13 ઓક્ટોબરના મહત્વના સમાચાર : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમ કરી રહી છે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ
આજ 13 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમ કરી રહી છે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને તેમની ટીમ બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરી રહી છે. બાંદ્રા સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસની તપાસ પણ દયા નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
-
બાબા સિદ્દીકીને આજે રાત્રે 8.30 કલાકે કરાશે સુપુર્દ એ ખાક
બાબા સિદ્દીકીને આજે રાત્રે 8.30 કલાકે દફનાવવામાં આવશે. તેમને મરીન લાઇન્સના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ પહેલા સાંજે 7 વાગે નમાઝ-એ-જનાજા થશે.
-
-
ઉત્તરાખંડમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવાનું ષડયંત્ર, પાટા પરથી ગેસ સિલિન્ડર મળ્યો
ઉત્તરાખંડના રૂરકીમાં રેલવે ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. આ સિલિન્ડર આર્મી ટ્રેન મોમેન્ટ રૂટ પરથી મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોઈને ગુડ્સ ટ્રેનના લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે રેલવે અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સિલિન્ડર હટાવ્યા હતા. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
-
બાબા સિદ્દીકીની હત્યાને લઈનો મોટો ખુલાસો, હત્યાના ત્રણેય આરોપીઓ પંજાબની જેલમાં હતા
બાબા સિદ્દીકીના હત્યારાઓને લઈને મોટો ખુલાસો થયો છે. ત્રણેય આરોપીઓ પંજાબની જેલમાં કેદ હતા. બિશ્નોઈ ગેંગના શૂટર પહેલાથી જ એક જ જેલમાં હતા અને ત્યાં તેઓ એકબીજાને મળ્યા હતા. સૂત્રોનું માનીએ તો કુલ 4 શૂટરને હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દરેકને 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ શૂટર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં આવ્યો હતા. મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. રૂમનું ભાડું 14 હજાર રૂપિયા હતું.
-
મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા ખાડે…. બાબા સિદ્દીકીની હત્યા પર બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાબા સિદ્દીકીનું દુઃખદ અવસાન આઘાતજનક છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતાને દર્શાવે છે. સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.
The tragic demise of Baba Siddique ji is shocking and saddening. My thoughts are with his family in this difficult time.
This horrifying incident exposes the complete collapse of law and order in Maharashtra. The government must take responsibility, and justice must prevail.
— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2024
-
-
બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી હોવાની શંકા
મુંબઈ પોલીસ શૂટરોની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ હત્યામાં બિશ્નોઈ ગેંગનો હાથ છે કે નહીં? પોલીસને શંકા છે કે બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. ધરપકડ કરાયેલા શૂટરોના ગુનાહિત રેકોર્ડ અને લોરેન્સ ગેંગ સાથેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે.
-
દશેરા પર્વની મોડી રાતે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ
દશેરા પર્વની મોડી રાતે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. દશેરાના શેરી ગરબામાં વરસાદ વિઘ્ન બન્યો હતો. વીજળીના કડાકા ધડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા, કારેલીબાગ, સયાજીગંજ સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
-
-
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં 3 ઈંચથી વધુ નોંધાયો હતો. જામનગરના જામજોધપૂર અને રાજકોટના જેતપુરમાં અઢી ઈંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, નવસારીના ગણદેવી અને બનાસકાંઠાના અમિરગઢમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
-
કડીના જાસલપુરની ઘટના અંગે કોન્ટ્રાકટર, એન્જિનિયર, લેબલ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
મહેસાણામાં ભેખડ ધસી પડવાથી 9 મજૂરોના મોત મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કડીના જાસલપુરની સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમા ગઈકાલે દુર્ઘટના બની હતી જેમાં નવ મજૂરોના દટાઈ જવાને કારણે મોત થયા હતા. આ ઘટનામાં દટાયેલા 10 શ્રમિકમાંથી બચી ગયેલ 19 વર્ષીય વિનોદ વસૈયાએ કોન્ટ્રાકટર જયેશભાઈ કાન્તિલાલ દોશી, એન્જિનિયર કૌશિકભાઈ પરમાર અને લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઇ સમુભાઇ ભુરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
-
બાવળા બગોદરા રોડ પર રખડતા ઢોર સાથે બાઈક અથડાતા ચાલકનુ મોત
અમદાવાદના બાવળા બગોદરા રોડ પર રખડતા ઢોર સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાક બાઈક ચાલકનું મોત થયું છે. રામનગર કોર્ટ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
-
દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર પંથક તેમજ ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર પંથક તેમજ ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં રાવલ પાનેલી ભાટિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
-
બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરાશે
NCPના નેતા બાબા સિદ્દીકીના મૃતદેહને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્રીજા આરોપીની શોધ ચાલુ છે.
#WATCH | Maharashtra: NCP leader Baba Siddiqui's body being taken for post-mortem from Lilavati Hospital in Mumbai.
He succumbed to bullet injuries at Lilavati Hospital, late night yesterday. Mumbai Police arrested two accused in the murder case. The search for the third… pic.twitter.com/0hThNFxGZ7
— ANI (@ANI) October 13, 2024
-
સલમાન ખાન લીલાવતી હોસ્પિટલમાં બાબા સિદ્દીકીના પરિવારને મળ્યો
ગઈકાલ શનિવારે મોડી રાત્રે ગોળી વાગવાથી મૃત્યુ પામેલા બાબા સિદ્દીકીના પરિવારને મળવા, જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાન, લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો.
#WATCH | Mumbai: Actor Salman Khan at Lilawati Hospital to meet the family of Baba Siddiqui who succumbed to bullet injuries, late night, yesterday. pic.twitter.com/GkXkzE5SVn
— ANI (@ANI) October 12, 2024
-
ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેતન્યાહુએ ટ્વીટરમાં લખ્યું કે, હું અને ઈઝરાયેલના લોકો ભારતના ગૌરવશાળી પુત્ર અને આપણા બંને દેશોની મિત્રતાના ચેમ્પિયન રતન નવલ ટાટાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. રતનના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ.
Prime Minister of Israel tweets, "To my friend, Prime Minister Narendra Modi. I and many in Israel mourn the loss of Ratan Naval Tata, a proud son of India and a champion of the friendship between our two countries. Please convey my condolences to Ratan's family. In sympathy,… pic.twitter.com/wAj9RGkmZB
— ANI (@ANI) October 12, 2024
આજે 13 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - Oct 13,2024 6:30 AM