AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો

2021-22માં એપીડા બાસ્કેટ પ્રોડક્ટ્સ હેઠળ નિકાસનો લક્ષ્યાંક USD 23,713 મિલિયન રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, એપ્રિલ-નવેમ્બર 2021-22માં કુલ APEDA બાસ્કેટ નિકાસમાં ચોખાનો હિસ્સો 45 ટકાથી વધુ હતો.

ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 4:02 PM
Share

કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ(Agri Products Exports)માં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી બાસ્કેટ હેઠળના ઉત્પાદનોની નિકાસ એપ્રિલ-નવેમ્બર, 2020-21માં US$ 11,671 મિલિયનની સરખામણીએ એપ્રિલ-નવેમ્બર, 2021-22માં વધીને US$ 13,261 મિલિયન થઈ છે.

2021-22માં એપીડા (APEDA) બાસ્કેટ પ્રોડક્ટ્સ હેઠળ નિકાસનો લક્ષ્યાંક USD 23,713 મિલિયન રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, એપ્રિલ-નવેમ્બર 2021-22માં કુલ APEDA બાસ્કેટ નિકાસમાં ચોખાનો હિસ્સો 45 ટકાથી વધુ હતો. એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન ચોખાની નિકાસ US$5937 મિલિયનની ટોચની વિદેશી હૂંડિયામણ કમાનાર હતી. તે 2020-21માં USD 5,341 મિલિયનને પહોંચ્યું હતું, જે સમાન સમયગાળામાં 11 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મરઘાં ઉત્પાદનોની નિકાસમાં કેટલો વધારો થયો

એપ્રિલ-નવેમ્બર 2021-22માં માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ 12 ટકા વધીને USD 2,665 મિલિયન થઈ છે, જે 2020-21ના સમાન આઠ મહિનાના સમયગાળામાં USD 2,371 મિલિયન હતી. એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન ફળો અને શાકભાજીની નિકાસ 12 ટકા વધીને USD 1,720 મિલિયન થઈ છે, જે એપ્રિલ-નવેમ્બર 2020-21માં USD 1,536 મિલિયન હતી.

USD 302 મિલિયનના કાજુની નિકાસ

પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ અને પરચુરણ પ્રોસેસ્ડ માલસામાનની નિકાસ એપ્રિલ-નવેમ્બર, 2020-21માં 1,127 મિલિયન યુએસ ડોલરની સામે એપ્રિલ-નવેમ્બર 2021-22 દરમિયાન 26 ટકા વધીને US$1,418 મિલિયન સુધી પહોંચી ગઈ છે. કાજુની નિકાસ પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં 29 ટકા વધીને USD 302 મિલિયન થઈ છે.

ખાદ્યતેલની નિકાસ ઘટી

મોટાભાગના કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં વધારો થયો છે, પરંતુ એપ્રિલ-નવેમ્બર, 2021-22માં, ખાદ્યતેલની નિકાસ 2020-21ના સમાન સમયગાળાની તુલનામાં 12 ટકા ઘટીને 626 મિલિયન યુએસ ડોલર થઈ છે. એપ્રિલ અને નવેમ્બર 2021-22 વચ્ચે ફળો અને શાકભાજીની નિકાસ 1720 મિલિયન યુએસ ડોલરની રહી છે. ગયા વર્ષે આ સમયગાળામાં તે માત્ર 1536 મિલિયન યુએસ ડોલર હતું.

એપીડા રાજ્ય સરકારો સાથે સંકળાયેલ છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. એપીડાના પ્રમુખ ડૉ. એમ અંગમુથુએ જણાવ્યું હતું કે, ‘અમે કૃષિ નિકાસ નીતિ, 2018ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો સાથે મળીને ક્લસ્ટરો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.

એપીડા કૃષિ નિકાસ નીતિના અમલીકરણ માટે રાજ્ય સરકારો સાથે સંકળાયેલ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, તમિલનાડુ, આસામ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, સિક્કિમ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને મેઘાલયે નિકાસ માટે રાજ્ય વિશિષ્ટ એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અન્ય રાજ્યો તેને અંતિમ સ્વરૂપ આપવાના વિવિધ તબક્કામાં છે.

આ પણ વાંચો: Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો:  રંગ લાવી રહ્યા છે સરકાના પ્રયાસ, રવી સીઝનમાં તેલીબિયાં અને ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">