ.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">