ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો

2021-22માં એપીડા બાસ્કેટ પ્રોડક્ટ્સ હેઠળ નિકાસનો લક્ષ્યાંક USD 23,713 મિલિયન રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, એપ્રિલ-નવેમ્બર 2021-22માં કુલ APEDA બાસ્કેટ નિકાસમાં ચોખાનો હિસ્સો 45 ટકાથી વધુ હતો.

ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 4:02 PM

કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ(Agri Products Exports)માં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી બાસ્કેટ હેઠળના ઉત્પાદનોની નિકાસ એપ્રિલ-નવેમ્બર, 2020-21માં US$ 11,671 મિલિયનની સરખામણીએ એપ્રિલ-નવેમ્બર, 2021-22માં વધીને US$ 13,261 મિલિયન થઈ છે.

2021-22માં એપીડા (APEDA) બાસ્કેટ પ્રોડક્ટ્સ હેઠળ નિકાસનો લક્ષ્યાંક USD 23,713 મિલિયન રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, એપ્રિલ-નવેમ્બર 2021-22માં કુલ APEDA બાસ્કેટ નિકાસમાં ચોખાનો હિસ્સો 45 ટકાથી વધુ હતો. એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન ચોખાની નિકાસ US$5937 મિલિયનની ટોચની વિદેશી હૂંડિયામણ કમાનાર હતી. તે 2020-21માં USD 5,341 મિલિયનને પહોંચ્યું હતું, જે સમાન સમયગાળામાં 11 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મરઘાં ઉત્પાદનોની નિકાસમાં કેટલો વધારો થયો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

એપ્રિલ-નવેમ્બર 2021-22માં માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ 12 ટકા વધીને USD 2,665 મિલિયન થઈ છે, જે 2020-21ના સમાન આઠ મહિનાના સમયગાળામાં USD 2,371 મિલિયન હતી. એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન ફળો અને શાકભાજીની નિકાસ 12 ટકા વધીને USD 1,720 મિલિયન થઈ છે, જે એપ્રિલ-નવેમ્બર 2020-21માં USD 1,536 મિલિયન હતી.

USD 302 મિલિયનના કાજુની નિકાસ

પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ અને પરચુરણ પ્રોસેસ્ડ માલસામાનની નિકાસ એપ્રિલ-નવેમ્બર, 2020-21માં 1,127 મિલિયન યુએસ ડોલરની સામે એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન 26 ટકા વધીને US$1,418 મિલિયન સુધી પહોંચી ગઈ છે. કાજુની નિકાસ પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં 29 ટકા વધીને USD 302 મિલિયન થઈ છે.

ખાદ્યતેલની નિકાસ ઘટી

મોટાભાગના કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં વધારો થયો છે, પરંતુ એપ્રિલ-નવેમ્બર, 2021-22માં, ખાદ્યતેલની નિકાસ 2020-21ના સમાન સમયગાળાની તુલનામાં 12 ટકા ઘટીને 626 મિલિયન યુએસ ડોલર થઈ છે. એપ્રિલ અને નવેમ્બર 2021-22 વચ્ચે ફળો અને શાકભાજીની નિકાસ 1720 મિલિયન યુએસ ડોલરની રહી છે. ગયા વર્ષે આ સમયગાળામાં તે માત્ર 1536 મિલિયન યુએસ ડોલર હતું.

એપીડા રાજ્ય સરકારો સાથે સંકળાયેલ છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. એપીડાના પ્રમુખ ડૉ. એમ અંગમુથુએ જણાવ્યું હતું કે, ‘અમે કૃષિ નિકાસ નીતિ, 2018ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો સાથે મળીને ક્લસ્ટરો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.

એપીડા કૃષિ નિકાસ નીતિના અમલીકરણ માટે રાજ્ય સરકારો સાથે સંકળાયેલ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, તમિલનાડુ, આસામ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, સિક્કિમ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને મેઘાલયે નિકાસ માટે રાજ્ય વિશિષ્ટ એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અન્ય રાજ્યો તેને અંતિમ સ્વરૂપ આપવાના વિવિધ તબક્કામાં છે.

આ પણ વાંચો: Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો:  રંગ લાવી રહ્યા છે સરકાના પ્રયાસ, રવી સીઝનમાં તેલીબિયાં અને ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો વધારો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">