કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

એક અંદાજ મુજબ, એક હેક્ટર કેળના ખેતરમાંથી લગભગ 220 ટન કચરો પેદા થાય છે. આ કચરો સામાન્ય રીતે ખેડૂત દ્વારા ફેંકવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે.

કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી
Banana Tree
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 11:56 AM

કેળમાંથી ફળો ઉતાર્યા બાદ વૃક્ષ અને થડ ખેડૂતો માટે કોઈ કામના નથી. એક અંદાજ મુજબ, એક હેક્ટર કેળના ખેતરમાંથી લગભગ 220 ટન બાયોમાસ કચરો પેદા થાય છે. આ કચરો સામાન્ય રીતે ખેડૂત દ્વારા ફેંકવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. કેળાના વૃક્ષનો કચરો જો યોગ્ય રીતે સંચાલિત ન થાય તો પર્યાવરણ માટે સમસ્યા ઉભી કરી શકે છે.

કૃષિ વૈજ્ઞાનિક ડો. એસ.કે. સિંઘ ટીવી 9 ડિજિટલ દ્વારા ખેડૂતોને કહે છે કે જો ખેડૂતો કેળાના અવશેષોને ભીની સ્થિતિમાં ફેંકી દે અથવા તેને બાળી નાખે તો ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થઈ શકે છે, જે પર્યાવરણ માટે સમસ્યા પેદા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ પાકમાંથી કચરો વધુ તર્કસંગત રીતે વાપરી શકાય છે, એટલે કે વધુ સેલ્યુલોઝ ફાઇબરના (cellulose fiber) સ્ત્રોત તરીકે.

ખેડૂતો આ રીતે કમાણી કરી શકે છે

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બનાના સ્યુડો-સ્ટેમ ફાઈબરનો (Banana Pseudo-Stem Fiber) મુખ્ય ઉપયોગ બેબી પેમ્પર્સ, ટેક્સટાઈલ્સ અને કાગળ જેવા વિશિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાની સેનેટરી પ્રોડક્ટ્સ બનાવવામાં થાય છે. બનાના સ્યુડો-સ્ટેમ ફાઈબરનો ઉપયોગ દરિયાઈ દોરડા જેવા મજબૂત દોરડા બનાવવા માટે પણ થઈ શકે છે. કારણ કે આ ફાઈબર દરિયાઈ પાણી માટે સારો પ્રતિકાર ધરાવે છે અને ઉછાળ ગુણધર્મો ધરાવે છે. આ ફાઇબરના અન્ય ઉપયોગો કોફી અને ટી બેગ, ડિસ્પોઝેબલ કાપડ અને પ્લાસ્ટર મટિરિયલ બનાવવા માટે પણ થાય છે.

સ્યુડો-સ્ટેમ એ કેળાના છોડનો એક ભાગ છે જે એક થડ જેવો દેખાય છે. નરમ મધ્ય કોર સાથે અને 25 પાંદડાના આવરણો સાથે ચુસ્ત રીતે લપેટાયેલો હોય છે. આ પાંદડાના આવરણ દાંડીમાંથી ખીલે છે અને પરિપક્વ થતાં કેળાના પાંદડાઓમાં ફેરવાય છે.

ડો. સિંઘ જણાવે છે કે કેળાના છોડની ઉંચાઈ લગભગ 7.5 મીટર સુધી પહોંચી શકે છે અને પાંદડા છોડની ઉંચાઈના આધારે વધે છે. તેથી અંદરની બાજુના કેટલાક પાંદડા અને વૃક્ષની લંબાઈ લગભગ સમાન હોય છે. જ્યારે બાહ્ય ધાર પરના પાંદડા, જે પાછળથી ઉગે છે, નાના હોય છે. કેળાના પાંદડાઓની પહોળાઈ લગભગ 30 સેમી સુધી પહોંચી શકે છે. કેળાના છોડનું સ્યુડો સ્ટેમ ફાઇબર વધારે મજબૂત હોય છે.

આ પણ વાંચો : દૂધ બનાવો અને લાખો કમાઓ, સોયા મિલ્ક તૈયાર કરી ખેતી સાથે વધારાની આવક મેળવો

આ પણ વાંચો : નાના અને સીમાંત ખેડૂતો માટે કામની છે આ એપ, ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">