વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

|

Feb 23, 2022 | 11:19 PM

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં 18,000 કરોડ રૂપિયા બેંકોને પરત કરવામાં આવ્યા છે.

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
Mehul Choksi, Vijay Mallya, Nirav Modi

Follow us on

દેશની બેંકો (Bank) સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે તેની માહિતી બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી વતી 18,000 કરોડ રૂપિયા બેંકોને પરત કરવામાં આવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે આ રકમ બેંકોને પરત કરવામાં આવી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે કોર્ટના અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને બે સપ્તાહનો સમય આપ્યો છે. વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરવાનો આ છેલ્લો સમય છે. ઉલ્લેખખનીય છે કે માલ્યા ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે વોન્ટેડ છે અને “ગોપનીય” કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી યુકેમાં જામીન પર રહે છે.

SCમાં PMLA વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી

તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 સંબંધિત કુલ કેસોમાં 67,000 કરોડ રૂપિયાના આર્થિક ગુનાનો સમાવેશ થાય છે. પીએમએલએ હેઠળ સર્વોચ્ચ અદાલત ગુનાની આવકની શોધ, જપ્તી, તપાસ અને જોડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઉપલબ્ધ સત્તાઓના વ્યાપક અવકાશને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહ્યું છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મહેતાએ બેંચને માહિતી આપી હતી કે વર્ષ 2016થી 2021 દરમિયાન EDએ તપાસ માટે માત્ર 2,086 PMLA કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી. ED પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે.

તેમણે કહ્યું કે પીએમએલએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે. જ્યારે દર વર્ષે બ્રિટનમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 7,900 કેસ, અમેરિકામાં 1,532 કેસ, ચીનમાં 4,691 કેસ, ઓસ્ટ્રિયામાં 1,036 કેસ, હોંગકોંગમાં 1,823 કેસ, બેલ્જિયમમાં 1,862 કેસ અને રશિયામાં 2,764 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  Asia Economic Dialogue 2022: આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત – મુકેશ અંબાણી

Next Article