11 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સરકારી કાર્યક્રમોમાં વગાડવામાં આવશે 3 મિનિટ અને 10 સેકન્ડનું 6 અંતરા સાથેનું સંપૂર્ણ વંદે માતરમ
આજે 11 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
અમદાવાદઃ રખિયાલના ક્વાર્ટરના એક ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી
અમદાવાદઃ રખિયાલના સુખરામનગર સ્લમ ક્વાર્ટરની ઘટના સામે આવી છે. ક્વાર્ટરના એક ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી.
-
Stock Market News : આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે
આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે.

-
-
સરકારી કાર્યક્રમોમાં 6 અંતરા સાથેનું સંપૂર્ણ વંદે માતરમ ફરજીયાત
“જન ગણ મન” રાષ્ટ્રગીતની જેમ, હવે સરકારી કાર્યક્રમોમાં “વંદે માતરમ” ગાવાનું અને વગાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રગીત “વંદે માતરમ” અને રાષ્ટ્રગીત “જન ગણ મન” એકસાથે ગવાય છે અથવા વગાડવામાં આવે છે, તો વંદે માતરમ પહેલા વગાડવામાં આવશે. વધુમાં, ગીત ગાતી વખતે અથવા વગાડતી વખતે શ્રોતાઓએ ધ્યાન કેન્દ્રિત કરીને ઉભા રહેવું આવશ્યક છે.
-
આગામી બજેટને લઈને મુખ્યપ્રધાને બોલાવી બેઠક
આગામી બજેટ સત્રને લઈને મુખ્યપ્રધાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સવારે 10 કલાકે મુખ્યપ્રધાનના નિવાસ્થાને યોજાનારી આ બેઠકમાં કેબિનેટ તથા રાજ્ય કક્ષાના તમામ પ્રધાનો હાજર રહેશે. બેઠકમાં બજેટ સ્પીચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ મુખ્યપ્રધાનની તરફથી બજેટ સત્ર દરમિયાન કયા પ્રધાન કયા મુદ્દાઓ પર સદનમાં ભાષણ આપશે તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. સાથે જ વિભાગવાર સદનમાં પ્રશ્નોના જવાબ કયા પ્રધાનો આપશે તે બાબતે પણ ચર્ચા કરી અંતિમ આયોજન તૈયાર કરવામાં આવશે.
-
કેનેડા: માધ્યમિક શાળામાં ગોળીબારમાં 7 લોકોના મોત, અનેક ઘાયલ
કેનેડામાં ટમ્બલર રિજ માધ્યમિક શાળામાં ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત અને 27 ઘાયલ થયા. એક ઘરની અંદરથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે, અને તે જોડાયેલા હોવાની શંકા છે.
-
-
મહેસાણા: સતલાસણા અને જોટાણાનો ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ
મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા અને જોટાણા તાલુકા મથકોને ગ્રામોત્થાન યોજનામાં સામેલ કરવામાં આવતા હવે બંને મથકોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નગરપાલિકા ન હોય તેવા આ તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના હેઠળ સતલાસણામાં ૪૬ અને જોટાણામાં ૧૫ વિવિધ વિકાસકામો હાથ ધરાશે. યોજનામાં સીસી રોડ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકો માટે શિક્ષણ, માળખાકીય સુવિધા અને જીવનસ્તર સુધરે. ગ્રામ્ય કક્ષાએથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવી, ગામડાંમાં જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર સંબોધન કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. તેઓ 12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં તેનો જવાબ આપશે.
-
આજે 11 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Feb 11,2026 7:47 AM