બહુ થયું ‘ફક્ત મહિલાઓ માટે’, આવી રહી છે ‘ફક્ત પુરૂષો માટે’ની ફિલ્મ, જુઓ Video

ધીમે ધીમે ગુજરાતી ફિલ્મને જોનારો વર્ગ વધ્યો છે એટલે કે, લોકો હવે ગુજરાતી ફિલ્મ વધુ જોવાનું પસંદ કરે છે.જેનાથી ફિલ્મને સારો એવો પ્રતિસાદ પણ મળે છે. કોઈ એવી ફિલ્મ હોય છે કે, તેના બીજા પાર્ટને પણ રિલીઝ કરવામાં આવતો હોય છે. 'ફક્ત પુરૂષો માટે'ની ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.

બહુ થયું 'ફક્ત મહિલાઓ માટે', આવી રહી છે 'ફક્ત પુરૂષો માટે'ની ફિલ્મ, જુઓ Video
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 2:29 PM

ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે.

‘ફક્ત મહિલાઓ માટે’માં શું હતી સ્ટોરી ?

ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક 28 વર્ષીય મધ્યમવર્ગીય માણસ તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે કે તે સ્ત્રીઓની મનની વાત સમજી શકે, આ સાથે આ ફિલ્મમાં કોમેડી અને થોડો રોમાન્સનો મસાલો  પણ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

તમને જણાવી દઈએ કે, બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેના આટલા લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 19 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ હતી. જેને ગુજરાતી ચાહકોનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં એક ગીત પણ આવે છે બોલો મારી અંબે જય જય અંબે આ ગીત કીર્તિદાન ગઢવીએ ગાયું હતુ.

ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી

ફકત મહિલા માટે ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ “મનોરંજનની સાથે સંદેશ મેળવવા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતી બોલતા જોવાનો લહાવો પણ લીધો હતો. આ ફિલ્મનું નામ માત્ર ફક્ત મહિલાઓ માટે છે, પરંતુ પુરુષો પણ આ ફિલ્મને જોઈ શકે છો, આ ફિલ્મમાં એક આખા પરિવારની સ્ટોરી રજુ કરવામાં આવી છે. સાથે સાથે શાનદાર ડાયલોગ પણ ચાહકોને પસંદ આવ્યા હતા. ફક્ત મહિલાઓ માટે ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી હતી.

‘ફક્ત પુરૂષો માટે ફિલ્મ જન્માષ્ટમી 2024 ના રોજ રિલીઝ થશે

હવે નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ 29મી એપ્રિલથી તેમની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે જન્માષ્ટમી 2024 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે.

કલાકાર મેગા સ્ટાર યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા, દર્શન જરીવાલા છે.પહેલા પાર્ટ ફક્ત મહિલાઓ માટેના સ્ટાર અભિનેતા યશ સોનીએ આ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું પાવર અલગ છે, મજા ડબલ છે ! ફક્ત પુરુષો માટે જન્માષ્ટમી 2024.

હવે ચાહકો ફક્ત મહિલાઓ માટેની ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’ આ વર્ષે એટલે કે, જન્માષ્ટમીના શુભઅવસર પર રિલીઝ થશે.

આ પણ વાંચો : સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો અને…. જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">