Ahmedabad : કલ્યાણ પુષ્ટિ હવેલીમાં યોજાયો પવિત્ર ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ

Ahmedabad: અમદાવાદમાં આવેલ કલ્યાણ પુષ્ટિ હવેલીમાં પવિત્ર ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં અનેક વૈષ્ણવો આ પૂજામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવો ગોવર્ધન પૂજાના કાર્યક્રમમાં જોડાયા હતા.

Ahmedabad : કલ્યાણ પુષ્ટિ હવેલીમાં યોજાયો પવિત્ર ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ
અન્નકૂટ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Nov 06, 2022 | 10:46 PM

અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ચઢાવવામાં આવ્યો. વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. કારતક સુદ પ્રતિપદાને દિવસે ગોવર્ધનની પૂજાનો વિશેષ મહિમા છે. છપ્પન ભોગનો ભગવાન શ્રી કૃષ્ણએ મનોરથ કર્યો એવી રીતે આપણે યથાશક્તિ જે કાંઈ સામગ્રી બની શકે અથવા જે કાંઈ પ્રસાદ બને તે બધા સુધી પહોંચાડવો જોઈએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ નાનામાં નાના વ્યક્તિઓને આદર આપ્યો એવી રીતે આપણે પણ એવી વ્યક્તિઓને આદર આપીએ અને એક પૂજ્યભાવ વ્યક્ત કરીએ તો જ શ્રી કૃષ્ણ ભક્તિ કરેલી સાર્થક ગણાશે તેવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો. આ વર્ષે દિવાળી બાદ ગ્રહણનો સંયોગ હતો જેના કારણે ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ મોડો યોજવામાં આવ્યો હતો.

ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. વિદ્વાનો એવું માને છે કે, કારતક સુદ પ્રતિપદાને દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગિરીરાજજીને ધારણ કર્યાં. ધારણ કરે એ પૂર્વે ભગવાને અન્નકુટનો મનોરથ કર્યો. દશમસ્કંધમાં કથા વર્ણવી છે કે, દિવાળીનો દિવસ હતો અને ગોકુળમાં તૈયારી થતી હતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને નંદબાવાને પુછયું કે, “આ શેની તૈયારીઓ ચાલી રહી છે ?” ત્યારે નંદબાવાએ કહ્યું કે આપણે યજ્ઞ કરીએ છીએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભગવાને પુછયું કે, “આપણે ક્યો યજ્ઞા કરીએ છીએ ?” તો નંદબાવાએ કહ્યું કે, “આપણે ઈન્દ્ર યજ્ઞ કરીએ છીએ.” તો ઈન્દ્ર આપણને શું આપે છે ? તો કહ્યું કે જે કાંઈ થાય છે તે ઈન્દ્રની જ તો કૃપા છે ! ઈન્દ્રની કૃપાથી વરસાદ વરસે છે, એ વરસાદથી ગિરીરાજજીમાં ઘાસ ઉગે છે, એ ઘાસ ગાયો ખાય છે અને તેથી ગાયો આપણને દૂધ આપે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાાનોપદેશ કરતાં કહ્યું કે, “વરસાદ દેવરાજ ઈન્દ્ર નથી વરસાવતા પણ વરસાદ તો પ્રકૃતિ અનુસાર જ પડે છે. જો તમારે પૂજન કરવું હોય તો ગિરીરાજજીનું પૂજન કરો. આપણા ઈષ્ટદેવ એ ગિરીરાજજી છે અને આપણી ઈષ્ટ દેવી એ ગાયમાતા છે.” ત્યારે વ્રજવાસીઓએ પૂછયું કે, “ગિરીરાજજીનું પૂજન કેવી રીતે કરવું ? તો કહ્યું કે જે અન્નકુટની સામગ્રી તમે દેવરાજ ઈન્દ્ર માટે બનાવી છે એ બધી સામગ્રી ગિરીરાજજીને તમે સમર્પિત કરો.” આમ, છપ્પન ભોગની શરૂઆત જ શ્રી કૃષ્ણ ભગવાને કરી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">