AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો તેના પર આપે ધ્યાન નહીંતર થશે નુકસાન

IARI એ ખેતી સંબંધિત સલાહ જારી કરી છે. જો ખેડૂત (Farmers) ભાઈઓ અને બહેનો આ તરફ ધ્યાન આપશે તો તેઓને ફાયદો થશે.

ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો તેના પર આપે ધ્યાન નહીંતર થશે નુકસાન
Agro Advisory
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 12:01 PM
Share

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ ખેતી સંબંધિત સલાહ જારી કરી છે. જો ખેડૂત (Farmers) ભાઈઓ અને બહેનો આ તરફ ધ્યાન આપશે તો તેઓને ફાયદો થશે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સમયે ડાંગરનો પાક મુખ્યત્વે વનસ્પતિ વૃદ્ધિની સ્થિતિમાં છે. તેથી, પાકમાં જંતુઓનું નિરીક્ષણ કરો. સ્ટેમ બોરરને નિયંત્રિત કરવા માટે ફેરોમોન ટ્રેપ 3-4 એકર દીઠ લગાવો.

આ ઋતુમાં ડાંગરના પાકને નષ્ટ કરનાર બ્રાઉન પ્લાન્ટ હોપરનો હુમલો શરૂ થઈ શકે છે. આ જીવાતો ડાંગરના પાંદડામાંથી રસ ચૂસીને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેથી, ખેડૂતોએ છોડમાં જંતુનું નિરીક્ષણ કરવું જોઈએ. ખેડૂતોને બાજરી, મકાઈ, સોયાબીન અને શાકભાજીમાં નીંદણ નિયંત્રણ માટે નીંદણ કામ કરવાની સલાહ આપવામાં આવે છે. તમામ કઠોળ, મકાઈ અને શાકભાજીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખો.

સ્વીટ કોર્ન અને બેબી કોર્નની વાવણીનો સમય

ખેડૂતો આ સિઝનમાં સ્વીટ કોર્ન (માધુરી, વિન ઓરેન્જ) અને બેબી કોર્ન (HM-4) નું વાવેતર કરે શકે છે. આ સિઝનમાં, ખેડૂતો ગાજરની પુસા વૃષ્ટી જાતનું વાવેતર કરે. બીજ દર 4.0-6.0 કિલો પ્રતિ એકર રાખવો. વાવણી કરતા પહેલા ખેતર તૈયાર કરતી વખતે દેશી ખાતર જમીનમાં નાખવું જોઈએ.

પ્રમાણિત સ્રોતોમાંથી જ બીજ ખરીદો

આ સિઝનમાં ખેડૂતો ગુવાર (પુસા નવ બહાર, દુર્ગા બહર), મૂળા (પુસા ચેતકી), ચણા (પુસા કોમલ), ભીંડી (પુસા એ -4), પાલક (પુસા ભારતી) વગેરે જેવા પાકની વાવણી માટે ખેતર તૈયાર કરી શકાય છે. ખેડૂતોએ માત્ર પ્રમાણિત સ્ત્રોતમાંથી જ બીજની ખરીદી કરવી જોઈએ. પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા રાખો.

સારી ઉપજ માટે મધમાખી પાલન કરો

ખેડૂતો આ સમયે વરસાદની સીઝનમાં ડુંગળીની રોપણી કરી શકે છે. કોળા અને અન્ય શાકભાજીના ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં મધમાખીઓનો મોટો ફાળો હોય છે કારણ કે તે પરાગનયનમાં મદદ કરે છે. તેથી, શક્ય તેટલું મધમાખી પાલનને પ્રોત્સાહન આપો.

જીવાત નિયંત્રણ માટે દેશી ઇલાજ કરો

જંતુઓ અને રોગોનું સતત નિરીક્ષણ રાખો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહો અને સાચી માહિતી લીધા બાદ જ દવાઓનો ઉપયોગ કરો. ખેડૂતો જંતુ નિયંત્રણ માટે લાઇટ ટ્રેપનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે પ્લાસ્ટિકના ટબ અથવા મોટા વાસણમાં પાણી અને કેટલાક જંતુનાશક મિક્સ કરો અને બલ્બ પ્રગટાવો અને રાત્રે ખેતરની વચ્ચે રાખો. જંતુઓ પ્રકાશ દ્વારા આકર્ષાય છે અને દવાના મિશ્રણમાં પડવાથી મૃત્યુ પામે છે. તેના દ્વારા અનેક પ્રકારના હાનિકારક જંતુઓનો નાશ થશે.

આ પણ વાંચો : ઓર્ગેનિક ખેતી ખેડૂતો માટે નફાકારક, સ્થાનિક બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માગમાં વધારો

આ પણ વાંચો : નર્સરીમાં કામ કરતા શીખી ખેતી કરવાની કળા, હવે બાગાયતી પાકોની ખેતી દ્વારા કરી રહ્યા છે કમાણી

g clip-path="url(#clip0_868_265)">