AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ યુનિયન બેન્કમાંથી લોન લઈને 69 લાખનું કૌભાંડ, બેંક મેનેજરનું કારસ્તાન

જામનગર શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તારમાં યુનિયન બેન્કની શાખા આવેલી છે. જયાં અલગ-અલગ ગ્રાહકોના નામે લોન લેવામાં આવી, બાદ કેટલાક હપ્તા ભરાયા. પરંતુ બાદ અનેક લોનાખાતામાં હપ્તા ના ભરાતા બેન્ક દ્વારા આવા ગ્રાહકોને નોટીસ આપવામાં આવી.

જામનગરઃ યુનિયન બેન્કમાંથી લોન લઈને 69 લાખનું કૌભાંડ, બેંક મેનેજરનું કારસ્તાન
Jamnagar: 69 lakh scam by taking loan from Union Bank
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:49 PM
Share

જામનગરમાં (JAMNAGAR) બેન્કમાં લોન લઈને લાખો રૂપિયાનું કૌંભાડ (Loan scam) કર્યુ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. યુનિયન બેન્કમાં (Union Bank)અલગ-અલગ ગ્રાહકોના નામે લોન લઈને મેનેજર (Bank manager)અને અન્ય એક વ્યકિતએ કુલ 69 લાખથી વધુ રૂપિયા મેળવી લીધાની ફરીયાદ નોંધાઈ છે. જયારે બેન્ક દ્વારા લોન ભરતા તેના ગ્રાહકને નોટીશ આપતા ગ્રાહકોએ પોતે લોન ના લીધી હોવાની ફરીયાદ કરી. મામલો પોલિસે મથકે પહોંચ્યો.

જામનગર શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તારમાં યુનિયન બેન્કની શાખા આવેલી છે. જયાં અલગ-અલગ ગ્રાહકોના નામે લોન લેવામાં આવી, બાદ કેટલાક હપ્તા ભરાયા. પરંતુ બાદ અનેક લોનાખાતામાં હપ્તા ના ભરાતા બેન્ક દ્વારા આવા ગ્રાહકોને નોટીસ આપવામાં આવી.

જયારે ગ્રાહકોને નોટીસ મળી ત્યારે તેમને માલુમ થયુ છે તેમના નામે લોન છે. જે પૈસા તેમને મળ્યા નથી. બેન્કને અનેક રજુઆત કરી બાદ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. જયેશ મણીયારને બેન્કની નોટીસ આપતા બેન્કમાં તપાસ કરી. તેણે ધંધા માટે 1 લાખની લોનની માંગણી કરી હતી. જે લોન મળી ના હોવાનું તે જણાવે છે. જયારે બેન્કમાં તેના નામે 8 લાખની લોન ખાતામાં છે. જેના કેટલાક હપ્તા ભરાયા હતા. તેણે પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે.

બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ જાડેજાએ ફેબુઆરી-19થી જાન્યુઆરી-21 સુધી ફરજ બજાવી હતી. બાદ તેની અન્ય શાખામાં બદલી થઈ હતી. બાદ ઓગષ્ટ 2021થી બેન્કમાં હાજર થતા નથી. બેન્કમાં અન્ય મેનેજર આવતા લોનના હપ્તા ના ભરનાર ગ્રાહકો સામે કાર્યવાહી શરૂ કરી. તો એક બાદ કુલ 30 થી વધુ લોન ખાતેદારો સામે આવ્યા જે હપ્તા ના હોય. મોટાભાગના લોન ધંધા માટે મુદ્રા લોન મેળવેલ. જેમાં દર્શન હસમુખ મણિયારે કોટેશન આપીને લોનની રકમ મેળવી હોય. બેન્ક દ્રારા પોતાની વિજીલન્સ તપાસ પણ ચાલી રહી છે. મેનેજર દશરથસિંહ સામે ચાલી રહી છે.

આશરે 8 માસ પહેલા બેન્કના 15 જેટલા ખાતેદારોએ આ રજુઆત કરી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી. જેમાં લોન જેમના નામે લીધેલ હોય તેમને જાણ ના હોય. બેન્કમાં ખોટા ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ-અલગ નામે કુલ રૂ.૭૪,૨૫,૦૦૦/- ની લોન મંજુર કરાવી હતી. તે લોન માથી રૂ.૪,૬૦,૦૦૦ હપ્તા રૂપે પરત બેન્કમાં જમાં કરાવેલ. બાકીના રૂ.૬૯,૬૫,૦૦૦/-રૂપીયા પોતાના અંગત ફાયદા સારૂ હડપ કરી વિશ્વાસઘાત કર્યાની પોલિસ ફરીયાદ નોંધાવી છે. જે આરોપી બેન્ક મેનેજરની પુછપરછ પોલિસ શરૂ કરી છે.

બેન્કમાં ધંધા કરવાના નામે લોન લઈને લાખો રૂપિયાનુ કોંભાડ કરવામાં આવ્યુ. જેમાં બેન્ક મેનેજર સામે આરોપ છે. સાથે અન્ય કેટલાક લોકો પણ શંકામદો છે. પોલિસે તમામ મુદાઓને પારખીને ઉડાણથી તપાસ આરંભી છે.

આ પણ વાંચો : Ahmedabad : ઘાટલોડીયાની ત્રિપદા સ્કૂલની ફી બાબતે મનમાની, વાલીઓએ સ્કૂલની મનમાની અને ફી વસૂલવા અંગે વિરોધ કર્યો

આ પણ વાંચો : પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">